<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>ગુજરાત &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/tag/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Thu, 31 Jul 2025 14:44:58 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>દિવ્યાંગજનના આરોગ્યનું કવચ: નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના       </title>
		<link>https://gnsnews.co.in/auto-draft-541/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 14:44:58 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#modigovernment]]></category>
		<category><![CDATA[#NarendraModi]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124414</guid>

					<description><![CDATA[આ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭ હજારથી વધુ દિવ્યાંગજનોને આરોગ્ય વીમા કવચનો મળ્યો લાભ પેટા હેડીંગ- બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને મળ્યો લાભ (જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, રાજ્યના દિવ્યાંગજન નાગરીકોના આરોગ્યની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. દિવ્યાંગજનોને આરોગ્ય કવચ પુરુ પાડવા માટે ગુજરાત સરકારે નિરામયા...]]></description>
										<content:encoded><![CDATA[
<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols"><span style="background-color:#fa2706" class="td_text_highlight_marker">આ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭ હજારથી વધુ દિવ્યાંગજનોને આરોગ્ય વીમા કવચનો મળ્યો લાભ</span></span></strong></h4>



<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">પેટા હેડીંગ- બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને મળ્યો લાભ</span></strong></h4>



<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p>ગાંધીનગર,</p>



<p>રાજ્યના દિવ્યાંગજન નાગરીકોના આરોગ્યની દરકાર ગુજરાત સરકાર કરી રહી છે. દિવ્યાંગજનોને આરોગ્ય કવચ પુરુ પાડવા માટે ગુજરાત સરકારે નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ દિવ્યાંગજનોને વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ પુરુ પાડવામાં આવે છે.</p>



<p>મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના નેતૃત્વ હેઠળ રાજ્યના દિવ્યાંગજનોને બિમારીના સમયમાં યોગ્ય સારવાર આપવા ગુજરાત સરકાર કટીબદ્ધ છે. નિરામયા હેલ્થ ઇન્સ્યોરન્સ યોજના હેઠળ ગત પાંચ વર્ષમાં રાજ્યના ૭૭,૦૫૮ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ દિવ્યાંગ લાભાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા&nbsp; રૂ. ૧૯૧.૫૬ લાખના ખર્ચે વાર્ષિક રૂ. એક લાખ સુધીનું આરોગ્ય વિમા કવચ આપવામાં આવ્યું છે.</p>



<p>બૌધ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી (મગજનો લકવો), ઓટીઝમ તથા મલ્ટીપલ ડીસેબીલીટીઝ ધરાવતા દિવ્યાંગજનને આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજનામાં ઉક્ત ચાર પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને વીમા રક્ષણ મળવાપાત્ર છે. જેમાં હોસ્પિટલમાં દાખલ, ઓપરેશન, ઓ.પી.ડી દવાઓ અને વાહન વ્યવહારના ખર્ચનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ તમામ પ્રકારની વય જુથના દિવ્યાંગોનો સમાવેશ કરવામાં આવ્યો છે.</p>



<p>અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના હેઠળ લાભાર્થીને કોઇપણ પ્રકારની પૂર્વ તબીબી પરીક્ષા એટલે કે મેડીકલ ટેસ્ટની જરુરીયાત રહેતી નથી અને લાભાર્થી કોઇપણ માન્ય હોસ્પિટલમાં સારવાર લઈ શકે છે.</p>



<p>આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની કૌટુંબિક માસિક આવક રૂ. ૧૫ હજાર સુધી હોય તો માસિક રૂ. ૨૫૦ અને કૌટુંબિક માસિક આવક રૂ.૧૫ હજારથી વધુ હોય તેવા લાભાર્થીને માસિક રૂ. ૫૦૦નું પ્રીમિયમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ યોજના સંબંધિત વિગતે માહિતી માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.</p>



<p>“આ યોજના હજારો દિવ્યાંગ વ્યક્તિઓ માટે આશાનું કિરણ સાબિત થશે, જેનાથી તેઓને આર્થિક ભાર વિના ગુણવત્તાપૂર્ણ હેલ્થકેર મળી શકે છે. આ પહેલ ગુજરાતના દરેક ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવાનું કામ કરશે.&nbsp;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને  ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-538/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 11:37:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#GujaratGovernor]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124403</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમુદ્રમાં વરસાદ પડે તો તેનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ રણમાં પડતો વરસાદ સૌના માટે કલ્યાણકારી હોય છે. તેવી જ રીતે, દીન દુ:ખીયા લોકોની સેવા માટે જે વ્યક્તિ પોતાની સંપત્તિના દરવાજા ખોલી સંપત્તિનો સદુપયોગ કરે છે તે વ્યક્તિ આ જન્મ ઉપરાંત આવનારા જન્મમાં પણ...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p>ગાંધીનગર,</p>



<p>રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સમુદ્રમાં વરસાદ પડે તો તેનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ રણમાં પડતો વરસાદ સૌના માટે કલ્યાણકારી હોય છે. તેવી જ રીતે, દીન દુ:ખીયા લોકોની સેવા માટે જે વ્યક્તિ પોતાની સંપત્તિના દરવાજા ખોલી સંપત્તિનો સદુપયોગ કરે છે તે વ્યક્તિ આ જન્મ ઉપરાંત આવનારા જન્મમાં પણ સુખ પ્રાપ્ત કરે છે. તેમણે ગુજરાત કેન્સર સોસાયટીને મોટા પાયે ટેકો આપી ગરીબોત્થાનના કાર્યમાં સહભાગી થનાર તમામ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.</p>



