<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>અમદાવાદ &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/category/ahmedabad/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Thu, 31 Jul 2025 14:44:58 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>દિવ્યાંગજનના આરોગ્યનું કવચ: નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના       </title>
		<link>https://gnsnews.co.in/auto-draft-541/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 14:44:58 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#modigovernment]]></category>
		<category><![CDATA[#NarendraModi]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124414</guid>

					<description><![CDATA[આ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭ હજારથી વધુ દિવ્યાંગજનોને આરોગ્ય વીમા કવચનો મળ્યો લાભ પેટા હેડીંગ- બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને મળ્યો લાભ (જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, રાજ્યના દિવ્યાંગજન નાગરીકોના આરોગ્યની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. દિવ્યાંગજનોને આરોગ્ય કવચ પુરુ પાડવા માટે ગુજરાત સરકારે નિરામયા...]]></description>
										<content:encoded><![CDATA[
<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols"><span style="background-color:#fa2706" class="td_text_highlight_marker">આ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭ હજારથી વધુ દિવ્યાંગજનોને આરોગ્ય વીમા કવચનો મળ્યો લાભ</span></span></strong></h4>



<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">પેટા હેડીંગ- બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને મળ્યો લાભ</span></strong></h4>



<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p>ગાંધીનગર,</p>



<p>રાજ્યના દિવ્યાંગજન નાગરીકોના આરોગ્યની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. દિવ્યાંગજનોને આરોગ્ય કવચ પુરુ પાડવા માટે ગુજરાત સરકારે નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ દિવ્યાંગજનોને વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ પુરુ પાડવામાં આવે છે.</p>



<p>મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વ હેઠળ રાજ્યના દિવ્યાંગજનોને બિમારીના સમયમાં યોગ્ય સારવાર આપવા ગુજરાત સરકાર કટીબદ્ધ છે. નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭,૦૫૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ દિવ્યાંગ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા&nbsp; રૂ. ૧૯૧.૫૬ લાખના ખર્ચે વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ આપવામાં આવ્યું છે.</p>



<p>બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજનામાં ઉક્ત ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને વીમા રક્ષણ મળવાપાત્ર છે. જેમાં હોસ્પિટલમાં દાખલ, ઓપરેશન, ઓ.પી.ડી દવાઓ અને વાહન વ્યવહારના ખર્ચનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ તમામ પ્રકારની વય જુથના દિવ્યાંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</p>



<p>અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીને કોઇપણ પ્રકારની પૂર્વ તબીબી પરીક્ષા એટલે કે મેડીકલ ટેસ્ટની જરુરીયાત રહેતી નથી અને લાભાર્થી કોઇપણ માન્ય હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે.</p>



<p>આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની કૌટુંબિક માસિક આવક રૂ. ૧૫ હજાર સુધી હોય તો માસિક રૂ. ૨૫૦ અને કૌટુંબિક માસિક આવક રૂ.૧૫ હજારથી વધુ હોય તેવા લાભાર્થીને માસિક રૂ. ૫૦૦નું પ્રીમિયમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજના સંબંધિત વિગતે માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.</p>



<p>“આ યોજના હજારો દિવ્યાંગ વ્યક્તિઓ માટે આશાનું કિરણ સાબિત થશે, જેનાથી તેઓને આર્થિક ભાર વિના ગુણવત્તાપૂર્ણ હેલ્થકેર મળી શકે છે. આ પહેલ ગુજરાતના દરેક ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું કામ કરશે.&nbsp;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>રાજ્યના કેટલા પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા નથી તેનો સરકાર ખુલાસો કરે: ગુજરાત હાઈકોર્ટ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-537/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 10:33:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#CCTV]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#GujaratHC]]></category>
		<category><![CDATA[#gujaratpolice]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124400</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. ૩૧ અમદાવાદ, સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા આદેશ કર્યો છે. હાલમાં સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p>અમદાવાદ,</p>



<p>સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા આદેશ કર્યો છે. હાલમાં સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.</p>



<p>મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હાલમાં સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી.</p>



<p>ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેની સામે પગલા લેવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત સીસીટીવી હોવા છતાં બંધ હોય તો પણ પગલાં લેવા આદેશ કર્યો હતો.CCTV બંધ અથવા નથી તેનો ખુલાસો કરવા આદેશ કરાયો હતો. કોર્ટે અધિક મુખ્ય સચિવને રિપોર્ટ રજિસ્ટ્રારને સોંપવા આદેશ કર્યો હતો. જ્યારે ગૃહ વિભાગ પોલિસ સ્ટેશનમાં CCTV અંગે જવાબ રજુ કરે તેવો પણ આદેશ કરાયો હતો.</p>



