દિલ્હીના મહેરૌલીમાં તેની લિવ-ઈન-પાર્ટનર શ્રદ્ધા વાલકરની હત્યા કરીને તેના શરીરના 35 ટુકડા કરનાર આરોપી આફતાબ પૂનાવાલાએ નાર્કો ટેસ્ટમાં એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. નાર્કો ટેસ્ટમાં આફતાબ પૂનાવાલાએ ન માત્ર શ્રદ્ધાની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું, પરંતુ તેણે એ પણ કહ્યું હતું કે તેણે સૌથી પહેલા શ્રદ્ધાના હાથ કાપ્યા હતા. આ માટે તેણે ચાઈનીઝ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. જણાવી દઈએ કે આફતાબ પૂનાવાલાના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટ બંને પૂર્ણ થઈ ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબે નાર્કો ટેસ્ટમાં જણાવ્યું હતું કે તેણે સૌથી પહેલા શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના હાથ કાપી નાખ્યા હતા. આ માટે તેણે ચાઈનીઝ ચોપરનો ઉપયોગ કર્યો અને આ હથિયારથી તેણે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે આફતાબે તેની હત્યા બાદ શ્રદ્ધા વોલકરનો મોબાઈલ ફોન ઘણા મહિનાઓ સુધી પોતાની પાસે રાખ્યો હતો. જ્યારે મુંબઈ પોલીસે તેને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે પણ શ્રદ્ધાનો મોબાઈલ ફોન તેની પાસે હતો. બાદમાં તેણે શ્રદ્ધાનો મોબાઈલ ફોન મુંબઈના દરિયામાં ફેંકી દીધો હતો.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.