<p>અમદાવાદ સ્થિત ગુજરાત કેન્સર સોસાયટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે ગુજરાત કેન્સર સોસાયટીની વાર્ષિક સાધારણ સભા અને ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી વર્ષ માટે ગવર્નિંગ કાઉન્સિલના સભ્યો અને હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી.</p>



<p>આ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવે કાર્ય કરી લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા ગુજરાત કેન્સર સોસાયટીના આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવતાં કહ્યું કે, કેન્સર જેવા જીવલેણ રોગ સામે ઝઝુમતા દર્દીઓ તબીબી વિજ્ઞાનના પ્રયત્નોથી હવે પોતાનું આયુષ્ય વધારી શકે અને ઓછી પીડા સાથે તેનું જીવન જીવી શકે છે. આપના દ્વારા કરવામાં આવતું કાર્ય માનવતાનું સૌથી શ્રેષ્ઠ કાર્ય છે.</p>



<p>માનવતા અંગે વાત કરતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, દરેક વ્યક્તિ પોતાના સ્વજનોમાં પોતીકાપણું જુએ છે, પરંતુ તે વ્યક્તિ મહાન છે જે અન્ય વ્યક્તિઓમાં પોતીકાપણું અનુભવે છે. પશુઓ અને મનુષ્યમાં તમામ વસ્તુઓ સમાન છે, ફક્ત માનવતાનો જ તફાવત છે. જ્યારે કોઈ દર્દીને ડોક્ટરના સંપર્કમાં આવ્યા બાદ વિશ્વાસ થાય કે હવે તે જલ્દી સાજો થઈ જશે સ્વસ્થ થઈ જશે, તે જ આપણી સાચી ઓળખ અને કર્મની પૂંજી છે.</p>



<p>તેમણે કહ્યું કે, જન્મ તો દરેક વ્યક્તિ લે છે પરંતુ જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયમાં જે વ્યક્તિ કર્મયોગી બની પૂર્ણ નિષ્ઠા અને સમર્પણ ભાવ સાથે કાર્ય કરે તો આવા કર્મો જ આજીવન અને આવનાર જન્મમાં સુખ આપે છે.</p>



<p>સ્વામી દયાનંદ સરસ્વતીને યાદ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, ગુજરાતની પાવન ધરતી પર એક મહાન વ્યક્તિ સ્વામી દયાનંદ સરસ્વતી જન્મ્યા, જેમણે સામાજિક સુધારણા માટે અનેક કાર્યો કર્યા હતા. જ્યારે વ્યક્તિ તમામ લોકોની ઉન્નતીમાં પોતાની ઉન્નતિ સમજે અને દરેક વ્યક્તિના સુખ-દુઃખનો સાથી બને છે ત્યારે તે ખરા અર્થમાં માનવતાનો રક્ષક બને છે.</p>



<p>કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટેક જેવી ગંભીર બીમારીઓ અંગે ચર્ચા કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજથી 40-50 વર્ષ પહેલાં આવી બીમારીઓને કોઈ ઓળખતું ન હતું. વેદોમાં કહ્યું છે કે, કારણ વગર કશું થતું નથી. આજે માનવસર્જીત પ્રવૃત્તિઓના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે અને રાસાયણિક ખેતીથી ઉત્પાદિત ખોરાક ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બની રહ્યા છે.</p>



<p>તેમણે ઉમેર્યું કે, આપણે દર વર્ષે બે લાખ કરોડ રૂપિયાના ખર્ચે વિદેશથી રાસાયણિક ખાતર મંગાવીએ છીએ અને તેનો ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. તેનાથી ઉત્પન્ન થતા ફળ, શાકભાજી, અનાજ ખાવાથી લોકો અનેક બીમારીઓનો ભોગ બને છે. આપણે કરોડો રૂપિયા ખર્ચીને બીમારીઓ ખરીદી રહ્યા છીએ. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની અસર ફક્ત મનુષ્યને જ નહીં પરંતુ પશુઓને પણ થઈ રહી છે. પશુઓ પણ કેન્સરનો ભોગ બની રહ્યા છે. જમીન પાણી અને હવા પ્રદુષિત થઈ રહી છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન બંજર બની ચૂકી છે.</p>



<p>આ તમામ સમસ્યાઓ અને પડકારોથી બચવાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે, જેનો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બનાવી દેશભરમાં આંદોલન સ્વરૂપે પ્રાકૃતિક કૃષિનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.</p>



<p>ગુજરાતમાં 9 લાખ જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે અને તેમાંથી ઉત્પાદિત સ્વાસ્થ્યપ્રદ આહારનો ગુજરાતના લોકોને વધુમાં વધુ લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર તમામ શહેરોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે.</p>



<p>દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વાન કર્યું છે કે, ભારતીયોએ ગુલામીની માનસિકતાને જળ મૂળમાંથી નાબૂદ કરવી જોઈએ. આપણને આપણા ખોરાક, ભાષા, પહેરવેશ, વારસા તથા મહાપુરુષો પર ગર્વ હોવો જોઈએ, તેમની શ્રદ્ધાનો આદર કરવો જોઈએ અને પૂરી ઈમાનદારી અને સમર્પણ સાથે કાર્ય કરી દેશના વિકાસમાં સહભાગી બનવું જોઈએ.</p>