<p>હાઈકોર્ટે કેટલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી નથી, બંધ છે અથવા તો લગાવેલા નથી તેનો ખુલાસો કરવા સરકારને નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, રાજ્યનો ગૃહ વિભાગ જવાબદારી સમજી પોલીસ સ્ટેશનમાં સીસીટીવી અંગે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરે. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફરજિયાત લગાવવાના હાઈકોર્ટના આદેશનો અમલ થતો નથી તે પ્રકારની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>આત્મહત્યા કરવા જતા માનસિક દિવ્યાંગ મહિલાને ડૂબતા બચાવી સરાહનીય કામગીરી કરતી બાવળા પોલીસ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-527/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Wed, 30 Jul 2025 10:52:00 +0000</pubDate>
				<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Suicide]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124353</guid>

					<description><![CDATA[૧૮૧ અભયમની મદદથી દિવ્યાંગ મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, દિવ્યાંગ મહિલાને સહી સલામત રીતે પરિવારના માણસોને પરત સોંપવામાં આવ્યાં (જી.એન.એસ) તા. ૩૦ અમદાવાદ, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જે પૈકી બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા-ધોળકા રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તાર તથા રેલવે અન્ડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા. આ...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>૧૮૧ અભયમની મદદથી દિવ્યાંગ મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, દિવ્યાંગ મહિલાને સહી સલામત રીતે પરિવારના માણસોને પરત સોંપવામાં આવ્યાં</strong></p>



<p>(જી.એન.એસ) તા. ૩૦</p>



<p>અમદાવાદ,</p>



<p>અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જે પૈકી બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા-ધોળકા રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તાર તથા રેલવે અન્ડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા.</p>



<p>આ સમયગાળા દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર, બાવળા પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા બાળવાની રત્નદીપ સોસાયટી અને સ્વાગત રેસિડેન્સી સોસાયટી ખાતે તકેદારી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.</p>



<p>તે સમય દરમિયાન એક મહિલા કોઈ કારણસર બપોરના આશરે બે વાગ્યાના સમયે આ રેલવે અન્ડરબ્રિજના પંદર ફૂટ ઊંડા પાણીમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં હોવાનું ધ્યાને આવ્યું હતું.</p>



<p>આ સમયે બંદોબસ્તમાં ફરજ ઉપર હાજર બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ શ્રી હસમુખભાઈ હેમુભાઈ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ શ્રી રાજેશભાઈ કાંતિભાઈ, જી.આર.ડી. જવાન શ્રી મનોજભાઈ સોમાભાઈ વાઘેલા અને લોકલ લોકો દ્વારા ત્વરિત કાર્યવાહી કરી સૂઝબૂઝથી પાણીમાં પડેલ મહિલાને બહાર કાઢવામાં આવ્યાં હતાં.</p>



<p>આ મહિલાને મહિલા પોલીસ કર્મચારી સાથે બાવળા પોલીસ સ્ટેશન ખાતે લાવી, ૧૮૧ અભયમની ટીમને બોલાવી મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.</p>



<p>કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું હતું કે, મહિલાના લગ્ન બાદ છૂટાછેડા થયા હતા અને તેઓ પોતાના ભાઈ-ભાભી સાથે રહેતાં હતાં. તેઓ કોઈ&nbsp; કારણસર ઘરના માણસોને જાણકારી આપ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. મહિલા પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠેલ હોવાનું કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું હતું.</p>



<p>કાઉન્સેલિંગ દરમિયાન મહિલા પાસેથી મેળવેલા સરનામા દ્વારા મહિલાના ઘર પરિવારના માણસોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મહિલાને સહી સલામત રીતે તેમને પરત સોંપવામાં આવ્યાં હતાં.</p>



<p>પાણીમાં પડીને આત્મહત્યા કરવા જતી દિવ્યાંગ મહિલાનો જીવ બચાવીને અમદાવાદ ગ્રામ્ય પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.વી. ચૌધરી, બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ શ્રી હસમુખભાઈ ડાભી, બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ શ્રી અનિલભાઈ ડાભી, બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ મહિલા શ્રી વિજ્યેતાબહેન સોલંકી, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ શ્રી રાજેશભાઈ ગોહિલ, જી.આર.ડી. જવાન શ્રી મનોજભાઈ વાઘેલા તથા ૧૮૧ અભયમ ટીમ ધોળકા દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-472/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 29 Jul 2025 12:37:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[રાજકોટ]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#gujaratpolice]]></category>
		<category><![CDATA[#rajkot]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124156</guid>

