<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>વડોદરા &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/category/baroda/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Tue, 29 Jul 2025 12:37:00 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-472/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 29 Jul 2025 12:37:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[રાજકોટ]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#gujaratpolice]]></category>
		<category><![CDATA[#rajkot]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124156</guid>

					<description><![CDATA[અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા (જી.એન.એસ) તા.29 અમદાવાદ, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ...]]></description>
										<content:encoded><![CDATA[<div class="wp-block-image">
<figure class="aligncenter size-large is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM.jpeg"><img fetchpriority="high" decoding="async" width="576" height="1024" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-576x1024.jpeg" alt="" class="wp-image-124158" style="width:284px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-576x1024.jpeg 576w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-169x300.jpeg 169w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-768x1366.jpeg 768w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-864x1536.jpeg 864w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-600x1067.jpeg 600w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM.jpeg 899w" sizes="(max-width: 576px) 100vw, 576px" /></a></figure></div>


<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્&#x200d;સીઓ પર પડાયા દરોડા</span></strong></h4>



<p>(જી.એન.એસ) તા.29</p>



<p>અમદાવાદ,</p>



<p>રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્&#x200d;સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ ૨૦ દવાના નમુનાઓ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.</p>



<p>આ અંગે વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તંત્રના આઇ.બી. ફ્લાઇન્&#x200d;ગ સ્ક્વોડને મળેલી માહિતી મુજબ અમદાવાદ ખાતે રહેતા અરૂણસિંહ અમેરા &#8211; ૨૦, રાજનગર સોસાયટી, વટવાના રહેઠાણ પર આઇ.બી.ની ટીમે વહેલી સવારે દરોડો પાડતાં ખુબ મોટા પ્રમાણમાં સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડી પડ્યો હતો.</p>



<p>આ ઉપરાંત નિલેશ હરીલાલ ઠક્કર &#8211; બી-૭, ચુનીલાલ પાર્ક, સીટીએમ ચાર રસ્તા પાસે, અમરાઈવાડી, અમદાવાદ વટવા, અમદાવાદ ખાતેથી રૂ. ૧૨ લાખની કિંમતનો સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાનો જથ્થો તેમજ પાર્થ જગદીશભાઈ જોષીની મે. પારસ કેમિસ્ટ, દુકાન નં- ૫, પ્રથમ માળ, કાંતા એસ્ટેટ, ધાર્મિક એપાર્ટમેન્ટની સામે, ચાંમુડાનગર નજીક, બાપુનગર, અમદાવાદ ખાતેથી સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી.</p>



<p>વધુમાં કમિશનર ડૉ. એચ. જી. કોશીયાએ ઉમેર્યું કે, વડોદરા ખાતે ઓલકેર મેડિસિન્સના માલિક કિરણ ઠક્કરની દુકાનમાંથી વડોદરાની ટીમ દ્વારા ૧૧૫ સ્ટ્રીપ દવાઓ, સુરત ખાતે શીવાય મેડીકો, કતારગામના માલિક પ્રજાપતિ ગૌરવ બાબુલાલને ત્યાંથી ૧૩૬ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ તેમજ રાજકોટ ખાતે મે. નિર્મલ મેડિકલ એજન્&#x200d;સી, મોટી ટાંકી ચોક, રાજકોટની પેઢીના માલિક જીગ્નેશ વઘાસીયાને ત્યાંથી ૩૨ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ પકડવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરની અન્ય જગ્યાઓ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેથી વેચાણ થયેલ જગ્યાઓએ પણ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.</p>



<p>તેમણે જણાવ્યું હતું કે, એફડીસીએ તંત્ર દ્વારા ટોરેન્&#x200d;ટ ફાર્માની લીડીંગ પ્રોડક્ટ કાયમોરલ ફોર્ટ, ગ્લેક્સો કંપનીની ઓગમેન્&#x200d;ટીન, ઇપ્કા કંપનીની ઝેરોડોલ એસપી, બાયોસ્વીફ્ટ કંપનીની સીફીક્ઝેમ, પ્રીવોક્સો કંપનીની ડાયક્લો પેરા અન્ય રાજ્યોમાંથી આવતી સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી, આ દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટીએ ચોકનો પાવડર હોવાનું તેમજ વગર બીલે ૫૦ ટકા ભાવમાં અન્ય રાજ્યમાંથી રોકડેથી ખરીદ કરી માર્કેટમાં વેચતાં હોવાનું માલૂમ પડ્યું હતું, જેની વધુ તપાસ ચાલી રહી છે.</p>



<p>અત્રે નોંધનીય છે કે, રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તાજેતરમાં સુરત ખાતે ઓનલાઇન મીસો પર વેચાણ કરતી નકલી બનાવટી કોસ્મેટિક ઉત્પાદન કરતી પેઢી દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ખાતે સન ફાર્માની ડુપ્લિકેટ લેવીપીલ ૫૦૦ ટેબલેટનું વેચાણ પણ અગાઉ પકડી પડ્યું હતું. આમ, વિવિધ પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં સ્કુલ બસની બ્રેક ફેલ થતા વીજપોલ સાથે અથડાઈ; તમામ વિદ્યાર્થીઓ સુરક્ષીત</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-468/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Mon, 28 Jul 2025 12:56:00 +0000</pubDate>
				<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<category><![CDATA[Accident]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124131</guid>

