કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજિજૂએ કહ્યુ કે, રાહુલ ગાંધી ન માત્ર ભારતીય સેનાનું અપમાન કરી રહ્યાં છે, પરંતુ દેશની છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ શુક્રવારે આરોપ લગાવ્યો હતો કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, જ્યારે ભારત સરકાર સુતી છે અને ખતરાને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે કેન્દ્રીય મંત્રી રિજિજૂએ તવાંગમાં યાંગ્ત્સે ક્ષેત્રનો પ્રવાસ કર્યો, જ્યાં ચીની અને ભારતીય સૈનિકોનું ઘર્ષણ થયું હતું. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અરૂણાચલના તવાંગમાં યાંગ્ત્સે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
અરૂણાચલ પ્રદેશના તવાંગમાં 9 ડિસેમ્બરે ચીની સૈનિક અને ભારતીય સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ચીને પછળાટ ખાવી પડી હતી. ભારતીય સેનાએ ચીની સેનાને વળતો જવાબ આપ્યો હતો. રિજિજૂએ કહ્યુ- રાહુલ ગાંધી ન માત્ર ભારતીય સેનાનું અપમાન કરી રહ્યાં છે, પરંતુ દેશની છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે. તે ન માત્ર કોંગ્રેસ પાર્ટી માટે એક સમસ્યા છે, પરંતુ દેશ માટે એક મોટી અકળામણ બની ગયા છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.