					<description><![CDATA[અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા (જી.એન.એસ) તા.29 અમદાવાદ, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ...]]></description>
										<content:encoded><![CDATA[<div class="wp-block-image">
<figure class="aligncenter size-large is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM.jpeg"><img fetchpriority="high" decoding="async" width="576" height="1024" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-576x1024.jpeg" alt="" class="wp-image-124158" style="width:284px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-576x1024.jpeg 576w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-169x300.jpeg 169w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-768x1366.jpeg 768w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-864x1536.jpeg 864w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-600x1067.jpeg 600w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM.jpeg 899w" sizes="(max-width: 576px) 100vw, 576px" /></a></figure></div>


<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્&#x200d;સીઓ પર પડાયા દરોડા</span></strong></h4>



<p>(જી.એન.એસ) તા.29</p>



<p>અમદાવાદ,</p>



<p>રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્&#x200d;સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ ૨૦ દવાના નમુનાઓ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.</p>



<p>આ અંગે વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તંત્રના આઇ.બી. ફ્લાઇન્&#x200d;ગ સ્ક્વોડને મળેલી માહિતી મુજબ અમદાવાદ ખાતે રહેતા અરૂણસિંહ અમેરા &#8211; ૨૦, રાજનગર સોસાયટી, વટવાના રહેઠાણ પર આઇ.બી.ની ટીમે વહેલી સવારે દરોડો પાડતાં ખુબ મોટા પ્રમાણમાં સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડી પડ્યો હતો.</p>



<p>આ ઉપરાંત નિલેશ હરીલાલ ઠક્કર &#8211; બી-૭, ચુનીલાલ પાર્ક, સીટીએમ ચાર રસ્તા પાસે, અમરાઈવાડી, અમદાવાદ વટવા, અમદાવાદ ખાતેથી રૂ. ૧૨ લાખની કિંમતનો સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાનો જથ્થો તેમજ પાર્થ જગદીશભાઈ જોષીની મે. પારસ કેમિસ્ટ, દુકાન નં- ૫, પ્રથમ માળ, કાંતા એસ્ટેટ, ધાર્મિક એપાર્ટમેન્ટની સામે, ચાંમુડાનગર નજીક, બાપુનગર, અમદાવાદ ખાતેથી સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી.</p>



<p>વધુમાં કમિશનર ડૉ. એચ. જી. કોશીયાએ ઉમેર્યું કે, વડોદરા ખાતે ઓલકેર મેડિસિન્સના માલિક કિરણ ઠક્કરની દુકાનમાંથી વડોદરાની ટીમ દ્વારા ૧૧૫ સ્ટ્રીપ દવાઓ, સુરત ખાતે શીવાય મેડીકો, કતારગામના માલિક પ્રજાપતિ ગૌરવ બાબુલાલને ત્યાંથી ૧૩૬ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ તેમજ રાજકોટ ખાતે મે. નિર્મલ મેડિકલ એજન્&#x200d;સી, મોટી ટાંકી ચોક, રાજકોટની પેઢીના માલિક જીગ્નેશ વઘાસીયાને ત્યાંથી ૩૨ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ પકડવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરની અન્ય જગ્યાઓ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેથી વેચાણ થયેલ જગ્યાઓએ પણ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.</p>



<p>તેમણે જણાવ્યું હતું કે, એફડીસીએ તંત્ર દ્વારા ટોરેન્&#x200d;ટ ફાર્માની લીડીંગ પ્રોડક્ટ કાયમોરલ ફોર્ટ, ગ્લેક્સો કંપનીની ઓગમેન્&#x200d;ટીન, ઇપ્કા કંપનીની ઝેરોડોલ એસપી, બાયોસ્વીફ્ટ કંપનીની સીફીક્ઝેમ, પ્રીવોક્સો કંપનીની ડાયક્લો પેરા અન્ય રાજ્યોમાંથી આવતી સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી, આ દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટીએ ચોકનો પાવડર હોવાનું તેમજ વગર બીલે ૫૦ ટકા ભાવમાં અન્ય રાજ્યમાંથી રોકડેથી ખરીદ કરી માર્કેટમાં વેચતાં હોવાનું માલૂમ પડ્યું હતું, જેની વધુ તપાસ ચાલી રહી છે.</p>