					<description><![CDATA[વડોદરાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસનો અકસ્માત (જી.એન.એસ) તા. 28 વડોદરા, વડોદરામાં બપોરે દિવાળીપુરા વિસ્તારમાં, નવી કોર્ટ નજીક&#160;નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીઓને લઇ જતી બસ આજે બપોરના સમયે ધડાકાભેર થાંભલામાં ઘૂસી ગઇ હોવાની ઘટના સામે આવી છે. મોટો ધડાકો થતાની સાથે જ નજીકના કોમ્પ્લેક્ષમાંથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના સમયે બસમાં સવાર બાળકો પણ ડરના...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>વડોદરાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની બસનો અકસ્માત</strong></p>



<p>(જી.એન.એસ) તા. 28</p>



<p>વડોદરા,</p>



<p>વડોદરામાં બપોરે દિવાળીપુરા વિસ્તારમાં, નવી કોર્ટ નજીક&nbsp;નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીઓને લઇ જતી બસ આજે બપોરના સમયે ધડાકાભેર થાંભલામાં ઘૂસી ગઇ હોવાની ઘટના સામે આવી છે. મોટો ધડાકો થતાની સાથે જ નજીકના કોમ્પ્લેક્ષમાંથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના સમયે બસમાં સવાર બાળકો પણ ડરના માર્યા બુમો પાડતા હોવાનું જાણવા મળી રહ્યું છે. થાંભલામાં ઘૂસતા પહેલા બસની અડફેટે બે કાર આવી હોવાનું સ્થાનિકોનું જણાવવું છે. આ ઘટનામાં બસની બ્રેક ફેલ થઇ ગઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. ઘટના સમયે બસમાં 10 જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા, જે તમામ સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બસની આગળના ભાગે IB &#8211; 1 લખેલું હતું. જેનો સામાન્ય અર્થ ઇન્ટરનેશનલ બોર્ડ &#8211; 1 થાય છે. નવરચના સ્કૂલમાં સૌથી મોંઘી ફી આ બોર્ડમાં જ વસુલવામાં આવે છે, ત્યારે તેના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉભા થવા પામ્યા છે.</p>



<p>કારને નાનુ-મોટું નુકશાન થવા પામ્યું</p>



<p>આજે બપોરના સમયે ડી. આર. અમીન સ્કુલના વળાંક પાસે સ્કૂલ બસની દુર્ઘટના સામે આવી છે. આજે શહેરની જાણીતી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીઓને લઇ જતી બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. બસ બેકાબુ બનતા બે કારને અડફેટે લઈને સીધી જ થાંભલામાં ઘૂસી ગઇ છે. આ ઘટના સમયે બસમાં 10 જેટલા વિદ્યાર્થીઓ હાજર હોવાનું સ્થાનિકોનું જણાવવું છે. બસ ધડાકાભેર થાંભલામાં ઘૂસી જતા આસપાસના લોકો દોડીને આવી પહોંચ્યા હતા. આ ઘટનામાં બેકાબુ બસની અડફેટે આવેલી કારને નાનુ-મોટું નુકશાન થવા પામ્યું છે. સાથે જ બસ થાંભલામાં ઘૂસતા તે વચ્ચેથી નમી પડ્યો હતો, એટલું જ નહીં થાંભાલનો ઉપરનો ભાગ તુટીને બસના ઉપર પડ્યો હતો.</p>



<p>તમામ સુરક્ષિત છે</p>



<p>સ્થાનિકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું છે કે, બસની બ્રેક ચોમાસાના કારણે ફેલ થવાની આશંકા સેવાઇ રહી છે. બસમાં વિદ્યાર્થીઓ બેઠા હતા, સદ્નસીબે કોઇને પણ ઇજા થઇ નથી. તમામ સુરક્ષિત છે. અત્રે નોંધનીય છે કે, બસ દુર્ઘટનામાં કોઇને નાની-મોટી ઇજાઓ નહીં પહોંચતા તમામે રાહતનો શ્વાસ લીધો છે. જો આ બસ આટલેથી ના અટકી હોય તો મોટી દુર્ઘટના થવાની શક્તયાઓ નકારી શકાય તેમ નથી.</p>



<p>ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં ડ્રાઈવરની સમયસૂચકતા અને બહાદુરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. તેના ત્વરિત નિર્ણયે એક મોટી દુર્ઘટનાને અટકાવી અને બાળકોના જીવ બચાવ્યા. વાલીઓએ પણ ડ્રાઈવરનો આભાર માન્યો છે, જેમણે પોતાની સૂઝબૂઝથી બાળકોને સુરક્ષિત રાખ્યા.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>જેટલી મજબૂત લોજિસ્ટીક, તેટલી જ મજબૂત સીમાઓ : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-428/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 27 Jul 2025 14:03:00 +0000</pubDate>
				<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#RajnathSingh]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123992</guid>

