અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ સરકાર એક્શનમાં આવી ગઈ છે અને રક્ષામંત્રી રાજનાથ સિંહે એક મહત્વની બેઠક બોલાવી. એવું કહેવાઈ રહ્યું છે કે બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ લેફ્ટેનન્ટ જનરલ (રિટાયર્ડ) અનિલ ચૌહાણ ઉપરાંત ત્રણેય સેનાના પ્રમુખ ભાગ લીધો.
આ બેઠકમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર હાલની સ્થિતિ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે રાજનાથ સિંહ આજે સંસદમાં આ મામલે નિવેદન આપશે. રાજનાથ સિંહ 12 વાગે લોકસભામાં અને બપોરે 2 વાગે ઉપલા ગૃહ રાજ્યસભામાં આ મામલે નિવેદન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ મુદ્દે એક મહત્વની બેઠક કરવાના છે અને કેબિનેટના મંત્રીઓ સાથે તવાંગમાં થયેલા ઘર્ષણ પર ચર્ચા કરશે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.