<p>અત્રે નોંધનીય છે કે, રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તાજેતરમાં સુરત ખાતે ઓનલાઇન મીસો પર વેચાણ કરતી નકલી બનાવટી કોસ્મેટિક ઉત્પાદન કરતી પેઢી દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ખાતે સન ફાર્માની ડુપ્લિકેટ લેવીપીલ ૫૦૦ ટેબલેટનું વેચાણ પણ અગાઉ પકડી પડ્યું હતું. આમ, વિવિધ પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયા, વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ કોંગ્રેસને અલવિદા કહ્યું</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-474/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 29 Jul 2025 10:45:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[દક્ષિણ ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#congress]]></category>
		<category><![CDATA[#RahulGandhi]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124163</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા.29 ગાંધીનગર, મોટા ભાગની ચૂંટણીઓમાં હાર બાદ પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી તેના બે દિવસ જ થયા છે, ત્યાં ફરી પાર્ટીમાં ભડકો જોવા મળ્યો. હકીકતમાં રાહુલ ગાંધીની વિદાયના બે જ દિવસમાં પાર્ટીમાંથી બે રાજીનામાં પડી ગયા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા.29</p>



<p>ગાંધીનગર,</p>



<p>મોટા ભાગની ચૂંટણીઓમાં હાર બાદ પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હજુ તો રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી તેના બે દિવસ જ થયા છે, ત્યાં ફરી પાર્ટીમાં ભડકો જોવા મળ્યો. હકીકતમાં રાહુલ ગાંધીની વિદાયના બે જ દિવસમાં પાર્ટીમાંથી બે રાજીનામાં પડી ગયા છે. આણંદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ સિવાય વિધાનસભા સોશિયલ મીડિયા પ્રમુખ વિજય જોશીએ પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.&nbsp;</p>



<p>રાહુલ ગાંધીની મુલાકાતના બે દિવસમાં બે રાજીનામાં</p>



<p>નોંધનીય છે કે, બંનેએ રાજીનામું આપતા જણાવ્યું કે, આણંદ જિલ્લા કોંગ્રેસમાં આગળ જવા ક્ષત્રિય હોવું જરૂરી છે. મળતિયાઓને રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ ફાળવી દેવાયા. સેવાદળના એક કાર્યકરના આખા ઘરને પ્રવેશ પાસ અપાયા છે.&nbsp;</p>



<p>મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાહુલ ગાંધીની વિદાય બાદ કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. પક્ષમાં ગ્રાઉન્ડ લેવલે કામ કરનારા અનેક નેતા અવગણનાનો આરોપ લગાવી રહ્યા છે. તેમજ પાર્ટીમાં દલાલો અને વેચાયેલા લોકોને વધુ મહત્ત્વ આપવામાં આવે છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. આ જ કારણસર વિજય બારૈયા અને વિજય જોશીએ રાજીનામાં આપ્યાનું કહેવાય છે.&nbsp;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એસ.જી હાઇવે પર પાંચ નવા ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય </title>
		<link>https://gnsnews.co.in/auto-draft-473/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 29 Jul 2025 10:43:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabadpolice]]></category>
		<category><![CDATA[#amdavadmunicipalcorporation]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#Gujarathighcourt]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124160</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા.29 અમદાવાદ, એસ.જી હાઇવેની ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટે ફૂટ ઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, થલતેજ અંડરપાસ નજીક, પકવાન ફ્લાય ઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા.29</p>



<p>અમદાવાદ,</p>



<p>એસ.જી હાઇવેની ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટે ફૂટ ઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.</p>



<p>ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, થલતેજ અંડરપાસ નજીક, પકવાન ફ્લાય ઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આ પાંચ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. હાલ આ તમામ બ્રિજના નિર્માણ માટે ટેક્નિકલ મંજૂરી મેળવવાની બાકી છે.&nbsp;</p>



<p>આ બાબતે ગુજરાત હાઇકોર્ટે એસ.જી હાઇવેની ડિઝાઇનને લઈને અનેક સવાલ કર્યા હતા. જેના જવાબમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટને એક સોગંદનામું આપવામાં આવ્યું હતું. જેમાં ખામીયુક્ત ડિઝાઇન સુધારવા તેમજ રાહદારીઓની સલામતી માટે ડિઝાઇનને સુધારવા માટે ફૂટ ઓવરબ્રિજની જરૂરિયાત જણાઈ રહી છે. આ સિવાય એએમસીએ કોર્ટને જાણ કરી હતી કે, શહેરમાં કેમ્પ હનુમાન અને શાહીબાગ ખાતે બનાવવામાં આવેલા બે ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરૂ થઈ ગયું છે, જેના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયા છે.&nbsp;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયાના હસ્તે નઇ તાલીમ સંઘના 36માં દ્વિવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-427/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 27 Jul 2025 13:00:00 +0000</pubDate>
				<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#mansukhmandviya]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123989</guid>

