લખીમપુર ખીરીના તિકોનિયામાં થયેલી હિંસા કેસમાં મંગળવાર (6 ડિસેમ્બર) ના રોજ આશીષ મિશ્રા સહિત 14 આરોપીઓ વિરુદ્ધ આરોપ ઘડવામાં આવ્યા છે. આશીષ મિશ્રા કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર છે. જિલ્લા વહીવટી વકીલ અરવિંદ ત્રિપાઠીએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે એડિશનલ જિલ્લા ન્યાયાધીશ સુનીલ કુમાર વર્માની અદાલતમાં તિકોનિયા કાંડ કેસમાં આશીષ મિશ્રા સહિત 14 આરોપીઓ વિરુદ્ધ આરોપ નક્કી કરવામાં આવ્યા છે.
ત્રિપાઠીએ જણાવ્યું કે જે આરોપીઓ પર આરોપ નક્કી થયા તેમાં આશીષ મિશ્રાની સાથે-સાથે અંકિત દાસ, નંદન સિંહ બિષ્ટ, લતીફ કાલે, સત્યમ ઉર્ફે સત્ય પ્રકાશ ત્રિપાઠી, શેખર ભારતી, સુમિત જાયસવાલ, આશીષ પાંડે, લવકુશ રાણા, શિશુપાલ ઉલ્લાસ કુમાર ઉર્ફે મોહિત ત્રિવેદી, રિંકૂ રાણા, વીરેન્દ્ર શુક્લા અને ધર્મેન્ટ્ર બંજારા સામેલ છે. તેમણે જણાવ્યું કે વીરેન્દ્ર શુક્લા પર ઈન્ડિયન પીનલ કોડનીી કલમ 201 હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે. બાકી આરોપીઓ પર આઈપીસીની કલમ 147, 148, 149, 302, 307, 326, 427 અને 120 (ખ) અને મોટર વાહન અધિનિયમની કલમ 177 હેઠળ આરોપ નક્કી કરવામાં આવ્યા છે.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.