પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ના વડા પ્રધાન સરદાર તનવીર ઇલ્યાસનું અપમાન કર્યું હતું. જેનાથી નારાજ થઈને મુઝફ્ફરાબાદ શહેરમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હકીકતમાં, જ્યારે શહેબાઝ શરીફ કાર્યક્રમ દરમિયાન ભાષણ આપી રહ્યા હતા, ત્યારે તનવીર ઇલ્યાસે તેમને કેટલાક સૂચનો આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ શરીફે કથિત રીતે તેમનું અપમાન કર્યું અને આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ. આ પછી લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
ગુસ્સે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પાકિસ્તાન અને શાહબાઝ શરીફ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકોએ કહ્યું કે આ અપમાન સહન કરવામાં આવશે નહીં, શાહબાઝ શરીફે તાત્કાલિક તેમના વર્તન માટે માફી માંગવી જોઈએ. પ્રદર્શનકારીઓએ કહ્યું કે પાક પીએમ શહેબાઝ શરીફે પીઓકેના વડા પ્રધાન તનવીર ઇલ્યાસનું અપમાન કર્યું છે અને તેમણે તાત્કાલિક માફી માંગવી જોઈએ. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શરીફ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા, ટાયરો સળગાવ્યા હતા અને રસ્તાઓ બ્લોક કર્યા હતા.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.