					<description><![CDATA[1946થી કાર્યરત ગુજરાત નઇ તાલીમ સંઘની 1948માં નોંધણી કરવામાં આવી (જી.એન.એસ) તા. 27 અમદાવાદ, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે ગુજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાગૃહમાં&#160;36&#160;માં દ્વિવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંમેલનના ઉદ્ઘાટન પ્રવચનમાં સંબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ મોડેલનું બેઝિક એજ્યુકેશન જ હોઈ શકે...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>1946થી કાર્યરત ગુજરાત નઇ તાલીમ સંઘની 1948માં નોંધણી કરવામાં આવી</strong></p>



<p>(જી.એન.એસ) તા. 27</p>



<p>અમદાવાદ,</p>



<p>કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રી શ્રી ડો. મનસુખ માંડવીયાના હસ્તે ગુજરાત વિદ્યાપીઠના હીરક મહોત્સવ સભાગૃહમાં&nbsp;36&nbsp;માં દ્વિવાર્ષિક સંમેલનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંમેલનના ઉદ્ઘાટન પ્રવચનમાં સંબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ મોડેલનું બેઝિક એજ્યુકેશન જ હોઈ શકે છે. દેશની મૂળધરોહર સ્વીકારી અને મૂળ મોડેલ તરફ જવા નવી શિક્ષણ નીતિ અપનાવીને આગળ વધીએ. બુનિયાદી શિક્ષણના જીવનને આત્મસાત કરવા માટે સંસ્થાઓને મોડેલ બનાવવી જ પડશે. તેમણે ઉમેર્યું હતું કે સ્વચ્છતાને કાયમ રાખવા કચરાને વીણવા માટે ગામમાં નીકળવું પડે ત્યારે ગામ સાથે જોડાય છે. તેવી જ રીતે બુનિયાદી શિક્ષણના માધ્યમથી ગામડાઓ શિક્ષિત બને છે. તેઓએ ઉમેર્યું હતું કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈએ તો પહેલા ગામડામાંથી શહેરમાં સ્થળાંતર થતું હતું પરંતુ આજે શહેરમાંથી લોકો ગામડા તરફ પ્રયાણ કરી રહ્યા છે. ગામડું સ્વચ્છ છે, રોજગાર મળી રહે છે, સંસ્કારમાં ગામડું ભારતનું જીવન છે, તેથી યુવાનોમાં દિશા અને દ્રષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. મંત્રી શ્રીએ કહ્યું હતું કે એક લક્ષ્ય નક્કી કર્યું છે કે ગામડામાં બુનિયાદી શિક્ષણનો સંદેશો આપી તેઓ સમર્થકો ઊભા કરશે. વિદ્યાર્થીઓ અને યુવાનોને બુનિયાદી સંસ્થાઓમાં મોકલી બુનિયાદી સંસ્થાઓને વૈચારિક ક્રાંતિનું કેન્દ્ર જાહેર કરશે. તેમણે ઉમેર્યું હતું કે નઇ તાલીમની ગઈકાલ અને આવતીકાલ કેન્દ્રમાં રાખી બુનિયાદી શિક્ષણ માટે જાતે જવાબદારી લઈ અઠવાડિયામાં એક દિવસ બુનિયાદી શિક્ષણ માટે કાઢવો. તેમણે જણાવ્યું હતું કે તાલીમ સંઘના અધ્યક્ષ તેમ જ સભ્યો આ જવાબદારી નિભાવવા ઈચ્છુક છે. તેમણે કહ્યું હતું કે સંઘ એક પરિવાર છે. સંસ્થાઓ પણ એક પરિવાર છે. તેમની&nbsp;2022માં નઇ તાલીમ સંઘના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારથી દર બે વર્ષે અહીં દ્વિવાર્ષિક સંમેલનનું આયોજન કરવામાં આવે છે.</p>



<p>આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડો. હર્ષદભાઈ પટેલે ગુજરાત વિદ્યાપીઠ ઉર્જાનો સ્ત્રોત હોવાનું કહી જણાવ્યું હતું કે સમાજ જીવનમાં દ્રષ્ટિકોણ બદલાયો છે. નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓ તૈયાર થઈ રહ્યા છે. સમાજના નવા ઘડતર તરફ જઈ રહ્યા છે. નઇ તાલીમ સંઘમાં વધુને વધુ યુવાનો જોડાય તે માટે તેમણે અનુરોધ કર્યો હતો.</p>



<p>ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ ડો. અરુણભાઈ દવેએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંપૂર્ણપણે મનુષ્ય જાતિ માટે એક શ્રેષ્ઠ પ્રણાલી હોવાનું જણાવ્યું હતું. નવી શિક્ષણ નીતિનો અમલ થાય તો ભારતને વિશ્વ ગુરુ બનતા વાર ન લાગે.</p>