					<description><![CDATA[છેલ્લા 11 વર્ષમાં ભારતીય રેલવેમાં અભૂતપૂર્વ માળખાકીય પરિવર્તન: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ (જી.એન.એસ) તા. 27 વડોદરા, વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો,&#160;જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે કહ્યું હતું કે ભારત તેના માળખાગત સુવિધાઓ અને લોજીસ્ટિક્સ ક્ષેત્રોમાં...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>છેલ્લા 11 વર્ષમાં ભારતીય રેલવેમાં અભૂતપૂર્વ માળખાકીય પરિવર્તન: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ</strong></p>



<p>(જી.એન.એસ) તા. 27</p>



<p>વડોદરા,</p>



<p>વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો હતો,&nbsp;જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે કહ્યું હતું કે ભારત તેના માળખાગત સુવિધાઓ અને લોજીસ્ટિક્સ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોઈ રહ્યું છે,&nbsp;જે દેશના આર્થિક વિકાસ માટે મજબૂત પાયો નાખે છે.</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/20-2-1.jpg"><img decoding="async" width="658" height="439" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/20-2-1.jpg" alt="" class="wp-image-123994" style="width:579px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/20-2-1.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/20-2-1-300x200.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/20-2-1-600x400.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p>વધુમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રને&nbsp;21મી સદીના ભારત માટે ગેમ ચેન્જર ગણાવતા મંત્રીએ કહ્યું કે આ ક્ષેત્રમાં યુવાનો માટે પુષ્કળ તકો છે અને તે વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. શ્રી સિંહે વિકસિત ભારતનાં નિર્માણમાં યુવાઓને જવાબદારી લેવા હાકલ કરી હતી.</p>



<p>તેમણે લોજિસ્ટિક્સનાં મહત્વને સમજાવતા તેમણે જણાવ્યું હતું કે જેટલી મજબૂત લોજિસ્ટીક સેવાઓ,&nbsp;તેટલી જ મજબૂત આપણી સીમાઓ રહે છે. દેશના કોઈ એક ભાગમાં તૈયાર થતાં સંરક્ષણ ઉત્પાદનો કે સૈનિકો માટેની ખાદ્ય સામગ્રી આપણે સમયસર સીમા પર પહોંચાડીએ છીએ,&nbsp;ત્યારે સીમા પ્રહરીઓનું મનોબળ મજબૂત બને છે.</p>



<p>સરકારની પહેલો પર પ્રકાશ પાડતા,&nbsp;શ્રી સિંહે કહ્યું કે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા અને મિશન મોડ યોજનાઓના અમલીકરણ જેવી પહેલોથી લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ડેટા-આધારિત નિર્ણય લેવામાં પ્રોત્સાહન મળ્યું છે.</p>



<p>દીક્ષાંત સમારોહને સંબોધન કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં ચાન્સેલર શ્રી અશ્વિની વૈષ્ણવે છેલ્લા&nbsp;11&nbsp;વર્ષમાં ભારતીય રેલવેમાં થયેલા પરિવર્તનકારી ફેરફારો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી કે એક વર્ષમાં જ રેલ નેટવર્કમાં&nbsp;5,300&nbsp;કિમીનું વિસ્તરણ થયું છે,&nbsp;જ્યારે ટનલ બાંધકામનો વ્યાપ&nbsp;368&nbsp;કિમી સુધી પહોંચ્યો છે.</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/20-3-1.jpg"><img decoding="async" width="658" height="493" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/20-3-1.jpg" alt="" class="wp-image-123995" style="width:507px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/20-3-1.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/20-3-1-300x225.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/20-3-1-600x450.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p>ઇતિહાસમાં અઢીસો વર્ષનાં સમયગાળાને બાદ કરતાં ભારત હમેશા વિશ્વનાં ટોચનાં અર્થતંત્રમાં રહ્યું છે. ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય જેવી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આપણે દરેક ક્ષેત્ર કેન્દ્રિત માનવ સંસાધનનાં નિર્માણ થકી ભારતને ફરી એકવાર ટોચનું અર્થતંત્ર બનાવવા પર તેમણે ભાર મૂક્યો હતો. ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા&nbsp;40&nbsp;જેટલા વિવિધ ઔધોગિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં મરીન એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઈન્ડસ્ટ્રીઝ સાથે સમજૂતી કરવાનું સૂચન પણ તેમણે આપ્યું હતું.</p>



<p>શ્રી વૈષ્ણવે સ્નાતક વિદ્યાર્થીઓને ભારતની વિકાસ યાત્રામાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા અને આ ક્ષેત્રમાં નવીનતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયને &#8220;વિકાસના એન્જિન&#8221; તરીકે ગણાવી હતી અને વિદ્યાર્થિઓને&nbsp;2047&nbsp;સુધીમાં વિકસિત ભારતના વિઝનને ટેકો આપવાનો આગ્રહ કર્યો હતો.</p>



