પશ્ચિમ બંગાળના આસનસોલમાં બુધવારએ ભાજપ નેતા શુભેંદુ અધિકારીએ ધાબળાના વિતરણ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી હતી. આ દરમિયાન ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે સાત જેટલા લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. મૃતકોમાં એક સગીર છોકરી અને બે મહિલાઓ સામેલ છે. નેતા વિપક્ષ શુભેંદુ અધિકારી એ કેટલાક ધાબળા વેચીને આ કાર્યક્રમની શરૂઆત કરી, જ્યાં થોડો સમય બધુ બરાબર ચાલ્યું હતું. ભાજપની યોજના પાંચ શિબિરોમાં 5000 લોકોને ધાબળા વેચવાની હતી. શુભેંદુ અધિકારી આ કાર્યક્રમમાંથી ગયા બાદ ધાબળા લેવા આવેલા લોકોની ભીડમાં ભોગદોડ મચી ગઈ હતી.
પોલીસ કમિશનરે દાવો કર્યો છે કે કાર્યક્રમ માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. તો ભાજપ તરફથી દાવો કરવામાં આવ્યો કે ધાબળા વિતરણ કાર્યક્રમની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ભોગદોડ સમયે ધાબળો લેવા માટે આવેલા લોકો ધક્કા-મુક્કી કરી રહ્યાં હતા. આ ઘટના પર શુભેંદુ અધિકારીએ કહ્યુ કે આજે મેં આસનસોલ ક્ષેત્રમાં એક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં ભાગ લીધો. હું ત્યાથી નિકળ્યો તેના એક કલાક બાદ આ દુર્ઘટના થઈ જેમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે કેટલાકને ઈજા પહોંચી છે. જ્યારે હું કાર્યક્રમ સ્થળ પર હાજર હતો તો સ્થાનીક પોલીસ તરફથી સંતોષજનક વ્યવસ્થા કરવામાં આવી હતી.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.