<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>#ahmedabadpolice &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/tag/ahmedabadpolice/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Tue, 29 Jul 2025 10:43:00 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના એસ.જી હાઇવે પર પાંચ નવા ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય </title>
		<link>https://gnsnews.co.in/auto-draft-473/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 29 Jul 2025 10:43:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabadpolice]]></category>
		<category><![CDATA[#amdavadmunicipalcorporation]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#Gujarathighcourt]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124160</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા.29 અમદાવાદ, એસ.જી હાઇવેની ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટે ફૂટ ઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, થલતેજ અંડરપાસ નજીક, પકવાન ફ્લાય ઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા.29</p>



<p>અમદાવાદ,</p>



<p>એસ.જી હાઇવેની ડિઝાઇન અને રાહદારીઓની સલામતીને લઈને ગુજરાત હાઇકોર્ટે ગંભીર સવાલ ઊભા કર્યા હતા. ત્યારબાદ હાઇકોર્ટે ફૂટ ઓવર બ્રિજનો નિર્દેશ આપ્યો હતો, જે અંતર્ગત આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.</p>



<p>ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જે મુજબ, થલતેજ અંડરપાસ નજીક, પકવાન ફ્લાય ઓવર અને વૈષ્ણોદેવી સર્કલ પાસે આ પાંચ ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. હાલ આ તમામ બ્રિજના નિર્માણ માટે ટેક્નિકલ મંજૂરી મેળવવાની બાકી છે.&nbsp;</p>



<p>આ બાબતે ગુજરાત હાઇકોર્ટે એસ.જી હાઇવેની ડિઝાઇનને લઈને અનેક સવાલ કર્યા હતા. જેના જવાબમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટને એક સોગંદનામું આપવામાં આવ્યું હતું. જેમાં ખામીયુક્ત ડિઝાઇન સુધારવા તેમજ રાહદારીઓની સલામતી માટે ડિઝાઇનને સુધારવા માટે ફૂટ ઓવરબ્રિજની જરૂરિયાત જણાઈ રહી છે. આ સિવાય એએમસીએ કોર્ટને જાણ કરી હતી કે, શહેરમાં કેમ્પ હનુમાન અને શાહીબાગ ખાતે બનાવવામાં આવેલા બે ફૂટ ઓવરબ્રિજનું કામ પૂરૂ થઈ ગયું છે, જેના રિપોર્ટ કોર્ટમાં રજૂ કરાયા છે.&nbsp;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ફોરેક્ષમાં રોકાણ કરી ભારે નફો કમાવવાની લાલચમાં અમદાવાદના ઇસનપુરમાં વૃદ્ધે 2 લાખ ગુમાવ્યા</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-424/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 27 Jul 2025 08:54:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#ahmedabadpolice]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#isanpurpolice]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123979</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં ફોરેક્ષ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી થોડા જ દિવસોમા બમણા રૃપિયા થશે તેવો મેસેજ આવ્યો હતો. જેને લઇને તગડા નફાની લાલચમાં વૃદ્ધે સાયબર ગઠીયાના એકાઉન્ટમાં બે લાખ જમા કરાવ્યા હતા. બાદમાં રોકાણ અંગેની વાત દીકરાને કરતા ઠગાઈની જાણ થઇ હતી. આ...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 27</p>



<p>અમદાવાદ,</p>



<p>શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં ફોરેક્ષ ઇન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી થોડા જ દિવસોમા બમણા રૃપિયા થશે તેવો મેસેજ આવ્યો હતો. જેને લઇને તગડા નફાની લાલચમાં વૃદ્ધે સાયબર ગઠીયાના એકાઉન્ટમાં બે લાખ જમા કરાવ્યા હતા. બાદમાં રોકાણ અંગેની વાત દીકરાને કરતા ઠગાઈની જાણ થઇ હતી. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.</p>



<p>ઇસનપુર વિસ્તારમાં રહેતા વૃદ્ધે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે પોતે નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. ૧૫ દિવસ પહેલા વોટ્સએપમાં અજાણ્યા મોબાઈલ નંબર ઉપરથી રોકાણ કરીને વધુ નફો મેળવવાની જાહેરાતનો મેસેજ આવ્યો હતો. વૃદ્ધે તપાસ કરતા ફોરેક્ષ ઈન્વેસ્ટમેન્ટ કરીને તગડો નફો મળવાની જાહેરાત મેસેજ કરવામાં આવ્યો હતો.</p>