<p>દિક્ષાંત સમારોહમાં કુલ&nbsp;194&nbsp;વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં ડિગ્રી પ્રાપ્ત થઈ છે. દરેક કોર્ષમાંથી એક વિદ્યાર્થીને શૈક્ષણિક શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો,&nbsp;જ્યારે ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ અને શ્રેષ્ઠ વિદ્યાર્થી પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા હતા.</p>



<p>જીએસવીનાં વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ મનોજ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં સંસ્થાની છેલ્લા ત્રણ વર્ષની કામગીરી અંગેની માહિતી આપી હતી.</p>



<p>આ કાર્યક્રમમાં વડોદરાનાં સાંસદ ડૉ હેમાંગ જોશી,&nbsp;રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ,&nbsp;ભારતીય સેના અને રેલવેનાં ઉચ્ચ અધિકારીઓ,&nbsp;વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.</p>



<p>વડોદરા પહોંચીને રેલવે મંત્રીએ એરપોર્ટ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી અને ગુજરાતના વિવિધ રેલવે પ્રોજેક્ટસની કામગીરી અંગે માહિતી મેળવી હતી.</p>



<p>દીક્ષાંત સમારોહ પહેલા રેલવે મંત્રીએ અધિકારીઓ સાથે પ્રધાનમંત્રીની &#8220;મન કી બાત&#8221; કાર્યક્રમ સાંભળ્યો હતો અને સમારોહ પછી તેઓએ&nbsp; રેલવે મંત્રીએ વડોદરાના સાવલી ખાતે&nbsp;અલસ્ટોમ ફેકટરીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે&nbsp; અલ્સ્ટોમની જાળવણી પ્રવૃત્તિઓની ખાસ સમીક્ષા કરી હતી. રેલવે મંત્રીએ&nbsp;GSV&nbsp;સાથે સહયોગમાં તાલીમ કાર્યક્રમ વિકસાવવા અંગે સૂચન કર્યું હતું.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ફક્ત ૧૨ માસમાં રૂ. ૨૧૨ કરોડના ખર્ચે તૈયાર થશે નવો બ્રિજ – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-209/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Wed, 16 Jul 2025 13:55:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#RushikeshPatel]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123211</guid>

					<description><![CDATA[ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું (જી.એન.એસ) તા. 16 વડોદરા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગની કેટલીક મહત્વની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જે અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીશ્રી ની સૂચનાને પગલે ગંભીરા બ્રિજના નવા વધારાના...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું</strong></p>



<p>(જી.એન.એસ) તા. 16</p>



<p>વડોદરા,</p>



<p>મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે આજરોજ મળેલી કેબિનેટ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગની કેટલીક મહત્વની કામગીરીની સમીક્ષા કરાઇ હતી. જે અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, મુખ્યમંત્રીશ્રી ની સૂચનાને પગલે ગંભીરા બ્રિજના નવા વધારાના બ્રિજ માટે રૂ. ૨૧૨ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.</p>



<p>સામાન્ય સંજોગોમાં આવા પુલના કામો માટે ૧૮ માસની સમય મર્યાદા રાખવામાં આવતી હોય છે પરંતુ ગંભીરા બ્રિજના કિસ્સામાં વિભાગ કક્ષાએ વિગતવાર રીવ્યું કરીને પ્રજાને વહેલી સુવિધા પ્રાપ્ત થાય તે માટે આગામી ચોમાસા પહેલાં કામગીરી એટલે કે ૧૨ માસમાં પૂર્ણ કરવાની સૂચના મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવી છે. જેના માટે આગામી ૩ માસમાં વર્ક ઓર્ડર આપી કામ શરૂ કરાશે.</p>



<p>વધુમા પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, વિભાગના આલેખન વર્તુળના ઇજનેરો, પુલોના નિષ્ણાંત કન્સલ્ટન્ટ તેમજ વર્તુળ અને ક્ષેત્રિય કચેરીઓના અધિકારીઓ દ્વારા એક અઠવાડિયામાં ૧૮૦૦ થી વધુ નાના-મોટા પુલોની સ્થળ મુલાકાત લઈને ઇન્સ્પેક્શન કરાયું છે. જે પુલોમાં વધુ તપાસની જરૂર હોય એવા ૧૩૩ પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવેલ છે.</p>



<p>આ ૧૩૩ પુલો પૈકી ૨૦ પુલો તમામ વાહનો માટે, જ્યારે ૧૧૩ પુલો ભારે વાહનો માટે બંધ કરવામાં આવેલ છે જેના પર હળવા વાહનોનો વાહનવ્યવહાર સુગમ રીતે ચાલુ રખાયા છે.</p>



<p>આ ૧૩૩ બંધ કરેલ પુલોમાં NDT (નોન-ડીસ્ટ્રક્ટીવ ટેસ્ટ) કરાવી, જરૂરિયાત મુજબ મરામત, મજબૂતીકરણ, પુન: બાંધકામની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે.</p>



<p>વિભાગ હસ્તકના રાજ્ય, પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના એકંદરે કુલ ૧.૧૯ લાખ કિ.મી.થી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ પૈકી ભારે વરસાદના લીધે કુલ માર્ગોના ૨.૫ ટકા ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર ૫૬.૨૭ ટકા પેચવર્કની કામગીરી અને ૭૦% થી વધુ પોટ હોલ્સ ભરવાની કામગીરી પૂર્ણ કરવા કરી દેવામાં આવી છે. તેમજ બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી ત્વરાએ પૂર્ણ કરવા માટે રાત દિવસ સતત કામગીરી કરવામાં આવી રહી છે.</p>



