આસામના નેતા બદરુદ્દીન અઝમલે કહ્યું છે કે, હિન્દુઓએ મુલસમાનની માફક નાની ઉંમરમાં લગ્ન કરવા જોઈએ. તેમણે કહ્યું છે કે, હિન્દુઓએ પોતાની વસ્તી વધારવા માટે મુસ્લિમોની ફોર્મ્યુલા અપનાવવી જોઈએ. અઝમલે કહ્યું કે, અમારા સમુદાયમાં છોકરીઓના લગ્ન 18 વર્ષમાં થઈ જાય છે. ભારત સરકાર તેની મંજૂરી આપે છે. છોકરા 22 વર્ષ થતાં જ લગ્ન કરી લે છે. એટલા માટે અમારી વસ્તી વધી રહી છે. તેમણે કહ્યું કે, હિન્દુઓએ પણ પોતાની દીકરીઓના લગ્ન 18 વર્ષમા કરી દેવા જોઈએ. મુસ્લિમોની ફોર્મ્યુલા અપનાવવી જોઈએ. વેરાન જમીન પર ખેતી થતી નથી, ફર્ટાઈલ જમીન પર થાય છે.
બદરુદ્દીન અઝમલે કહ્યું કે, મુસ્લિમ પુરુષો 20-22 વર્ષમાં લગ્ન કરી લે છે, જ્યારે મુસ્લિમ છોકરીઓના લગ્ન 18 વર્ષમાં થઈ જાય છે, જે કાયદા દ્વારા નક્કી કરેલી ઉંમર મર્યાદા છે. જ્યારે બીજી તરફ હિન્દુ 40 વર્ષ પહેલા 1..2..3 ગેરકાયદેસર સંબંધો દ્વારા પત્નીઓ રાખતા હોય છે. જેમાં બાળકો થવાં દેતા નથી. ખર્ચાઓ બચાવે છે અને મજા લૂંટી લેતા હોય છે. બદરુદ્દીન અઝમલે કહ્યું કે, 40 વર્ષ બાદ માતા-પિતાના પ્રેશરમાં, અથવા તો, ક્યાંક ફસાઈ ગયા હોય તો, એક લગ્ન કરી લેતા હોય છે. તેમણે કહ્યું કે, 40 વર્ષ બાદ બાળક પૈદા કરવાની તાકાત ક્યાં રહે છે, તો પછી કેવી રીતે બાળકો જન્મશે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.