<p>ઓછા સમયમાં વધુ નફાની લાલચમાં આવીને વૃદ્ધે વોટ્સએપમાં મેસેજ કરતા સાયબર ગઠીયાએ શ્રી ગણેશ ટ્રેડીંગ કંપનીનો એકાઉન્ટ નંબર આપ્યો અને તેમાં બે લાખ રૃપિયા ટ્રાન્સફર કહીને થોડા જ દિવસોમાં તમારા રૃપિયા ડબલ થઇ જશે તેવી વાતચીત કરી હતી. જેને લઇને વિશ્વાસમાં આવીને વૃદ્ધે રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા. અજાણી વ્યકિતએ મેસેજ કર્યો કે આ બાબતે અમે તમને જે કંઈપણ અપડેટ હશે તેની જાણ કરીશું. ત્યારબાદ શંકા જતાં વૃદ્ધે રોકાણ અંગે જાણ કરતા દિકરાને કરતા આ ઠગાઈ થઇ હોવાની જાણ થઇ હતી. ત્યારબાદ સાયબર હેલ્પ લાઈનમાં ફોન કરીને રજૂઆત કરી હતી.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>એસઓજી પોલીસની ટીમે ગેરકાયદે ગેસ રીફીલીંગનું કૌભાંડ ઝડપાયું</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-415/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sat, 26 Jul 2025 11:53:00 +0000</pubDate>
				<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#ahmedabadpolice]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123943</guid>

					<description><![CDATA[અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા (જી.એન.એસ) તા. ૨૬ અમદાવાદ, શહેરના એસ.જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓ દરોડો પાડીને ગેરકાયદે ગેસ રીફીલીંગનું મોટુ કૌભાંડ ઝડપીને કોમર્શીયલ અને ડોમેસ્ટીક વપરાશના ૨૪૧ જેટલા ગેસ સિલિન્ડર સહિત ગેસ રીફીલીંગ કરવા માટેના સાધનો પણ જપ્ત&#160; કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>અમદાવાદ પોલીસને મળી મોટી સફળતા</strong></p>



<p>(જી.એન.એસ) તા. ૨૬</p>



<p>અમદાવાદ,</p>



<p>શહેરના એસ.જી હાઇવે સનાથલ ટોલનાકા પાસે સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓ દરોડો પાડીને ગેરકાયદે ગેસ રીફીલીંગનું મોટુ કૌભાંડ ઝડપીને કોમર્શીયલ અને ડોમેસ્ટીક વપરાશના ૨૪૧ જેટલા ગેસ સિલિન્ડર સહિત ગેસ રીફીલીંગ કરવા માટેના સાધનો પણ જપ્ત&nbsp; કરીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.</p>



<p>સ્પેશીયલ ઓપરેશન ગુ્રપના અધિકારીઓને બાતમી મળી હતી કે એસ જી હાઇવે&nbsp; પર સનાથલ ટોલનાકા પાસે ખુલ્લા પ્લોટમાં બનાવેલા એક શેડમાં ગેરકાયદે ગેસ ગેસ સિલિન્ડર રીફીલીંગનું કૌભાંડ ચાલે છે. જેેના આધારે પોલીસ ઇન્સપેક્ટર એ એસ ગોહિલ અને મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર પી વી દેસાઇએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં તપાસ કરતા ગેસ સિલિન્ડરમાંથી ખાલી ગેસ સિલિન્ડરમાં ગેસ ભરી રહેલા બે શખ્સો મળી આવ્યા હતા.&nbsp; જેમાં ભારત ગેસ અને ઇન્ડેનના કોમર્શીયલ અને ડોમેસ્ટીક કુલ ૨૪૧ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.</p>