<p>છેલ્લા ૪ દિવસમાં ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા ૧૦,૭૬૭ થી વધીને ૩૫,૧૧૮ થઇ. આમ, નવા ૨૪,૩૫૧ નાગરીકો (૨૨૬% નો વધારો) દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવેલ છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>વડોદરા ખાતે ટ્રાઇનો ગ્રાહક સંપર્ક કાર્યક્રમ યોજાશે</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-145/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 15 Jul 2025 11:52:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123002</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 15 વડોદરા, ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)&#160;ની જયપુર પ્રાદેશિક કચેરી 17-07-2025ના રોજ સવારે 10.00 વાગ્યાથી પારુલ યુનિવર્સિટી,&#160;પોસ્ટ: લીમડા,&#160;તાલુકો: વાઘોડિયા,&#160;વડોદરા,&#160;ગુજરાત-391760 ખાતે ગ્રાહક સંપર્ક કાર્યક્રમ (COP)નું આયોજન કરી રહી છે. કાર્યક્રમનો વિષય&#160;&#8216;સાયબર સ્વચ્છતા&#8217;&#160;રહેશે. આ કાર્યક્રમમાં,&#160;ટેલિકોમ અને પ્રસારણ ગ્રાહકોને સાયબર સ્વચ્છતા જાળવવા અને આ સાયબર છેતરપિંડીના જોખમને કેવી રીતે કાબુમાં લેવું તે અંગે જાગૃત કરવામાં આવશે...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 15</p>



<p>વડોદરા,</p>



<p>ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)&nbsp;ની જયપુર પ્રાદેશિક કચેરી 17-07-2025ના રોજ સવારે 10.00 વાગ્યાથી પારુલ યુનિવર્સિટી,&nbsp;પોસ્ટ: લીમડા,&nbsp;તાલુકો: વાઘોડિયા,&nbsp;વડોદરા,&nbsp;ગુજરાત-391760 ખાતે ગ્રાહક સંપર્ક કાર્યક્રમ (COP)નું આયોજન કરી રહી છે. કાર્યક્રમનો વિષય&nbsp;&#8216;સાયબર સ્વચ્છતા&#8217;&nbsp;રહેશે. આ કાર્યક્રમમાં,&nbsp;ટેલિકોમ અને પ્રસારણ ગ્રાહકોને સાયબર સ્વચ્છતા જાળવવા અને આ સાયબર છેતરપિંડીના જોખમને કેવી રીતે કાબુમાં લેવું તે અંગે જાગૃત કરવામાં આવશે અને શિક્ષિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં,&nbsp;ટ્રાઇના અધિકારીઓ,&nbsp;ટેલિકોમ વિભાગ,&nbsp;ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને ગુજરાત પોલીસના સાયબર સુરક્ષા નિષ્ણાત દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવશે.</p>



<p>આ કાર્યક્રમમાં તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓ (ટેલિકોમ ઓપરેટરો),&nbsp;મલ્ટી સર્વિસ ઓપરેટરો (કેબલ ઓપરેટરો),&nbsp;ગ્રાહક હિમાયતી જૂથો,&nbsp;પારુલ યુનિવર્સિટી,&nbsp;વડોદરાના વિદ્યાર્થીઓ/ફેકલ્ટી સભ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. શ્રી રાજેશ કુમાર અગ્રવાલ, ITS,&nbsp;સલાહકાર, TRAI&nbsp;પ્રાદેશિક કાર્યાલય જયપુર આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.</p>



<p>આ કાર્યક્રમમાં,&nbsp;ટેલિકોમ સેવા પ્રદાતાઓ અને કેબલ/DTH&nbsp;સેવાઓની ગ્રાહક ફરિયાદ નિવારણ પ્રણાલી અને સાયબર સુરક્ષા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાંઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>પોસ્ટલ પેન્શનરો માટે 28 જુલાઈના રોજ પેન્શન અદાલતનું આયોજન</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-113/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 15 Jul 2025 11:46:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122897</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 15 વડોદરા, પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ પેન્શનરોની ફરિયાદોના નિવારણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.&#160;આ પેન્શન અદાલત&#160;28 જુલાઈ, 2025 (સોમવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે યોજાશે.&#160;પેન્શન અદાલત&#160;પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા-390002ની ઓફિસ&#160;ખાતે યોજાશે.&#160;પોસ્ટમાસ્ટર જનરલ&#160;દરેક ફરિયાદ વ્યક્તિગત રીતે સાંભળશે. ફક્ત પેન્શન સંબંધિત ફરિયાદો જ સ્વીકારવામાં આવશે.ફરિયાદ મોકલવાની છેલ્લી તારીખ&#160;21 જુલાઈ, 2025 (સોમવાર)&#160;છે.&#160;ફક્ત પેન્શન સંબંધિત ફરિયાદો...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 15</p>