<p>આ બેઠકની શરૂઆતમાં ગુજરાત કેન્સર સોસાયટીના એક્ઝિક્યુટિવ ચેરમેન અને વાઈસ પ્રેસિડેન્ટ શ્રી પંકજ પટેલે ધી ગુજરાત કેન્સર સોસાયટી સંસ્થાનો પરિચય આપી તેની સમાજપયોગી આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે ગુજરાત મેડિકલ સોસાયટી મેડિકલ કોલેજની આરોગ્ય પ્રવૃતિઓની વાત કરતાં જણાવ્યું કે, આ સંસ્થાના 500 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રિસર્ચ, પબ્લીકેશન, વર્કશોપ, એડવાન્સ રોબોટિક સર્જીકલ સિસ્ટમ, ચાઈલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર, સર્જરી અને કેમોથેરાપીના માધ્યમથી કેન્સરના દર્દીઓને હેલ્થ સુવિધાઓ પુરી પાડવામાં આવે છે.</p>



<p>આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ આરોગ્ય સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, જીસીએસના જનરલ સેક્રેટરી શ્રી ક્ષિતિશ મદનમોહન, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ડૉ. પંકજ શાહ, જી.સી.એસ. મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડૉ. કીર્તિ પટેલ સહિત ગુજરાત કેન્સર સોસાયટીના સદસ્યો, તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-534/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 11:26:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124386</guid>

					<description><![CDATA[રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલ સબસીડી સહિતની વિવિધ યોજનાથી વંચિત ન રહે તે આપણો મુખ્ય નિર્ધાર હોવો જોઈએ: મંત્રી શ્રી રાઘવજી પટેલ (જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી તા. ૧૫મી ઓગસ્ટથી શરુ થઇ રહેલી માછીમારીની નવી સીઝનને...]]></description>
										<content:encoded><![CDATA[<div class="wp-block-image">
<figure class="aligncenter size-full is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/2-2-4.jpg"><img fetchpriority="high" decoding="async" width="658" height="493" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/2-2-4.jpg" alt="" class="wp-image-124388" style="width:498px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/2-2-4.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/2-2-4-300x225.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/2-2-4-600x450.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p class="has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલ સબસીડી સહિતની વિવિધ યોજનાથી વંચિત ન રહે તે આપણો મુખ્ય નિર્ધાર હોવો જોઈએ: મંત્રી શ્રી રાઘવજી પટેલ</span></strong></p>



<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p>ગાંધીનગર,</p>



<p>રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતા હેઠળ મત્સ્યોદ્યોગ પ્રભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યમાં આગામી તા. ૧૫મી ઓગસ્ટથી શરુ થઇ રહેલી માછીમારીની નવી સીઝનને ધ્યાને લઈને માછીમારોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તેવા શુભ આશય સાથે મંત્રી શ્રી રાઘવજી પટેલે આ બેઠકમાં વિવિધ મુદ્દે ગહન ચર્ચા અને યોજનાકીય પ્રગતિની સમીક્ષા કરી હતી. જેમાં મત્સ્યોદ્યોગ વિભાગના સચિવ શ્રી સંદીપકુમાર અને મત્સ્યોદ્યોગ કમિશનર શ્રી વિજય ખરાડી સહિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.</p>



<p>આ બેઠકમાં માછીમારી બોટમાં મરીન ડીઝલ ઓઇલનો ઉપયોગ શરૂ કરવા અંગે નીતિગત ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં રાજ્ય સરકાર દ્વારા માછીમારોને આપાતી ડીઝલ સબસીડી માટે નવા ડીઝલ કાર્ડ આપવાની કામગીરીની સમીક્ષા કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે રાજ્યનો કોઈપણ માછીમાર ડીઝલની સબસીડીથી વંચિત ન રહે તે આપણો મુખ્ય નિર્ધાર હોવો જોઈએ. આ વર્ષે હજુ પણ જે લાભાર્થીઓને ડીઝલ સબસીડી ચૂકવવાની બાકી હોય તેમને સત્વરે ચૂકવણા કરવા મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓને આદેશ કર્યો હતો.</p>



<p>બેઠક દરમિયાન મંત્રી શ્રી પટેલે મત્સ્યોદ્યોગ પ્રભાગ હસ્તક મંજૂર થયેલી નવી યોજનાના અમીકરણની કામગીરી તેમજ ચાલુ યોજનાની પ્રગતિની સઘન સમીક્ષા કરી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું હતું કે, મત્સ્યોદ્યોગ પ્રભાગની દરેક યોજનાને તેના સેચ્યુરેશન પોઈન્ટ સુધી પહોંચાડવી એ આપની સૌની નૈતિક જવાબદારી છે. મત્સ્યોદ્યોગ સંબંધિત દરેક યોજનાથી માછીમારો અવગત થાય અને તેનો મહત્તમ લાભ મેળવી શકે તે માટે વિવિધ માધ્યમોથી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવા મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું. આ સંદર્ભે તેમણે, જ્યાં માછીમારોની વસ્તી વધારે હોય તેવા વિસ્તારોમાં વિશેષ ઝુંબેશના ભાગરૂપે કેમ્પનું આયોજન કરવા પણ સૂચન કર્યું હતું.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>રાજ્યના કેટલા પોલીસ સ્ટેશનોમાં CCTV કેમેરા નથી તેનો સરકાર ખુલાસો કરે: ગુજરાત હાઈકોર્ટ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-537/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 10:33:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#CCTV]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#GujaratHC]]></category>
		<category><![CDATA[#gujaratpolice]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124400</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. ૩૧ અમદાવાદ, સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા આદેશ કર્યો છે. હાલમાં સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p>અમદાવાદ,</p>



