ઉત્તર પ્રદેશની અલ્હાબાદ યુનિવર્સિટીમાં સોમવારે ભારે હંગામો થયો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના ગાર્ડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિદ્યાર્થીઓએ ગાર્ડ પર ફાયરિંગ કરવાનો આરોપ લગાવ્યો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતા વિવેકાનંદ પાઠક પર હુમલા બાદ વિદ્યાર્થીઓ ગુસ્સે ભરાયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ભારે તોડફોડ કરી હતી.
બીજી તરફ, અથડામણની માહિતી મળતાં અધિક પોલીસ કમિશનર કુલહારી પોલીસ દળ સાથે કેમ્પસમાં પહોંચ્યા હતા અને ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ઘટના અંગે એ.ડી.જીકાયદોવ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે. સીપી પ્રયાગરાજ સહિત અન્ય અધિકારીઓ સ્થળ પર હાજર છે. પોલીસ સ્થિતિ પર નજર રાખી રહી છે. ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની કેન્ટીન પાસે આગ ચાંપી દીધી હતી.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.