અરુણચાલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણ પર ભારતે આકરું વલણ અપનાવ્યું છે અને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે. આ બધા વચ્ચે ઘર્ષણ અને સરહદ વિવાદ પર ચીનનું પહેલું નિવેદન સામે આવ્યું છે અને ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સાથે તેની સરહદ પર સ્થિતિ સ્થિર છે. ભારત દ્વારા અરુણાચલ પ્રદેશના તવાંગમાં LAC પર ભારત અને ચીનના સૈનિકોના ઘર્ષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યા બાદ ચીને કહ્યું કે સરહદ પર સ્થિતિ સ્થિર છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે જ્યાં સુધી અમે સમજીએ છીએ, ચીન-ભારત સરહદની સ્થિતિ સમગ્ર રીતે સ્થિર છે. તેમણે વધુમાં કહ્યું કે રાજનયિક અને સૈન્ય ચેનલોના માધ્યમથી સરહદ મુદ્દે સતત વાતચીત ચાલુ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે સંસદમાં આ મામલે નિવેદન આપ્યું. પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં રક્ષામંત્રીએ નિવેદન આપ્યું. તેમણે સરહદ પર સ્થિતિની જાણકારી આપતા કહ્યું કે સરહદ પર ચીની સૈનિકો સાથે હાથાપાઈ થઈ. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.