આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યા બાદ રવિવારે (18 ડિસેમ્બર) દિલ્હીમાં આપ સંયોજક અરવિંદ કેજરીવાલે પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું. આ અધિવેશનમાં તેમણે પાર્ટી કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને સંબોધિત કરી પાર્ટીના વિઝન વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, 2027માં ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે. અરવિંદ કેજરીવાલે પદાધિકારીઓને સંબોધિત કરતા કહ્યુ કે, ભગવાને ભારતને ઠીક કરવા માટે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે. તેમણે દાવો કર્યો કે દિલ્હીમાં તેમણે છેલ્લા 5થી 7 વર્ષમાં 12.30 લાખ લોકોને રોજગાર આપ્યો છે. તો પંજાબની આપ સરકાર 21 હજાર લોકોને સરકારી નોકરી આપી ચુકી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીએ દેખાડ્યું કે બેરોજગારી અને મોંઘવારીનું સમાધાન થઈ શકે છે પરંતુ તેની પાછળ સારી નિયત હોવી જોઈએ. તેમણે કહ્યું કે લોકો મને પૂછે છે કે આમ આદમી પાર્ટીનું વિઝન શું છે? પરંતુ મારૂ આમ આદમી પાર્ટીનું નહીં પરંતુ આ દેશને લઈને શું વિઝન છે? તેમણે કહ્યું કે, આપણા દેશે આગામી 5થી 10 વર્ષમાં ક્યાં હોવું જોઈએ, અમે તેના વિશે વિચારીએ છીએ. પરંતુ આમ આદમી પાર્ટી આ દેશના વિઝનને પૂરુ કરવાનું કામ કરશે. તેમણે કહ્યું કે અમે એવો દેશ ઈચ્છીએ છીએ જ્યાં પર દરેક જાતિ અને ધર્મના લોકો વચ્ચે પ્રેમ હોય. જાતિ અને ધર્મના નામ પર કોઈ હિંસા ન થવી જોઈએ. અરવિંદ કેજરીવાલે કહ્યુ કે જો કોઈ દેશમાં લોકો એક સાથે જોડાઈને કામ ન કરે તો દેશ ક્યારેય પ્રગતિ કરી શકતો નથી.
Support authors and subscribe to content
This is premium stuff. Subscribe to read the entire article.