દિલ્હીમાં હવાની ગુણવત્તા કરાબ થવાને કારણે ફરીથી નિર્માણ અને તોડફોડની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવા ગુણવત્તા મેનેજમેન્ટ આયોગે રવિવારે એક્યૂઆઈ (AQI) ગંભીર શ્રેણીમાં પહોંચતા આ નિર્ણય લીધો છે. ગયા મહિને પણ, કેન્દ્રની એર ક્વોલિટી પેનલે અધિકારીઓને દિલ્હી-એનસીઆરમાં આવશ્યક પ્રોજેક્ટ્સ સિવાય તમામ બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.
થોડા સમય બાદ એક્યૂઆઈમાં સુધાર થવા પર તે પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો હતો. પરંતુ ફરી હવાની ગુણવત્તા ખરાબ થવાને કારણે આ પ્રતિબંધ લાગૂ કરી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં રવિવારે એક્યૂઆઈ 400 પહોંચી ગયો, જે શનિવારે નોંધાયેલા એક્યૂઆઈથી પણ ખરાબ હતો. ભારત હવામાન વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક વિજય સોનીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ ગુણવત્તા લગભગ 400ના એક્યૂઆઈની સાથે ગંભીર શ્રેણીમાં છે, પરંતુ આજે સાંજધી રાષ્ટ્રીય રાજધાનીની વાયુ ગુણવત્તામાં સુધાર થવાની સંભાવના છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.