<p>આ પ્રસંગે સાહિત્યકાર અને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત શ્રી રઘુવીર ચૌધરી, ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી શ્રી હસમુખભાઈ પટેલ, ભીલ સેવા મંડળ, દાહોદના શાંતિભાઈ નીનામા, ગુજરાત વિદ્યાપીઠના પ્રોફેસર અને ગુજરાત નઇ તાલીમ સંઘના મંત્રી સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાંથી મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>હવામાન વિભાગ દ્વારા આવનારા ૪૮ કલાક માટે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-426/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 27 Jul 2025 11:57:00 +0000</pubDate>
				<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrain]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123986</guid>

					<description><![CDATA[છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા વરસાદ નોંધાયો, સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા (જી.એન.એસ) તા. 27 અમદાવાદ, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો</strong></p>



<p class="has-text-align-center"><strong>રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા વરસાદ નોંધાયો, સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા</strong></p>



<p>(જી.એન.એસ) તા. 27</p>



<p>અમદાવાદ,</p>



<p>છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે&nbsp; (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે.&nbsp;</p>



<p>અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.</p>



<p>હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.</p>



<p>28મી જુલાઈની આગાહી</p>



<p>28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.</p>



<p>શનિવારે modi રાતથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે રવિવારે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. &nbsp;નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહારને અસર&nbsp;થઇ હતી. જો કે, સ્થાનિક પ્રશાસન દ્વારા પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – 2025 મહોત્સવનો અમદાવાદમાં આરંભ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-422/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 27 Jul 2025 11:44:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#GujaratGovernor]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123972</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય, ચતુર્થ પટ્ટાધીશ આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – 2025 મહોત્સવનો અમદાવાદમાં ભવ્ય આરંભ થયો હતો. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે પ્રેરક પ્રવચન કરીને આધ્યાત્મિક મૂલ્યો, સંયમ, અને શાશ્વત સિદ્ધાંતોના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાજ્યપાલશ્રીએ આચાર્ય...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 27</p>



<p>અમદાવાદ,</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/26-2.jpg"><img decoding="async" width="555" height="468" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/26-2.jpg" alt="" class="wp-image-123974" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/26-2.jpg 555w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/26-2-300x253.jpg 300w" sizes="(max-width: 555px) 100vw, 555px" /></a></figure></div>


<p>ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે પરમ પૂજ્ય દિગંબર જૈનાચાર્ય, ચતુર્થ પટ્ટાધીશ આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજના આધ્યાત્મિક વર્ષાયોગ – 2025 મહોત્સવનો અમદાવાદમાં ભવ્ય આરંભ થયો હતો.</p>



<p>રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ અવસરે પ્રેરક પ્રવચન કરીને આધ્યાત્મિક મૂલ્યો, સંયમ, અને શાશ્વત સિદ્ધાંતોના મહત્વ પર ભાર મૂક્યો હતો.</p>



<p>રાજ્યપાલશ્રીએ આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજની પ્રશંસા કરતાં જણાવ્યું કે, &#8220;માત્ર 19 વર્ષની ઉંમરે આચાર્ય સુનીલ સાગરજીએ અધ્યાત્મનો માર્ગ, ત્યાગ અને તપસ્યાનો માર્ગ સ્વીકારી લીધો હતો. આ એવી ઉંમર હોય છે જ્યારે યુવાનો અનેક રંગીન સપનાઓ અને મહત્વાકાંક્ષાઓ ઘડતા હોય છે, ત્યારે આચાર્યજીએ સદાચાર અને પરોપકારના રાહ પર ચાલવાનું નિશ્ચિત કર્યું. તેમનો આ સંકલ્પ આજની યુવા પેઢી માટે એક અદ્ભુત પ્રેરણાસ્ત્રોત છે.&#8221;</p>



<p>રાજ્યપાલશ્રીએ કહ્યું કે, &#8220;એક વિચાર માણસનું જીવન બદલી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ સમ્યક વિચાર સાથે આગળ વધે છે, ત્યારે તે હંમેશા કલ્યાણકારી હોય છે.&#8221;</p>