<p>ઘટનાસ્થળ પર રહેલા રાજેશ પરમાર (રહે. સંત રોહીદાસની ચાલી, બહેરામપુરા) અને હરજી પરમાર (રહે. રાજીવનગર-૨, નારોલ) નામના વ્યક્તિની પુછપરછમા ંજાણવા મળ્યું હતું કે ગેસ એજન્સીઓમાં કામ કરતા લોકો પાસેથી ગેસ સિલિન્ડર લાવીને&nbsp; તેનું સીલ તોડીને તેમાંથી બે થી ત્રણ કિલો ગેસ કાઢીને અન્ય ગેસ સિલિન્ડરમાં ભર્યા બાદ સીલને ફરીથી લગાવીને પરત કરતા હતા. આ ઉપરાંત, હોટલો અને અન્ય સ્થળો પણ ગેરકાયદે સપ્લાય કરતા હતા. આ અંગે એસજીઓએ વધુ તપાસ શરૂ કરી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ઓનલાઈન ગેમિંગમાં લાખો રુપિયા હાર્યા વાઈસ પ્રિન્સિપાલ, તો પોતાની જ કોલેજમાંથી લાખો રુપિયાની કરી ચોરી</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-354/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 24 Jul 2025 10:56:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#ahmedabadpolice]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#schools]]></category>
		<category><![CDATA[#Teachers]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123722</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, ઓનલાઈન ગેમિંગ જેમ રોજિંદા જીવનનો ભાગ જેમ જેમ બની રહ્યું છે, તેમ તેની અસરો પણ ગંભીર સ્વરૂપ ધારણ કરતી જાય છે. આવા જ એક ચોંકાવનારા કેસમાં અમદાવાદની એક મહિલા પ્રિન્સિપાલ ઓનલાઇન ગેમની લતના કારણે ગુનો કરતી પકડાઈ ગઈ છે. અમદાવાદના નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સિપાલે ચોરી કરી હોવાનું સામે આવતા લોકો આશ્ચર્ય...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 24</p>



<p>અમદાવાદ,</p>



<p>ઓનલાઈન ગેમિંગ જેમ રોજિંદા જીવનનો ભાગ જેમ જેમ બની રહ્યું છે, તેમ તેની અસરો પણ ગંભીર સ્વરૂપ ધારણ કરતી જાય છે. આવા જ એક ચોંકાવનારા કેસમાં અમદાવાદની એક મહિલા પ્રિન્સિપાલ ઓનલાઇન ગેમની લતના કારણે ગુનો કરતી પકડાઈ ગઈ છે. અમદાવાદના નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સિપાલે ચોરી કરી હોવાનું સામે આવતા લોકો આશ્ચર્ય ચક્તિ થયા છે.</p>



<p>ઉલ્લેખનીય છે કે અમદાવાદની નર્સિંગ કોલેજના મહિલા વાઈસ પ્રિન્સિપાલ ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી ગયા હતા. જેના કારણે ચોરી કરી હતી. મહિલા પ્રિન્સિપાલ ગેમિંગમાં રૂપિયા હારી જતા ચોરીના રવાડે ચઢ્યા હતા. પોતાની જ કોલેજમાં 8 લાખ રુપિયાની ચોરી કરી હતી. મળતી માહિતી અનુસાર શુભમ નર્સિંગ કોલેજમાં ઘટના બની હતી. ચોરી બાદ CCTV ચેક કરતા સમયે ભાંડો ફૂટ્યો હતો. ચશ્માની ફ્રેમ, હાથના અંગૂઠા, પગના અંગૂઠાને આધારે શંકા ગઈ હતી.</p>



<p>આ કેસમાં આરોપી સુચિ રાય, અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી શુભમ નર્સિંગ કોલેજમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતી હતી. શિક્ષણ વ્યવસ્થામાં નૈતિકતા અને જવાબદારીનું પ્રતિબિંબ ગણાતી વ્યક્તિએ પોતાનું માનવિક દાયિત્વ ભૂલીને મોટી ચોરીને અંજામ આપ્યો છે. તથાકથિત રીતે, છેલ્લા 5-6 મહિનાથી સુચિ રાય ઓનલાઇન ગેમિંગની લતનો શિકાર બની હતી. માસિક 47,000 રૂપિયાનું પગાર હોવા છતાં, તેણે ગેમિંગમાં લાખો રૂપિયા ગુમાવ્યાં હતા. જેમ જેમ દેવું વધ્યું, તેમ તેમ આર્થિક દબાણ પણ વધ્યું. અંતે, પોતે કામ કરતી કોલેજમાંથી રૂપિયા ચોરી કરવાનો નિર્ણય કર્યો અને રૂ. 8 લાખની ચોરીને અંજામ આપ્યો.</p>