<p>સમગ્ર રાજ્યના પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે દરેક પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ફરજિયાત રાખવા આદેશ કર્યો છે. હાલમાં સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.</p>



<p>મીડિયા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, હાલમાં સીસીટીવી કેમેરાનો ફરજિયાત આદેશ હોવા છતાં તેની કોઈ અમલવારી થતી નથી. જેથી જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેવા પોલીસ મથકો સામે પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી.</p>



<p>ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે જે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવેલા ના હોય તેની સામે પગલા લેવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત સીસીટીવી હોવા છતાં બંધ હોય તો પણ પગલાં લેવા આદેશ કર્યો હતો.CCTV બંધ અથવા નથી તેનો ખુલાસો કરવા આદેશ કરાયો હતો. કોર્ટે અધિક મુખ્ય સચિવને રિપોર્ટ રજિસ્ટ્રારને સોંપવા આદેશ કર્યો હતો. જ્યારે ગૃહ વિભાગ પોલિસ સ્ટેશનમાં CCTV અંગે જવાબ રજુ કરે તેવો પણ આદેશ કરાયો હતો.</p>



<p>હાઈકોર્ટે કેટલા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી નથી, બંધ છે અથવા તો લગાવેલા નથી તેનો ખુલાસો કરવા સરકારને નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે, રાજ્યનો ગૃહ વિભાગ જવાબદારી સમજી પોલીસ સ્ટેશનમાં સીસીટીવી અંગે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરે. પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફરજિયાત લગાવવાના હાઈકોર્ટના આદેશનો અમલ થતો નથી તે પ્રકારની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ કંડલામાં ભારતના પ્રથમ &#8216;મેક ઈન ઈન્ડિયા&#8217; ૧ મેગાવોટ સ્કેલના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો કાર્યભાર સંભાળ્યો</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-536/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 10:31:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[વ્યાપાર જગત - BUSINESS]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#modigovernment]]></category>
		<category><![CDATA[#NarendraModi]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124393</guid>

					<description><![CDATA[મે,૨૦૨૫માં ભૂજ મુલાકાત દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૦ મેગાવોટના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, ચાર માસમાં ૦૧ મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત (જી.એન.એસ) તા. ૩૧ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્ત્વમાં ગુજરાત વિકાસની દિશામાં તેજ ગતિએ હરણફાળ ભરી રહ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલના પથદર્શનમાં કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ...]]></description>
										<content:encoded><![CDATA[<div class="wp-block-image">
<figure class="aligncenter size-full is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-2-8.jpg"><img decoding="async" width="740" height="412" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-2-8.jpg" alt="" class="wp-image-124397" style="width:571px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-2-8.jpg 740w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-2-8-300x167.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-2-8-600x334.jpg 600w" sizes="(max-width: 740px) 100vw, 740px" /></a></figure></div>


<p class="has-text-align-center"><strong>મે,૨૦૨૫માં ભૂજ મુલાકાત દરમિયાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૦ મેગાવોટના પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો, ચાર માસમાં ૦૧ મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત</strong></p>



<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-3-3.jpg"><img decoding="async" width="658" height="451" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-3-3.jpg" alt="" class="wp-image-124398" style="width:576px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-3-3.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-3-3-300x206.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-3-3-600x411.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p>વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્ત્વમાં ગુજરાત વિકાસની દિશામાં તેજ ગતિએ હરણફાળ ભરી રહ્યું છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલના પથદર્શનમાં કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ શિલાન્યાસના માત્ર ચાર જ માસમાં ૧ મેગાવોટ પ્લાન્ટ કાર્યાન્વિત કરી કાર્યભાર સંભાળ્યો છે. જેના પરિણામે પ્રદુષણ નિયંત્રણ અને રિન્યૂએબલ એનર્જીની દિશામાં ગુજરાતે સિમાચિહ્ન હાંસલ કર્યું છે. આ પ્લાન્ટ કાર્યાન્વિત થવાથી કંડલા&nbsp; DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું</p>



<p>આ પ્લાન્ટનું ઉદ્ઘાટન બંદરો, શિપિંગ અને જળમાર્ગ કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા તથા બંદરો, શિપિંગ અને જળમાર્ગ રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુર, અને બંદરો, શિપિંગ તથા જળમાર્ગ મંત્રાલય સચિવ શ્રી ટી.કે. રામચંદ્રન, તથા દીનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન શ્રી સુશીલ કુમાર સિંહ તથા અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.</p>



<p>કેન્દ્રીય મંત્રી શ્રી સોનોવાલે આ પ્રોજેક્ટની ઝડપી ગતિની પ્રશંસા કરતા જણાવ્યું કે, 26 મે 2025 ના રોજ ભૂજની મુલાકાત દરમિયાન માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 10 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. અને માત્ર ચાર મહિનાના ટૂંકા ગાળામાં 10 મેગાવોટ પ્રોજેક્ટના ભાગ રૂપે 1 મેગાવોટ પ્લાન્ટના પ્રથમ મોડ્યુલનું અમલીકરણ થયું છે, આ પ્રોજેક્ટ દેશમાં ગ્રીન હાઇડ્રોજન ઉદ્યોગ માટે એક નવો માપદંડ સ્થાપિત કરે છે. DPA એ ગતિ, સ્કેલ અને કાર્યમાં કૌશલ્યનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રદર્શિત કર્યું છે. એમ તેમણે ઉમેર્યું હતું.</p>



