<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>#Court &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/tag/court/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Tue, 22 Jul 2025 12:01:00 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>આગ્રા ધર્મ પરિવર્તન કેસ: મુખ્ય આરોપી અબ્દુલ રહેમાનને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-312/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 22 Jul 2025 12:01:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ઉત્તરપ્રદેશ]]></category>
		<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Court]]></category>
		<category><![CDATA[#uttarpradesh]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123585</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 22 આગ્રા, આગ્રા ધર્મ પરિવર્તન કેસમાં એક મોટા ઘટનાક્રમમાં, મુખ્ય આરોપી અબ્દુલ રહેમાનને મંગળવારે સ્થાનિક કોર્ટે 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રારંભિક પૂછપરછ દરમિયાન, રહેમાને &#8220;ઓપરેશન ઉમ્મત&#8221; નામથી લાંબા સમયથી ચાલતા અને સુવ્યવસ્થિત ધર્મ પરિવર્તન રેકેટ વિશે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હોવાનું કહેવાય છે. &#8216;ઓપરેશન ઉમ્મત&#8217; 35 વર્ષથી...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 22</p>



<p>આગ્રા,</p>



<p>આગ્રા ધર્મ પરિવર્તન કેસમાં એક મોટા ઘટનાક્રમમાં, મુખ્ય આરોપી અબ્દુલ રહેમાનને મંગળવારે સ્થાનિક કોર્ટે 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રારંભિક પૂછપરછ દરમિયાન, રહેમાને &#8220;ઓપરેશન ઉમ્મત&#8221; નામથી લાંબા સમયથી ચાલતા અને સુવ્યવસ્થિત ધર્મ પરિવર્તન રેકેટ વિશે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હોવાનું કહેવાય છે.</p>



<p>&#8216;ઓપરેશન ઉમ્મત&#8217; 35 વર્ષથી સક્રિય છે</p>



<p>અધિકારીઓના જણાવ્યા અનુસાર, અબ્દુલ રહેમાન છેલ્લા 35 વર્ષથી ધાર્મિક ધર્મ પરિવર્તનનું આયોજન કરી રહ્યો હતો, દિલ્હીથી આ ઓપરેશન ચલાવી રહ્યો હતો. &#8220;ઉમ્મત&#8221; શબ્દ એક અરબી શબ્દ છે જેનો ઉપયોગ સંયુક્ત સમુદાય માટે કરવામાં આવતો હતો, જેનો ઉપયોગ રહેમાને કથિત રીતે લોકોને પોતાના તરફ ખેંચવા માટે કર્યો હતો.</p>



<p>જ્યારે આગ્રા પોલીસે દિલ્હીથી રહેમાનની ધરપકડ કરી, ત્યારે રોહતકની એક હિન્દુ છોકરી, જેનું ધર્મ પરિવર્તન થયું હોવાનું કહેવાય છે, તે પણ તેના નિવાસસ્થાનેથી મળી આવી હતી. તપાસકર્તાઓનું માનવું છે કે રહેમાને ધર્મ પરિવર્તન નેટવર્કમાં સામેલ અનેક રાજ્યોના કાર્યકરોને જોડતી કેન્દ્રીય કડી તરીકે કામ કર્યું હતું.</p>



<p>પીસ ફાઉન્ડેશન તપાસ હેઠળ</p>



<p>અધિકારીઓએ એ પણ જાહેર કર્યું કે રહેમાન પીસ ફાઉન્ડેશન નામની સંસ્થા સાથે સંકળાયેલો હતો, જે તે દિલ્હીમાં ચલાવતો હતો. તેના માર્ગદર્શક કલીમ સિદ્દીકીની અગાઉ ઉત્તર પ્રદેશ એટીએસ દ્વારા દિલ્હીના શાહીન બાગમાંથી મોટા પાયે ધર્મ પરિવર્તન રેકેટ ચલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. સિદ્દીકીની ધરપકડ અને જેલમાં ધકેલી દેવામાં આવ્યા બાદ, રહેમાને ચાર્જ સંભાળ્યો હોવાનું કહેવાય છે અને &#8220;ઓપરેશન ઉમ્મત&#8221; શરૂ કર્યું છે.</p>