<p>વડોદરા,</p>



<p>પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ પેન્શનરોની ફરિયાદોના નિવારણ માટે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.&nbsp;આ પેન્શન અદાલત&nbsp;28 જુલાઈ, 2025 (સોમવાર)ના રોજ સવારે 11:00 વાગ્યે યોજાશે.&nbsp;પેન્શન અદાલત&nbsp;પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા-390002ની ઓફિસ&nbsp;ખાતે યોજાશે.&nbsp;પોસ્ટમાસ્ટર જનરલ&nbsp;દરેક ફરિયાદ વ્યક્તિગત રીતે સાંભળશે.</p>



<p>ફક્ત પેન્શન સંબંધિત ફરિયાદો જ સ્વીકારવામાં આવશે.ફરિયાદ મોકલવાની છેલ્લી તારીખ&nbsp;21 જુલાઈ, 2025 (સોમવાર)&nbsp;છે.&nbsp;ફક્ત પેન્શન સંબંધિત ફરિયાદો એકાઉન્ટ્સ ઓફિસર, પોસ્ટમાસ્ટર જનરલ, વડોદરા પ્રદેશ, પ્રતાપગંજ, વડોદરા-390002&nbsp;અથવા&nbsp;anp.rovdr@indiapost.gov.in પર ઇમેઇલ દ્વારા મોકલવાની રહેશે.</p>



<p>ફરિયાદ ચોક્કસ અને સંક્ષિપ્ત હોવી જોઈએ. સામાન્ય પ્રકૃતિ અને નીતિ વિષયક બાબતોની ફરિયાદ પર વિચાર કરવામાં આવશે નહીં.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>નેશનલ હાઇવે 147 પર ક્ષતિ પામેલા માર્ગો પર હોટ મિક્ષ, વેટ મિક્ષ અને કોલ્ડ મિક્ષ દ્વારા પેચવર્ક અને મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-152/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 15 Jul 2025 10:11:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[કચ્છ]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[દક્ષિણ ગુજરાત]]></category>
		<category><![CDATA[મધ્ય ગુજરાત]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[સૌરાષ્ટ્ર]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123025</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 15 અમદાવાદ/ગાંધીનગર, રાજ્યમાં ચાલુ સીઝનમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ઘણા સ્થળોએ રસ્તાઓ પર ધોવાણના પરિણામે રોડ રસ્તાને નુકસાની થવા પામી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા રસ્તાઓના મરામત માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ પેટા વિભાગ દ્વારા તાકીદે કામગીરી હાથ ધરવામાં આવી છે. વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 15</p>



<p>અમદાવાદ/ગાંધીનગર,</p>



<p>રાજ્યમાં ચાલુ સીઝનમાં પડેલા સાર્વત્રિક વરસાદના પરિણામે ઘણા સ્થળોએ રસ્તાઓ પર ધોવાણના પરિણામે રોડ રસ્તાને નુકસાની થવા પામી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર નુકસાન પામેલા રસ્તાઓના મરામત માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અમદાવાદ પેટા વિભાગ દ્વારા તાકીદે કામગીરી હાથ ધરવામાં આવી છે.</p>



<p>વરસાદના વિરામ બાદ માર્ગ અને મકાન વિભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અમદાવાદ પેટા વિભાગ દ્વારા NH 147 સરખેજ ગાંધીનગર હાઇવે પર ખોડિયાર રેલવે ઓવર બ્રિજ ઉપર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી.</p>



<p>માર્ગ અને મકાન વિભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અમદાવાદ પેટા વિભાગ દ્વારા NH 147 પર અલગ અલગ સ્થળોએ ક્ષતિ પામેલા રસ્તાઓ પર હોટ મિક્ષ, વેટ મિક્ષ અને કોલ્ડ મિક્ષ દ્વારા પેચવર્ક અને માર્ગ મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.</p>



<p>આ કામગીરીમાં જેસીબી, રોલર, ડમ્પર સહિતના સાધનો સાથે ટીમોએ સતતપણે કામગીરી કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH 147 પર નુકસાન પામેલા રોડ રસ્તાઓને ઝડપથી રીપેર કરવા કામગીરી હાથ ધરી હતી.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>વડોદરામાં ખાડામાં પડતા યુવકની આંગળી કપાઇ ગઇ હોવાનો આરોપ; &#8211; આજીવીકા પર જોખમ ઉભુ થતા યુવક દ્વારા પાલિકા પાસે વળતરની માંગણી કરાઇ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-104/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 13 Jul 2025 12:14:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122858</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 13 વડોદરા, વડોદરામાં ખાડાઓ હવે વધારે નુકસાનકારક અને જોખમી બની ગયા હોય તેમ લાગી રહ્યું છે તેવો એક દાખલો સામે આવ્યો હતો જેમાં, બિલ કેનાલ રોડ ઉપર ડવ ચાર રસ્તા પાસે ખાડાના કારણે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકને હાથની એક આંગળી ગુમાવવાની નોબત આવતા કોર્પોરેશન પાસે વળતરની માંગણી કરી છે.&#160; બિલ કેનાલ રોડ ઉપર...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 13</p>