<p>મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ અમલીકરણ સાથે, DPA મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બન્યું છે, જે વાર્ષિક આશરે 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. આ સફળતા દરિયાઇ સ્તરે કાર્બનનું ઉત્સર્જન ઓછું કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જે પર્યારણને અનુકૂળ હોય તેવા પ્રકારની બંદરની કામગીરીમાં ભારતનું વૈશ્વિક નેતૃત્વ વધારે છે.</p>



<p>પર્યાવરણ માટે રક્ષણાત્મક હોય તેવી બંદરની પહેલ પ્રત્યે સતત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરતા, મંત્રીશ્રીએ DPA ની અગાઉની સિદ્ધિઓ પર પણ પ્રકાશ પાડ્યો હતો. જેમાં ભારતની પ્રથમ મેક ઇન ઇન્ડિયા સંપૂર્ણ ઇલેક્ટ્રિસિટીથી સંચાલિત ટગનો સમાવેશ થાય છે. તેમણે ભારતીય ઇજનેરો દ્વારા સંપૂર્ણપણે બનાવવામાં આવેલ સંપૂર્ણ આત્મનિર્ભર અને ભવિષ્ય માટે તૈયાર હાઇડ્રોજન ઇકોસિસ્ટમના અમલીકરની પ્રશંસા કરી, જે અન્ય બંદરો માટે નવીન અને પર્યાવરણને અનુકૂળ હોય તેવા ઉપાયો અપનાવવા માટે પ્રેરણારૂપ છે.</p>



<p>તેઓશ્રીએ દીનદયાળ પોર્ટ ઓથોરિટીની સમગ્ર ટીમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા, અને આ જટિલ પ્રોજેક્ટને નોંધપાત્ર કાર્યક્ષમતા અને ચોકસાઈ સાથે પૂર્ણ કરવા બદલ L&amp;T ના ઇજનેરોની પણ પ્રશંસા કરી.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>&#8216;ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર- WIVES એસોસિએશન દ્વારા પુનિત વન, ગાંધીનગર ખાતે વિવિધ ૧૧૧ વૃક્ષ-છોડ વાવવામાં આવ્યા</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-539/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 31 Jul 2025 07:39:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#Agriculture]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#TreePlantation]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124406</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. ૩૧ ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સહિત ભારતભરમાં શરૂ કરવામાં આવેલ &#8216;એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન&#8217; અંતર્ગત ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર- WIVES એસોસિએશનના અધ્યક્ષા અને વન વિભાગના વડા ડૉ.એ.પી.સિંઘના નેતૃત્વમાં પુનિત વન,ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીના ધર્મપત્ની અને IAS WIVES એસોસિએશનના અધ્યક્ષા...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. ૩૧</p>



<p>ગાંધીનગર,</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-large is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-11.jpg"><img loading="lazy" decoding="async" width="1024" height="681" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-11-1024x681.jpg" alt="" class="wp-image-124407" style="width:648px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-11-1024x681.jpg 1024w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-11-300x199.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-11-768x511.jpg 768w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-11-600x399.jpg 600w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-11.jpg 1280w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></a></figure></div>


<p>વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સહિત ભારતભરમાં શરૂ કરવામાં આવેલ &#8216;એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન&#8217; અંતર્ગત ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર- WIVES એસોસિએશનના અધ્યક્ષા અને વન વિભાગના વડા ડૉ.એ.પી.સિંઘના નેતૃત્વમાં પુનિત વન,ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.</p>



<p>જેમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીના ધર્મપત્ની અને IAS WIVES એસોસિએશનના અધ્યક્ષા શ્રીમતી જ્યોત્સના જોષી, IPS WIVES&nbsp; એસોસિએશનના અધ્યક્ષા અને પોલીસ વડા શ્રી વિકાસ સહાયના ધર્મ પત્ની શ્રીમતી અનુરાધા સહાય સહિત તેમની સમગ્ર ટીમ આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉત્સાહભેર સહભાગી બની હતી.</p>



<p>IFS- WIVES એસોસિયેશન ના અધ્યક્ષા તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમના મુખ્ય આયોજક શ્રીમતી ગીતા સિંઘે આ પ્રસંગે જણાવ્યું હતું કે,પર્યાવરણના સંવર્ધન,જતન અને સંરક્ષણના ધ્યેય સાથે ગાંધીનગર અને અમદાવાદ ખાતે સેવારત અંદાજે ૫૫ જેટલા IAS, IPS અને IFS અધિકારીઓની ધર્મ પત્ની -ટીમ દ્વારા તેમના નામ‌ સાથે &#8216;એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન&#8217; અંતર્ગત વિવિધ પ્રકારના કુલ ૧૧૧ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.</p>



<p>જેમાં મુખ્યત્વે પીંપળ,&nbsp; વડ, જાંબુ,&nbsp; કુસુમ આંબળા, રાયણ, બોરસલ્લી, સરગવો ઉમરો, ખાટી આંબલી, બહેડા, કાજલિયા,અર્જુન સાદળ, પૌગારો અને રેન્ટ્રી જેવા ફળાઉ તેમજ ઔષધીય વૃક્ષોનો સમાવેશ થાય છે તેમ‌,તેમણે ઉમેર્યું હતું.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>રાજ્યના જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઇવે પર રોડની બે તરફ ખાલી પડતર જગ્યા તથા અન્ય ખાલી જગ્યાએ વન વિભાગ હરિત વન પથ યોજના અંતર્ગત 7.63 લાખ રોપાઓનું પી.પી.પી. ધોરણે લોકભાગીદારીથી વાવેતર કરશે</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-526/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Wed, 30 Jul 2025 14:51:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#NarendraModi]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124351</guid>