<p>CCTV પુરાવાથી ખુલ્યો પર્દાફાશ</p>



<p>કોલેજમાં થઈ રહેલી આર્થિક અનિયમિતતા બાદ જ્યારે ચોરીની ફરિયાદ થઈ, ત્યારે મેઘાણીનગર પોલીસે તરત જ તપાસ શરૂ કરી. CCTV ફૂટેજના આધારે પોલીસે શરૂઆતમાં ચશ્માની ફ્રેમ અને હાથ-પગના અંગૂઠાના નિશાનોથી સંદેહાસ્પદ વ્યક્તિની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો. વધુ તપાસ દરમિયાન પોલીસને સુચિ રાય પર શંકા જતાં, તેની પૂછપરછ કરવામાં આવી. કડક પૂછપરછમાં અંતે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.</p>



<p>IPC હેઠળ ગુનો નોંધાઈ તપાસ આગળ ધપાઈ</p>



<p>આ ઘટનાને પગલે પોલીસે IPCની લગતી કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ, પોલીસ તપાસ કરી રહી છે કે શું આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ પણ સામેલ છે કે કેમ. હાલ વધુ તપાસ ચાલુ છે.</p>



<p>નૈતિકતા સામે સવાલ ઉભા કરે તેવી ઘટના</p>



<p>આ કિસ્સો માત્ર ચોરી સુધી મર્યાદિત નથી, પણ એ શિક્ષણ જગતની પ્રતિષ્ઠા સામે પણ સવાલ ઊભા કરે છે. એક શિક્ષિકા, જે વિદ્યાર્થીને શિસ્ત અને જવાબદારી શીખવે છે, તે પોતે ગેરકાયદે માર્ગે ચાલે — એ નૈતિક સંકટ પણ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના સાવચેત રહેવાની અનિવાર્યતા સૂચવે છે — ખાસ કરીને ડિજિટલ ગેમિંગના વ્યસનથી દૂર રહેવા માટે. ટેકનોલોજીનો ઉપયોગ જીવન સરળ બનાવવા માટે હોવો જોઈએ, ન કે જીવન નષ્ટ કરવા માટે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>અમદાવાદની સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ ગુમ થઇ અને મુંબઈથી બંને મળી આવતા પોલીસે સધન તપાસ શરુ કરી </title>
		<link>https://gnsnews.co.in/auto-draft-363/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 24 Jul 2025 10:04:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[મહારાષ્ટ્ર]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#ahmedabadpolice]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#schools]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123757</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, અમદાવાદ શહેરની એક શાળામાંથી બે વિદ્યાર્થિનીઓ ગુમ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. લો ગાર્ડન વિસ્તારમાં આવેલી સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ 22 જુલાઈ, 2025ના રોજ ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીઓ ઘરે પરત ન ફરતા વાલીઓએ શાળામાં પૂછપરછ કરી હતી. જોકે, વિદ્યાર્થિનીઓ શાળાના પરિસરમાં આવી પાછળના રસ્તે જતી હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. સમગ્ર...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 24</p>



<p>અમદાવાદ,</p>



<p>અમદાવાદ શહેરની એક શાળામાંથી બે વિદ્યાર્થિનીઓ ગુમ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. લો ગાર્ડન વિસ્તારમાં આવેલી સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ 22 જુલાઈ, 2025ના રોજ ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીઓ ઘરે પરત ન ફરતા વાલીઓએ શાળામાં પૂછપરછ કરી હતી. જોકે, વિદ્યાર્થિનીઓ શાળાના પરિસરમાં આવી પાછળના રસ્તે જતી હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. સમગ્ર મામલે વિદ્યાર્થિનીના વાલીઓએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા અને સર્વેલન્સના આધારે તપાસ કરતાં બંને વિદ્યાર્થિનીઓ આખરે મુંબઈમાંથી મળી આવી છે. બંને બાળકીએ મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો છે. જ્યારે પોલીસે બંને બાળકીઓને અમદાવાદ પરત લાવવાની કામગીરી હાથ ધરી છે.&nbsp;</p>