<p>તેમણે ધર્મ અને સંપ્રદાય વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતાં કહ્યું કે, &#8220;ધર્મ એ ટકાઉ સિદ્ધાંતોને ધારણ કરવા બરાબર છે. હિંદુ, મુસલમાન, ઈસાઈ, જૈન, બૌદ્ધ – આ બધા મજહબ છે, સંપ્રદાય છે. ધર્મનો ખ્યાલ જુદો છે. જે ધારણ કરવામાં આવે તે ધર્મ છે. ટકાઉ વિચાર હંમેશા ધારણ કરવા યોગ્ય હોય છે. જેમ કે સત્ય અને અસત્ય. જો દુનિયા આખી અસત્ય બોલવા લાગે અને આવતીકાલથી નક્કી કરીએ કે બધા જ અસત્ય બોલશે, તો તમે લોકો જે વ્યાપાર સાથે સંકળાયેલા છો તે સમજી જશો કે વ્યવસ્થા કેવી રીતે ચાલશે? કોઈનો કોઈ પર વિશ્વાસ નહીં રહે અને સમાજ પડી ભાંગશે. એવી જ રીતે હિંસા અને અહિંસા બંનેને આ વાત લાગુ પાડી જોઈએ અને કયો વિચાર ટકે છે તે જોઈએ. જો નક્કી કરવામાં આવે કે કાલથી બધા જ હિંસા કરી શકશે, કોઈને પણ અન્યને મારવાની છૂટ છે, તો દુનિયા ટકશે નહીં, જલ્દી નાશ થઈ જશે. આથી અહિંસા જ સત્ય છે. આમ, ધર્મ એ આવા ટકાઉ, શાશ્વત અને સનાતન સિદ્ધાંતોને અપનાવવા બરાબર છે. ટકાઉ સિદ્ધાંતોનું આચરણ કરીએ તે જ ધર્મ છે.&#8221;</p>



<p>રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે બ્રાહ્મી લિપિમાં અને પ્રાકૃત ભાષામાં લખાયેલા મહત્વપૂર્ણ ધાર્મિક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.</p>



<p>આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ પ્રાકૃત ભાષાના ઐતિહાસિક અને સાહિત્યિક મહત્વ પર વિસ્તૃત પ્રકાશ પાડતાં કહ્યું કે, &#8220;પ્રાકૃત ભાષા એ માત્ર એક બોલચાલની ભાષા નહોતી, પરંતુ તે પ્રાચીન ભારતના સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનો અરીસો હતી. જૈન ધર્મના અનેક મહામૂલ્યવાન ગ્રંથો, જેમ કે આગમ સૂત્રો, આ પ્રાકૃત ભાષામાં જ રચાયેલા છે. આ ભાષા સંસ્કૃત જેટલી જ સમૃદ્ધ અને વ્યાકરણબદ્ધ હતી, પરંતુ તે સામાન્ય જનજીવનની વધુ નજીક હતી, જેના કારણે બુદ્ધ અને મહાવીર જેવા મહાન તત્વજ્ઞાનીઓએ પોતાના ઉપદેશો જનસામાન્ય સુધી પહોંચાડવા માટે પ્રાકૃતનો સહારો લીધો હતો. આ ભાષાએ ભારતીય જ્ઞાન પરંપરાને એક વિશાળ જન સમુદાય સુધી પહોંચાડીને લોકશાહીકરણનું કાર્ય કર્યું.&#8221;</p>



<p>તેમણે ઉમેર્યું કે, &#8220;આ પ્રાકૃત ભાષાને લખવા માટે બ્રાહ્મી લિપિનો ઉપયોગ થતો હતો. બ્રાહ્મી માત્ર એક લિપિ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિના વારસાનું પ્રતિક છે. આ લિપિમાંથી જ આજની લગભગ તમામ આધુનિક ભારતીય લિપિઓ વિકસી છે.&nbsp; આથી, બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ આપણને આપણા મૂળિયાં, આપણા ઇતિહાસ અને આપણા સમૃદ્ધ સાહિત્યિક વારસાને સમજવામાં મદદ કરે છે.&#8221;</p>



<p>રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે અપરિગ્રહના વિચારની જીવનમાં ઉપયોગીતા વિશે જણાવતાં કહ્યું કે, &#8220;દુનિયાભરની સંપત્તિ અને સામાન એકત્ર કરવાની જરૂર નથી. અપરિગ્રહનો અર્થ એ છે કે વ્યક્તિ પોતાની જરૂરિયાત પૂરતું જ ધારણ કરે અને બાકીનો સંગ્રહ ન કરે. અતિશય સંગ્રહવૃત્તિ માત્ર માનસિક બોજ જ નહીં, પણ સામાજિક અસમાનતા અને સંઘર્ષનું પણ કારણ બને છે. જે વ્યક્તિ અપરિગ્રહના સિદ્ધાંતને અપનાવે છે, તે સાચી શાંતિ અને સંતોષનો અનુભવ કરે છે. આ વિચાર વ્યક્તિને ભૌતિકવાદી દોડમાંથી મુક્ત કરીને આત્મસંતોષ અને પરોપકારના માર્ગે વાળે છે, જે સુખી અને સંતુલિત જીવન માટે અનિવાર્ય છે.&#8221;</p>