					<description><![CDATA[મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યનું ગ્રીન કવર વધારવાનો વન વિભાગનો નવતર અભિગમ ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ &#8211; સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે એમ.ઓ.યુ. થયા (જી.એન.એસ) તા. ૩૦ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે કરેલા આહવાનને પગલે વન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર સહિત બધા જિલ્લાઓમાં રોડ સાઈડ અને...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્યનું ગ્રીન કવર વધારવાનો વન વિભાગનો નવતર અભિગમ</strong></p>



<p class="has-text-align-center"><strong>ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ &#8211; સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે એમ.ઓ.યુ. થયા</strong></p>



<p>(જી.એન.એસ) તા. ૩૦</p>



<p>મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ગ્રીન કવર વધારીને પર્યાવરણ જાળવણી માટે કરેલા આહવાનને પગલે વન વિભાગે કચ્છ સૌરાષ્ટ્ર સહિત બધા જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઈવે પર રોડની બેય બાજુની તેમજ અન્ય ખાલી જગ્યાઓએ સઘન રોપા વાવેતરનો નવતર અભિગમ અપનાવ્યો છે.</p>



<p>આ હેતુસર વન વિભાગ લોક ભાગીદારીથી પી.પી.પી. ધોરણે અંદાજે 7.63 લાખ રોપા વાવશે.</p>



<p>મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રીમુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન વિભાગે આ રોપા વાવેતર અંગે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સાથે ગાંધીનગરમાં બુધવારે એમ.ઓ.યુ. કર્યા હતા.</p>



<p>વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના પડકારોના તારણરૂપ ઉપાય તરીકે ગ્રીન કવર વધારવા અને વધુને વધુ વૃક્ષો વાવવા દેશવાસીઓને પ્રેરણા આપેલી છે.</p>



<p>એટલું જ નહીં દરેક વ્યક્તિ પોતાની માતાની સ્મૃતિમાં એક વૃક્ષ વાવે અને ધરતી માતાને હરિયાળી બનાવે તે માટે એક પેડ માં કે નામ અભિયાન પણ પ્રધાનમંત્રીશ્રીએ દેશમાં શરૂ કરાવ્યું છે.</p>



<p>વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આ સંકલ્પને સાકાર કરીને રાજ્યમાં ટ્રી કવર વધારવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં હરિત વનપથ યોજના કાર્યરત કરવામાં આવી છે.</p>



<p>આ યોજના અંતર્ગત રોડની બેય તરફ વૃક્ષોના વાવેતરથી મોટા પાયે હરિયાળી થવાના પરિણામે ઇકોલોજી અને એન્વાયરમેન્ટ પ્રોટેકશન સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પણ સિદ્ધ કરી શકાશે.</p>



<p>વન વિભાગે આવા રોડ સાઈડ પ્લાન્ટેશનમાં 10X10 મીટરના અંતરે 45 X 45 X 45 સેન્ટીમિટરના ખાડા ખોદીને 8 ફિટ ઉંચાઈના રોપા તથા વડ, પીપળો જેવા વૃક્ષો પી.પી.પી. ધોરણે વાવવાનો વ્યુહ અપનાવ્યો છે.</p>



<p>હરિતવન પથ યોજના અંતર્ગત આવા વૃક્ષોનું વાવેતર કરવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ- સદભાવના વૃદ્ધાશ્રમ અને વન વિભાગ વચ્ચે દ્વારકાથી સોમનાથ તથા અન્ય રોડ સાઇડના એમ 40 હજાર રોપાઓના વાવેતર માટે એમ.ઓ.યુ. થયેલા હતા.</p>



<p>માનવસેવા સેવા ટ્રસ્ટ &#8211; સદભાવના વૃદ્ધાશ્રમે આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને હવે વન વિભાગ સાથે કરેલા આ એમ.ઓ.યુ. અનુસાર તેઓ રાજ્યના જિલ્લાઓમાં રોડ સાઈડ અને કોસ્ટલ હાઇવે પર ખાલી રહેલા રોડની બે તરફ અને અન્ય ખાલી જગ્યાએ 7.63 લાખ રોપાઓ ટ્રી ગાર્ડ સાથે વાવશે.</p>



<p>વન વિભાગ અને માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સદભાવના વૃદ્ધાશ્રમ વચ્ચે આ એમ.ઓ.યુ. થયા તે અવસરે મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે.દાસ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડો.એ.પી.સિંગ તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક આર. કે. સુગુર, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ-સદભાવના વૃદ્ધાશ્રમના શ્રી વિજય ડોબરિયા અને શ્રી મિતલ ખેતાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>રાજ્ય સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનની સફળતા દર્શાવતી ફિલ્મના સ્ક્રીનિંગમાં મુખ્યમંત્રીશ્રી હાજર રહેશે</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-528/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Wed, 30 Jul 2025 13:54:00 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#movies]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124356</guid>

					<description><![CDATA[31 જુલાઇએ અમદાવાદના મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રજૂ થશે, મુખ્યમંત્રીશ્રી સહિત અગ્રણી મહાનુભાવો અને ફિલ્મની સ્ટારકાસ્ટ રહેશે હાજર 104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા રાજ્યમાં અત્યાર સુધી આપઘાત અંગેના 7 હજારથી વધુ કૉલ્સ પર પ્રતિસાદ આપવામાં આવ્યો  (જી.એન.એસ) તા. ૩૦ ગાંધીનગર, 31 જુલાઇ 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે એક ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજર રહેશે. રાજ્ય સરકારની 104...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>31 જુલાઇએ અમદાવાદના મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ રજૂ થશે, મુખ્યમંત્રીશ્રી સહિત અગ્રણી મહાનુભાવો અને ફિલ્મની સ્ટારકાસ્ટ રહેશે હાજર</strong></p>