<p>આ મામલે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના લૉ ગાર્ડન પાસેની સમર્થ શિક્ષણ સંકુલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની બે દિવસ પહેલા શાળાએથી ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીના વાલીનું કહેવું છે કે, &#8216;અમે બાળકીઓને સવારે 7:30 આસપાસ શાળાએ મુકીને ગયા હતા. જોકે, આ પછી શાળામાંથી ફોન આવ્યો હતો કે, તમારી દીકરી હજુ શાળાએ આવી નથી.&#8217; ત્યારબાદ વિદ્યાર્થિનીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.&nbsp;</p>



<p>ગુમ બાળકીઓ બાબતે વાલીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે શાળા અને અજીકના વિસ્તારના સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં વિદ્યાર્થિનીઓ ગુમ થયાના 48 કલાક સુધી કોઈ જાણકારી સામે આવી નથી. બીજી તરફ, બાળકીનું અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હોવાનું વાલીઓનું કહેવાથી પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી. અંતે બંને બાળકીઓ સલામત હાલતમાં મુંબઈથી મળી આવી છે, ત્યારે પોલીસે બાળકીઓને ઘરે લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બંને બાળકીઓ મુંબઈ સુધી કઈ રીતે પહોંચીને તેને લઈને હાલ કોઈ જાણકારી સામે આવી નથી.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ઈસનપુરની વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના પંકજગીરી નામક લંપટ શિક્ષકની પોક્સો કલમ હેઠળ ધરપકડ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-284/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Mon, 21 Jul 2025 10:38:00 +0000</pubDate>
				<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#ahmedabadpolice]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#isanpur]]></category>
		<category><![CDATA[#isanpurpolice]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123484</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 21 અમદાવાદ, અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં&#160;આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના એક એક શિક્ષકે વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી.&#160;જે બાદ પંકજગીરી નામના આ લંપટ શિક્ષકને ઇસનપુર પોલીસ ની ટીમ દ્વારા પોક્સો કલમ હેઠળ ધરપકડ કરીને જેલભેગો કરાયો છે. સમગ્ર ઘટના બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, ઈસનપુર સ્થિત વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ (Vedanta International School)...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 21</p>



<p>અમદાવાદ,</p>



<p>અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં&nbsp;આવેલી વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલના એક એક શિક્ષકે વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી.&nbsp;જે બાદ પંકજગીરી નામના આ લંપટ શિક્ષકને ઇસનપુર પોલીસ ની ટીમ દ્વારા પોક્સો કલમ હેઠળ ધરપકડ કરીને જેલભેગો કરાયો છે.</p>



<p>સમગ્ર ઘટના બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, ઈસનપુર સ્થિત વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ (Vedanta International School) ના પંકજગીરી (Pankajgiri) નામના શિક્ષકે એક વિદ્યાર્થીની પર દાનત બગાડી હતી. આ શિક્ષકે વિદ્યાર્થીનીને શરુઆતમાં ટયુશન આવવા માટે દબાણ કર્યુ હતું. જો કે તેની દાનત બર ન આવતા તેને આગળ પાસો ફેંક્યો હતો. આ લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને ટયુશન આવીશ તો જ પાસ કરીશ તેવી લાલચ પણ આપી હતી. આ શિક્ષક પર વિદ્યાર્થીનીને શારીરિક અડપલા કરવાનો પણ આરોપ લાગ્યો છે.</p>



