પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ગોવામાં મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે નવેમ્બર 2016માં આ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. ગોવામાં આ બીજું એરપોર્ટ છે, જ્યારે પહેલું એરપોર્ટ ડાબોલિમમાં છે. આ એરપોર્ટ અંગે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જાહેરાત કરી હતી કે આ એરપોર્ટનું નામ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા મનોહર પર્રિકરના નામ પરથી રાખવામાં આવશે.
જણાવી દઈએ કે પર્રિકરનું નિધન માર્ચ 2019માં થયું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મને ખુશી છે કે આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ સ્વર્ગસ્થ મનોહર પર્રિકરનું નામ રાખવામાં આવ્યું છે. હવે અહીં આવનાર દરેક વ્યક્તિ સ્વર્ગસ્થ મનોહર પર્રિકરને યાદ કરશે. તેમણે કહ્યું કે, 6 વર્ષ પહેલા હું અહીં આવ્યો હતો અને તેનો શિલાન્યાસ કર્યો હતો. અનેક અડચણો બાદ આજે આ ભવ્ય એરપોર્ટ તૈયાર થયું છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.