<p>વડોદરા,</p>



<p>વડોદરામાં ખાડાઓ હવે વધારે નુકસાનકારક અને જોખમી બની ગયા હોય તેમ લાગી રહ્યું છે તેવો એક દાખલો સામે આવ્યો હતો જેમાં, બિલ કેનાલ રોડ ઉપર ડવ ચાર રસ્તા પાસે ખાડાના કારણે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકને હાથની એક આંગળી ગુમાવવાની નોબત આવતા કોર્પોરેશન પાસે વળતરની માંગણી કરી છે.&nbsp;</p>



<p>બિલ કેનાલ રોડ ઉપર આવેલા પ્લેનેટ વનમાં રહેતા દેવીદાસભાઈ ગઈકાલે (12 જુલાઈ) વહેલી સવારે 6 વાગ્યે દૂધ લેવા માટે નીકળ્યા હતા. આ સમયે નજીકમાં જ ડવ ચાર રસ્તા પાસે ખાડાના કારણે દેવીદાસ જમીન પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને જમણા હાથની એક આંગળી ગુમાવવી પડી છે.&nbsp;</p>



<p>ખાડાઓ ના કારણે અકસ્માતમાં પોતાના હાથની એક આંગળી ગુમાવવાને લઈને દેવીદાસે આ ઘટના કોર્પોરેશનની બેદરકારીથી સર્જાઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, &#8216;ખાડાના કારણે મારું બાઈક સ્લીપ થઈ જતાં અકસ્માતમાં મેં હાથની એક આંગળી ગુમાવી છે. હું પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. જેમાં મોટાભાગનું કામ કોમ્પ્યુટર આધારિત રહે છે. આંગળીના કારણે મને અપંગતા આવતા મારા આવકના સ્ત્રોત સામે જોખમ સર્જાતા કોર્પોરેશન પાસે વળતરની માંગણી કરુ છું.&#8217;</p>



<p>સમગ્ર ઘટનામાં ભોગ બનનારે મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું કે, મારૂ નામ દેવીદાસ બરાડે છે, હું બીલ કલાલી રોડ પર આવેલા પ્લેનેટોરીયમ &#8211; 1 માં રહું છું. હું સવારે 6 વાગ્યે ગઇ કાલે દુધ લેવા માટે બહાર જતો હતો. હું ડવ ચાર રસ્તા પાસે પહોંચ્યો ત્યાં બહુબધા ખાડા હતા. ખાડાઓના લીધે મારુ વાહન સ્લીપ થઇ ગયું હતું. અને હું નીચે પટકાયો હતો. રસ્તા પર પડતા મારી આંગળી ભાંગી ગઇ હતી. ત્યાર બાદ હું ડોક્ટર પાસે ગયો હતો, ડોક્ટરે મારી આંગળીનો ભાગ કાપીને ત્યાં ટાંકા લઇ લીધા છે.</p>



<p>તેમણે વધુમાં જણાવ્યું કે, હું ખાનગી કંપનીમાં કામ કરૂં છું. મારૂ કામ કોમ્પ્યુટર પર હોય છે. પરંતુ આના કારણે હું કોમ્પ્યુટર પર સારી રીતે કેમ નહીં કરી શકું. આ મને આજીવન તકલીફ રહેશે, અને આના કારણે હું જીવનનું ઘણું બધું ભોગવીશ. મારી આજીવીકાના સાઘન પર અસર થવાની છે, જેથી મને પાલિકાએ વળતર ચૂકવવું જોઇએ. મારૂ જીવન ગાળવા માટે મને ઘણી મુશ્કેલીઓ પડશે, હું નોકરી ગુમાવું તેવી શક્યતા પણ છે. હું ખાડામાં પડતા નજીકમાં હાજર લોકોએ મને બહાર કાઢ્યો હતો, અને ત્યાર બાદ મારી પત્નીને બોલાવી અને અમે હોસ્પિટલ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરે સર્જરી કરવાનું જણાવ્યું હતું.</p>



<p>તેમણે વધુમાં ઉમેર્યું કે, એક કલાકમાં અમે પૈસાની સગવડ કરી, ત્યાર બાદ સર્જરી કરીને પછી રજા આપવામાં આવી હતી. મેં ડોક્ટરને કહ્યું કે, મને આંગળી પાછી જોડી આપો, તો ડોક્ટરે સામે જણાવ્યું કે, આંગળી નખમાંથી છુટી પડી ગઇ છે. રસ્તો ખરાબ થવાના કારણે આ થયું છે. આની સંપૂર્ણ જવાબદારી પાલિકાની છે. મારા પરિવારમાં ચાર સભ્યો છે, તેમાંથી હું એકમાત્ર આજીવીકા માટે કમાઉં છું. મારા સંતાનો ભણે છે, અને પત્ની ગૃહકામ કરે છે. આંગળી કપાઇ જવાના કારણે હું ભારે મુશ્કેલીમાં મુકાયો છું.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ : પીડિતો ને રૂ.૬૨ લાખની આર્થિક સહાય ચૂકવાઈ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-107/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 13 Jul 2025 09:49:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122870</guid>