<p>પંકજગીરી નામક શિક્ષકે એક વિદ્યાર્થીનીને ટ્યુશન આવીશ તો જ પરીક્ષામાં તને પાસ કરીશ તેવી લાલચ આપી હતી. આ શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલાં કર્યા હોવાનો આરોપ પણ લાગ્યો છે. આ સમગ્ર ઘટનામાં ઈસનપુર પોલીસે દ્વારા તાત્કાલિક એકશનમાં આવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે લંપટ શિક્ષક પંકજગીરી સામે પોક્સો કલમ લગાડીને તેની ધરપકડ કરી તેને જેલભેગો કરવામાં આવ્યો છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>રોકડ રકમની સામે ક્રિપ્ટો કરન્સી આપવાના મુદ્દે બબ્બે જણાનું અપહરણ કરનારા એક વિદ્યાર્થી સહિત 3 શખ્સોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-155/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 15 Jul 2025 15:22:38 +0000</pubDate>
				<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#ahmedabadpolice]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123034</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 15 અમદાવાદ, અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં એક યુવક અપહરણ થયું છે તેમ ફરિયાદ મળતા પોલીસ દ્વારા ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં નિવૃત્ત આર્મી અધિકારીના પુત્રનું અપહરણ થયાની જાણ થતાં ક્રાઈમ બ્રાંચની ટીમે આખી રાતની દોડધામ બાદ અપહ્યુતને છોડાવી લીધો છે. રોકડ રકમની સામે ક્રિપ્ટો કરન્સી આપવાના મુદ્દે બબ્બે જણાનું અપહરણ...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 15</p>



<p>અમદાવાદ,</p>



<p>અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં એક યુવક અપહરણ થયું છે તેમ ફરિયાદ મળતા પોલીસ દ્વારા ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં નિવૃત્ત આર્મી અધિકારીના પુત્રનું અપહરણ થયાની જાણ થતાં ક્રાઈમ બ્રાંચની ટીમે આખી રાતની દોડધામ બાદ અપહ્યુતને છોડાવી લીધો છે. રોકડ રકમની સામે ક્રિપ્ટો કરન્સી આપવાના મુદ્દે બબ્બે જણાનું અપહરણ કરનારા એક વિદ્યાર્થી સહિત ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી ફરિયાદ નોંધવા કાર્યવાહી આરંભી છે. આરોપીઓએ અપહરણ કરવા ઉપયોગમાં લીધેલી એક રમકડાંની ગન ક્રાઈમ બ્રાંચે કબજે લીધી છે.</p>



<p>ગાંધીનગર બાલાજી અગોરા મોલની પાછળ રહેતા રહેતા આર્મીના નિવૃત્ત જુનિયર કમીશન્ડ ઑફિસર (JCO) પંકજકુમાર પાંડે્યના પુત્ર પ્રિન્સ (ઉ.27)નું કેટલાંક શખ્સોએ અપહરણ કર્યું હતું. બાપુનગર ફ્લાય ઑવર બ્રિજ નીચે શ્યામ શિખર ટાવર પાસે મોડી રાતે ગયેલા આર્મી અધિકારીના પુત્ર અને અન્ય એક વિકાસ દુબેને કારમાં ત્રણ શખ્સો બળજબરીથી ઉઠાવી ગયા હતા. પૂર્વ અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારમાં ચાલુ કારે અપહરણકારોએ યુવક અને તેના સાથીને ગડદાપાટુ તેમજ હથિયાર વડે માર માર્યો હતો. રૂપિયા 1 લાખ 10 હજારની લેવડદેવડમાં થયેલા અપહરણની જાણકારી મળતા અપહ્યુતના પરિવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ઘટનાની જાણ કરવાની સાથે મદદ માગી હતી.</p>



<p>મધ્ય રાત્રિ બાદ કંટ્રોલ રૂમમાં આવેલા અપહરણના સંદેશાની જાણ થતાં ક્રાઈમ બ્રાંચની ટીમના અધિકારીએ ફોન કરનાર સાથે વાતચીત કરી ઘટનાની ઠોસ માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. સાથે જ અપહ્યુતનો તેમજ અન્ય મોબાઈલ નંબરની માહિતી મેળવી તેના લૉકેશન આધારે અપહરણકારોને પકડવા ક્રાઈમ બ્રાંચની ટીમ સક્રિય થઈ હતી. આખરે ક્રાઈમ બ્રાંચની ટીમે અપહરણકારો સુધી પહોંચી ગઈ હતી અને બંને અપહ્યુતને મુક્ત કરાવ્યા હતા.</p>