<p class="has-text-align-center"><strong>104 હેલ્થ હેલ્પલાઇન દ્વારા રાજ્યમાં અત્યાર સુધી આપઘાત અંગેના 7 હજારથી વધુ કૉલ્સ પર પ્રતિસાદ આપવામાં આવ્યો </strong></p>



<p>(જી.એન.એસ) તા. ૩૦</p>



<p>ગાંધીનગર,</p>



<p>31 જુલાઇ 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે એક ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજર રહેશે. રાજ્ય સરકારની 104 હેલ્થ હેલ્પલાઇનની સફળતા દર્શાવતી &#8220;CALL 104&#8221; ફિલ્મ અમદાવાદના મલ્ટિપ્લેક્સમાં રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મહાનુભાવો, ફિલ્મનિર્માતા તેમજ ફિલ્મની સ્ટારકાસ્ટ ઉપસ્થિત રહેશે.</p>



<p>રાજ્યના નાગરિકોને આરોગ્યને લગતી ઉચ્ચ ગુણવત્તાસભર સેવાઓ, સ્વાસ્થ્ય સલાહ, ડિરેક્ટરી માહિતી અને આરોગ્યલક્ષી સલાહ, સૂચન અને માર્ગદર્શન સાથે માનસિક રીતે અસ્વસ્થ અને સ્વયંને નિસહાય અનુભવતા લોકોને નિષ્ણાંત મનોવૈજ્ઞાનિક દ્વારા પરામર્શ સેવા પૂરી પાડવા માટે 104 હેલ્થ હેલ્પલાઇન તથા આત્મહત્યા નિવારણ માટેની સ્યૂસાઇડ પ્રિવેન્શન હેલ્પલાઇન વર્ષ 2019માં જાહેર કરવામાં આવી હતી. આ હેલ્પલાઇનના પરિણામે બહોળી સંખ્યામાં રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્ય સેવાઓનો લાભ મળ્યો છે. રાજ્યના છેવાડાના માનવી સુધી ગુણવત્તાયુક્ત સેવાઓ ઝડપથી પહોંચે તે હેતુથી અધ્યતન ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.</p>



<p>મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં આ ફિલ્મના માધ્યમથી હેલ્પલાઇનની ટીમ દ્વારા કરવામાં આવેલી અભૂતપૂર્વ કામગીરીને દર્શાવવામાં આવશે. આ હેલ્પલાઇનના લીધે હજારો લોકોનો જીવ બચાવવામાં સફળતા મળી છે. આ પ્રસંગે હેલ્પલાઇનના લાભાર્થીઓ પણ તેમના અનુભવો મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કરશે.</p>



<p>આપઘાતના 7 હજારથી વધુ કૉલ્સને પ્રતિસાદ આપી યોગ્ય માર્ગદર્શન</p>



<p>104 હેલ્થ હેલ્પલાઇન જાહેર થયાથી જૂન 2025 સુધીમાં આપઘાતને લગતા 7372 કૉલ્સ પર નાગરિકોને યોગ્ય પ્રતિસાદ આપીને તેમને ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ કૉલ્સમાં માનસિક બીમારી, પરિવાર સંબંધિત, અંગત સંબંધો, આર્થિક સમસ્યા, મેડિકલ બીમારી, શારીરિક/જાતિય સતામણી, શિક્ષણને લગતા તેમજ અન્ય કૉલ્સ સામેલ છે. આ કૉલ્સ આવ્યા બાદ નાગરિકોનું યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેમને સામેથી ફોન કરીને વધુ માર્ગદર્શન આપવામાં આવે છે. હેલ્પલાઇન દ્વારા સમયાંતરે તે નાગરિકોને ફોલોઅપ કોલ કરીને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. તેમનું જીવન સહજ અને સામાન્ય થયાની ખાતરી સુધી તેમને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>સાબરકાંઠાની હિંમતનગર મામલતદાર કચેરી ખાતે રૂપિયા 30 હજારની લાંચ સ્વીકારનાર નાયબ મામલતદારને રંગે હાથ ઝડપાયા</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-525/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Wed, 30 Jul 2025 13:50:00 +0000</pubDate>
				<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ACB]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124349</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. ૩૦ હિંમતનગર, ગુજરાત એસીબીના અધિકારીની ટીમે એક ડીકૉય ગોઠવીને સાબરકાંઠાની હિંમતનગર મામલતદાર કચેરી ખાતે રૂપિયા 30 હજારની લાંચ સ્વીકારનાર નાયબ મામલતદારને રંગે હાથ પકડી પાડ્યો છે. રાજ્યના અન્ય જિલ્લા અને તાલુકાઓની જેમ સાબરકાંઠાના હિંમતનગર મામલતદાર કચેરી માં ભ્રષ્ટાચારની દુકાન ધમધમે છે. આવી માહિતી ગુજરાત એસીબીને મળતા અધિકારીઓએ આ મામલે તપાસ કરી હતી. ખાણ-ખનિજ...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. ૩૦</p>