<p>આ અવસરે, આચાર્યશ્રી સુનીલ સાગરજી મહારાજે ઉપસ્થિતોને આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવેલા પ્રવચનના ઊંડાણ અને હૃદયસ્પર્શી વિચારોની સરાહના કરી, અને આશીર્વાદ આપ્યા કે આવા ઉચ્ચ વિચારો સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં નિમિત્ત બને છે.</p>



<p>આ અવસરે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને જૈન સમાજના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આચાર્ય શ્રી સુનીલ સાગરજી મહામુનિરાજનાં દર્શન અને તેમના આશીર્વચનોનો લાભ લીધો હતો.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>અમદાવાદ મનપા. ની પ્રિ મોન્સૂન પ્લાનિંગની ખુલી પોલ!! ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી; AMTS અને BRTSની બસોની સવાઓ થોડા સમય માટે ખોરવાઈ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-425/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 27 Jul 2025 10:55:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#amdavadmunicipalcorporation]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#Heavyrain]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123982</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, અમદાવાદમાં વરસેલા મૂશળધાર વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળકફર્યૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, નારોલ, અને ખોખરા જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન પ્લાનિંગની વધુ એક...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 27</p>



<p>અમદાવાદ,</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/23-2-3.jpg"><img decoding="async" width="658" height="335" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/23-2-3.jpg" alt="" class="wp-image-123984" style="width:532px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/23-2-3.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/23-2-3-300x153.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/23-2-3-600x305.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p>અમદાવાદમાં વરસેલા મૂશળધાર વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળકફર્યૂ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, નારોલ, અને ખોખરા જેવા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન પ્લાનિંગની વધુ એક વખત ફેલ અને નાકામ જોવા મળી.</p>



<p>વરસાદને કારણે શહેરમાં લાઈફ લાઈન તરીકે ઓળખાતી AMTS અને BRTSની બસોને અસર થઈ હતી. પાણી ભરાઈ જવાને કારણે AMTSની ૨૫થિ વધુ બસો બ્રેકડાઉન થતાં રૂટ બંધ અથવા ડાયવર્ત&nbsp; કરવામાં આવ્યો હતો.</p>



<p>ખાસ કરી ને મણિનગર, જશોદાનગર, દાણીલીમડા, લાંભા, નારોલ, ખોખરા, પાલડી, આનંદનગર, વેજલપુર, જીવરાજ પાર્ક, શાહઆલમ, નિકોલ, નરોડા, સરસપુર, રખિયાલ, અજીતમિલ, ઓઢવ, વટવા, વસ્ત્રાલ, અસલાલી, મકરબા, ઠક્કરનગર, બાપુનગર, હાટકેશ્વર, CTM, ઘોડાસર, ઇસનપુર, થલતેજ, ગોતા, શીલજ, શેલા, સાયન્સ સિટી, મોટેરા, સાબરમતી, જગતપુર. આ તમામ વિસ્તારોમાં માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ ગયા છે, અનેક દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, અને સોસાયટીઓમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે.</p>



<p>અવિરત વરસાદને કારણે પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. નારોલ, બાપુનગર, દાણી લીમડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. આ ઉપરાંત એપરલ પાર્ક મેટ્રો સ્ટેશનની નીચેનો રોડ પણ પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણીની સ્થિતિમાં અનેક વાહન ચાલકો તેમના વાહનો બંધ થતાં ફસાયા હતાં.</p>



<p>ચોમાસા પહેલા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં માત્ર 3 થી 4 ઇંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.&nbsp; વરસાદ રોકાયા પછી પણ પાણીના નિકાલમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે વેપારીઓને મોટું નુકસાન થયું છે અને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.ગટર બેક મારવાની સમસ્યા: દાણીલીમડા સહિત અનેક વિસ્તારોમાં ગટરના પાણી બેક મારવાની શરૂઆત થઈ, જે સ્વચ્છતા અને આરોગ્ય માટે જોખમી છે. સાથેજ અનેક રહેણાક વિસ્તારોમાં ગટરમાંથી પાણી બેક આવાની સમસ્યાઓ પર જોવા મળી હતી.</p>



<p>તેમજ અમદાવાદ-વડોદરા જુના હાઈવે પર, ખાસ કરીને અસલાલીથી વડોદરા હાઈવે સુધી, અમુક ભાગોમાં પાણી ભરાયા હતા, જેનાથી વાહનવ્યવહારને અસર થઈ હતી.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