<p>ઘરે બેઠાં ઑનલાઈન ધંધો કરતા પ્રિન્સ પાંડે્યે તેના પરિચિત વિકાસ દુબે થકી બાપુનગરના શખ્સો પાસેથી રોકડ રૂપિયા મેળવી USDT આપવાનો સોદો કર્યો હતો. જો કે, પ્રિન્સ પાંડે્ય ક્રિપ્ટો કરન્સી આપતો નહીં હોવાથી વિકાસ દુબેને કહીને પ્રિન્સને ગઈ મોડી રાતે બાપુનગર ફ્લાય ઑવર બ્રિજ નીચે શ્યામ શિખર ટાવર પાસે બોલાવ્યો હતો. પ્રિન્સ પાંડે્ય સ્થળ પર પહોંચતાની સાથે જ તેને અને વિકાસને કરણ નાયર (ઉ.19 રહે. ન્યુ અરવિંદનગર સોસાયટી, બાપુનગર), હર્ષ ઠક્કર (ઉ.21 રહે. ઈન્દ્રજીત સોસાયટી, ઠક્કરનગર) અને ક્રિપાલસિંહ વિહોલે (ઉ.25 રહે. ભક્તિનગર, બાપુનગર) તેને કારમાં બળજબરીપૂર્વક બેસાડી દીધાં હતાં. નંબર પ્લેટ વિનાની કારમાં ત્રણેય શખ્સોએ પ્રિન્સ પાંડે્યને ઉપાડી જઈ 42 લાખની કિંમતના 50 હજાર USDT આપવા દબાણ કર્યું હતું. આ ઉપરાંત પ્રિન્સ પાંડે્યના મોબાઈલ ફોનમાં રહેલા USDT મેળવી લેવા તેમજ તેનો પાસવર્ડ જાણવા લાકડી અને ગડદાપાટુનો માર માર્યો હતો. માર મારી પ્રિન્સના પરિવાર પાસે રૂપિયા મગાવવા ફોન પણ કરાવ્યો હોવાની વાત સામે આવી છે. આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કરવા બદલ અમદાવાદ શહેર પોલીસના અધિકારીશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-71/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sat, 12 Jul 2025 09:15:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#ahmedabadpolice]]></category>
		<category><![CDATA[#amdavadmunicipalcorporation]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Rathyatra]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122748</guid>

					<description><![CDATA[શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા (જી.એન.એસ) તા. 12 અમદાવાદ, 148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કરવા બદલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓનો શ્રી જગન્નાથ મંદિર&#160; ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક...]]></description>
										<content:encoded><![CDATA[
<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span style="background-color:#fba396" class="td_text_highlight_marker"><span class="td_text_columns_two_cols">શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા</span></span></strong></h4>



<p>(જી.એન.એસ) તા. 12</p>



<p>અમદાવાદ,</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-1-5.jpg"><img fetchpriority="high" decoding="async" width="658" height="428" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-1-5.jpg" alt="" class="wp-image-122749" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-1-5.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-1-5-300x195.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-1-5-600x390.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p>148મી રથયાત્રાનું બંદોબસ્ત શાંતિ અને સૌહાર્દપૂર્ણ રીતે કરવા બદલ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક તથા તમામ ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓનો શ્રી જગન્નાથ મંદિર&nbsp; ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો.</p>



<p>ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક અને પારંપરિક રથયાત્રા અમદાવાદ શહેરની આગવી ઓળખ છે; આ ઉત્સવની સૌહાર્દપૂર્ણ ઉજવણી થાય તે અમદાવાદ શહેર પોલીસની પ્રતિબદ્ધતા અને વિશેષ જવાબદારી છે. આ રથયાત્રામાં વિશેષ જવાબદારી નિભાવવા બદલ ઉચ્ચ અધિકારીઓશ્રી, અમદાવાદ પોલીસ કમિશ્નર શ્રી જી.એસ. મલિક, ટ્રાફિક જેસીપી શ્રી એન. એન. ચૌધરી, જોઈન્ટ પોલીસ કમિશ્નર, સેક્ટર 1, શ્રી નીરજકુમાર બડગુજર, અમદાવાદ શહેરના તમામ ડીસીપીશ્રીઓ, એસીપીશ્રીઓ અને પીઆઇશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.</p>



<p>આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર શ્રીમતી પતિભાબહેન જૈન અને ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલા ઉપસ્થિત રહ્યા હતા.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