					<description><![CDATA[મૃતકોના પરિવારોને રૂપિયા ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય ચૂકવાઈ (જી.એન.એસ) તા. 13 વડોદરા, મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાય અંતર્ગત આજે ઉપલબ્ધ યાદી મુજબ હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું અસરગ્રસ્તોને વિતરણ કરાયું...]]></description>
										<content:encoded><![CDATA[
<p></p>



<p class="has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">મૃતકોના પરિવારોને રૂપિયા ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય ચૂકવાઈ</span></strong></p>



<p>(જી.એન.એસ) તા. 13</p>



<p>વડોદરા,</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/31-2.jpg"><img loading="lazy" decoding="async" width="589" height="415" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/31-2.jpg" alt="" class="wp-image-122871" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/31-2.jpg 589w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/31-2-300x211.jpg 300w" sizes="(max-width: 589px) 100vw, 589px" /></a></figure></div>


<p>મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારો અને ઈજાગ્રસ્તોને સહાયરૂપ થવા રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આર્થિક સહાય અંતર્ગત આજે ઉપલબ્ધ યાદી મુજબ હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું અસરગ્રસ્તોને વિતરણ કરાયું હતું.</p>



<p>રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને રૂયિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે છોટાઉદેપુરના સાંસદશ્રી જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.</p>



<p>ધટનાની ગંભીરતાને ધ્યાને લઈને આ સહાય તત્કાળ મંજૂર કરવામાં આવી હતી અને વિના વિલંબે આજે ચૂકવી આપવામાં આવી હતી. ઉપલબ્ધ યાદી મુજબ, હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું વિતરણ થયું છે જેમાં આજે ચાર ઇજાગ્રસ્તો અને ૧૫ મૃતકોના પરિવારો નો સમાવેશ થાય છે.</p>



<p>આ મુલાકાત વેળા એ સાંસદશ્રી જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્યએ દુર્ઘટનામાં ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને આ દુર્ઘટના બદલ દુઃખ વ્યક્ત કરતા ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.</p>



<p>આ ચેક વિતરણ સમયે સ્થાનિક આગેવાનો અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>વડોદરામાં નશાખોર કારચાલકનું કારસ્તાન; અલકાપુરી વિસ્તારમાં લોકોના જીવ જોખમમાં મૂકી ડે તેવી રીતે ચલાવી ગાડી  </title>
		<link>https://gnsnews.co.in/auto-draft-101/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 13 Jul 2025 08:56:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#vadodarapolice]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122845</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 13 વડોદરા, વડોદરા શહેરમાં મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી.&#160;નશાખોર કારચાલકનું કારસ્તાન સામે આવ્યું છે જેમાં નશાની હાલતમાં રોડ પર ચલાવી ફૂલસ્પીડમાં કાર અને લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા, અલકાપુરી વિસ્તારમાં ફૂલ સ્પીડમાં ચલાવી કાર તો અન્ય રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતા અને પોલીસ કમિશનરના બંગલા બહાર...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 13</p>



<p>વડોદરા,</p>



<p>વડોદરા શહેરમાં મોડી રાત્રે અલકાપુરી વિસ્તારમાં મોટી દુર્ઘટના બનતા અટકી ગઇ હતી.&nbsp;નશાખોર કારચાલકનું કારસ્તાન સામે આવ્યું છે જેમાં નશાની હાલતમાં રોડ પર ચલાવી ફૂલસ્પીડમાં કાર અને લોકોના જીવ જોખમમાં મૂકી દીધા હતા, અલકાપુરી વિસ્તારમાં ફૂલ સ્પીડમાં ચલાવી કાર તો અન્ય રાહદારીઓએ કાર ચાલકનો પીછો કર્યો હતા અને પોલીસ કમિશનરના બંગલા બહાર કારચાલકને ઝડપી પાડયો હતો, કારચાલકને ઝડપી પોલીસને હવાલે કરાયો છે.</p>



<p>સ્થાનિકોને આ વાતની જાણ થતા તેને ઝડપ્યો હતો અને તે જે રીતે કાર ચલાવતો હતો તે રીતે જોઈને સ્થાનિકો પણ સમજી ગયા હતા કે પાર્ટી મોજમાં છે, ત્યારે પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી, મહત્વનું છે કે, પોલીસ કમિશનરના બંગ્લા નજીક જ આ રીતે કાર ચલાવી હતી, અને કારને ડિવાઈડર સાથે અથડાવી હતી.</p>



<p>કાર ચાલકને રોકીને લોકોએ તેને અકોટા પોલીસ મથકના જવાનોને સોંપ્યો હતો. કાર ચાલકનું નામ કાળુભાઇ જોધાભાઇ સાટીયા (રહે. સુરત) હોવાનું જાણવા મળી રહ્યું છે. તે અમદાવાદથી જ દારૂના ચાર પેગ મારીને નીકળ્યા હોવાનું વાયરલ વીડિયોમાં જણાવી રહ્યા છે. આરોપી સામે અકોટા પોલીસ મથકમાં પ્રોહીબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