<p>હિંમતનગર,</p>



<p>ગુજરાત એસીબીના અધિકારીની ટીમે એક ડીકૉય ગોઠવીને સાબરકાંઠાની હિંમતનગર મામલતદાર કચેરી ખાતે રૂપિયા 30 હજારની લાંચ સ્વીકારનાર નાયબ મામલતદારને રંગે હાથ પકડી પાડ્યો છે.</p>



<p>રાજ્યના અન્ય જિલ્લા અને તાલુકાઓની જેમ સાબરકાંઠાના હિંમતનગર મામલતદાર કચેરી માં ભ્રષ્ટાચારની દુકાન ધમધમે છે. આવી માહિતી ગુજરાત એસીબીને મળતા અધિકારીઓએ આ મામલે તપાસ કરી હતી. ખાણ-ખનિજ વિભાગમાંથી ખનન કરવાની મંજૂરી મળ્યા બાદ સ્થાનિક સર્કલ ઑફિસર જગ્યાનો નકશો બનાવીને અભિપ્રાય આપે છે. આ પ્રક્રિયા બાદ અરજદાર જે-તે સ્થળેથી ખનન કરી શકે છે. આવા અરજદારો પાસેથી હકારાત્મક અભિપ્રાય આપવા બદલ ગાંભોઈ સર્કલ ઑફિસર જિતેન્દ્ર રમેશચંદ્ર પટેલ (નાયબ મામલતદાર) 30 હજારથી 50 હજાર રૂપિયા જેટલી લાંચ માગે છે. આ હક્કિત આધારે મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. ડી. ચાવડા એ એક ડિકૉય ગોઠવી હતી. ડિકૉય દરમિયાન લાંચિયો નાયબ મામલતદાર 30 હજાર રૂપિયા લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>આત્મહત્યા કરવા જતા માનસિક દિવ્યાંગ મહિલાને ડૂબતા બચાવી સરાહનીય કામગીરી કરતી બાવળા પોલીસ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-527/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Wed, 30 Jul 2025 10:52:00 +0000</pubDate>
				<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Suicide]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124353</guid>

					<description><![CDATA[૧૮૧ અભયમની મદદથી દિવ્યાંગ મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, દિવ્યાંગ મહિલાને સહી સલામત રીતે પરિવારના માણસોને પરત સોંપવામાં આવ્યાં (જી.એન.એસ) તા. ૩૦ અમદાવાદ, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જે પૈકી બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા-ધોળકા રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તાર તથા રેલવે અન્ડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા. આ...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>૧૮૧ અભયમની મદદથી દિવ્યાંગ મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું, દિવ્યાંગ મહિલાને સહી સલામત રીતે પરિવારના માણસોને પરત સોંપવામાં આવ્યાં</strong></p>



<p>(જી.એન.એસ) તા. ૩૦</p>



<p>અમદાવાદ,</p>



<p>અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જે પૈકી બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા-ધોળકા રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તાર તથા રેલવે અન્ડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા.</p>



<p>આ સમયગાળા દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર, બાવળા પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા બાળવાની રત્નદીપ સોસાયટી અને સ્વાગત રેસિડેન્સી સોસાયટી ખાતે તકેદારી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.</p>



<p>તે સમય દરમિયાન એક મહિલા કોઈ કારણસર બપોરના આશરે બે વાગ્યાના સમયે આ રેલવે અન્ડરબ્રિજના પંદર ફૂટ ઊંડા પાણીમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં હોવાનું ધ્યાને આવ્યું હતું.</p>



<p>આ સમયે બંદોબસ્તમાં ફરજ ઉપર હાજર બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ શ્રી હસમુખભાઈ હેમુભાઈ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ શ્રી રાજેશભાઈ કાંતિભાઈ, જી.આર.ડી. જવાન શ્રી મનોજભાઈ સોમાભાઈ વાઘેલા અને લોકલ લોકો દ્વારા ત્વરિત કાર્યવાહી કરી સૂઝબૂઝથી પાણીમાં પડેલ મહિલાને બહાર કાઢવામાં આવ્યાં હતાં.</p>



<p>આ મહિલાને મહિલા પોલીસ કર્મચારી સાથે બાવળા પોલીસ સ્ટેશન ખાતે લાવી, ૧૮૧ અભયમની ટીમને બોલાવી મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.</p>



<p>કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું હતું કે, મહિલાના લગ્ન બાદ છૂટાછેડા થયા હતા અને તેઓ પોતાના ભાઈ-ભાભી સાથે રહેતાં હતાં. તેઓ કોઈ&nbsp; કારણસર ઘરના માણસોને જાણકારી આપ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. મહિલા પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠેલ હોવાનું કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું હતું.</p>



<p>કાઉન્સેલિંગ દરમિયાન મહિલા પાસેથી મેળવેલા સરનામા દ્વારા મહિલાના ઘર પરિવારના માણસોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મહિલાને સહી સલામત રીતે તેમને પરત સોંપવામાં આવ્યાં હતાં.</p>



<p>પાણીમાં પડીને આત્મહત્યા કરવા જતી દિવ્યાંગ મહિલાનો જીવ બચાવીને અમદાવાદ ગ્રામ્ય પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.વી. ચૌધરી, બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ શ્રી હસમુખભાઈ ડાભી, બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ શ્રી અનિલભાઈ ડાભી, બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ મહિલા શ્રી વિજ્યેતાબહેન સોલંકી, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ શ્રી રાજેશભાઈ ગોહિલ, જી.આર.ડી. જવાન શ્રી મનોજભાઈ વાઘેલા તથા ૧૮૧ અભયમ ટીમ ધોળકા દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