<p>યુપી પોલીસે તપાસનો વિસ્તાર કર્યો</p>



<p>અહીં નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ પોલીસ હવે તપાસ કરી રહી છે કે સિદ્દીકીના કેટલા સહયોગીઓ હજુ પણ જેલની બહાર સક્રિય છે અને ધર્મ પરિવર્તન રેકેટ ચાલુ રાખે છે. બાકીના નેટવર્કને તોડી પાડવા અને ઓપરેશનના સંપૂર્ણ પાયાને ઉજાગર કરવા માટે તપાસ ચાલી રહી છે. નોંધનીય છે કે, રહેમાન પર બીએનએસ કલમ 87 (અપહરણ) અને 111 (સંગઠિત ગુના), તેમજ ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પ્રતિબંધ અધિનિયમ, 2021 ની સંબંધિત જોગવાઈઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. આગ્રાના સદર બજાર પોલીસ સ્ટેશનમાં તેની સામે પહેલાથી જ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નીચલી કોર્ટ બાદ સેસન્સ કોર્ટે નામંજૂર કરી  </title>
		<link>https://gnsnews.co.in/auto-draft-114/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Mon, 14 Jul 2025 10:50:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[દક્ષિણ ગુજરાત]]></category>
		<category><![CDATA[#aap]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Court]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122900</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 14 નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મારામારી કરી હોવાના કેસમાં &#160;5 જુલાઈથી જેલમાં છે અને હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. આમ આદમી પાર્ટી માટે એક મોટા આંચકા રૂપ સમાચાર આવ્યા છે જેમાં, નીચલી કોર્ટ બાદ સેસન્સ કોર્ટે પણ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરી હતી. ઉલ્લેખનીય છે...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 14</p>



<p>નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા મારામારી કરી હોવાના કેસમાં &nbsp;5 જુલાઈથી જેલમાં છે અને હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.</p>



<p>આમ આદમી પાર્ટી માટે એક મોટા આંચકા રૂપ સમાચાર આવ્યા છે જેમાં, નીચલી કોર્ટ બાદ સેસન્સ કોર્ટે પણ ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી નામંજૂર કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ના ફોરેસ્ટ વિભાગના એક કેસમાં તેમને શરતી જામીન મળ્યા છે અને તે કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે. અગાઉના કેસની ગંભીરતા અને વર્તમાન &#8216;લાફા કાંડ&#8217;ની ઘટનાને ધ્યાનમાં રાખીને, કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો છે.</p>



<p>આ ઘટનાથી નર્મદા જિલ્લા સહિત ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. એક તરફ AAPના ધારાસભ્યને જામીન ન મળતા પક્ષમાં ચિંતાનો માહોલ છે, તો બીજી તરફ ભાજપ આ મામલે કાયદેસરની કાર્યવાહી પર ભાર મૂકી રહ્યું છે. હવે ચૈતર વસાવા માટે હાઈકોર્ટ એકમાત્ર આશાનું કિરણ છે.</p>



<p>નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ગત શનિવારે (5 જુલાઈ) ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટના ATVT (આદિજાતિ વિકાસ કચેરી)ની સંકલન બેઠક દરમિયાન બની હતી. આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>નામદાર ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન મુજબ ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસીસ ઓથોરીટી, ગાંધીનગર ઘ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-68/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sat, 12 Jul 2025 12:09:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Court]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122739</guid>

					<description><![CDATA[લીંબડીયા કેનાલ બ્રીજ પાસે સાત માસ પહેલા કાર અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકના પરીવારને રૂા.૧.૧૫ કરોડ વળતર અપાયુ (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, મનુષ્યનું જીવન ખૂબ જ અણમોલ છે, તેની સરખામણીમાં અન્ય કોઈ પણ ચીજ તુચ્છ લાગે છે.પરંતુ ક્યારેક સમય સંજોગે એવા હાલાત ઉત્પન્ન થાય છે જ્યારે જીવ ગુમાવનારના પરિવારને વળતર માટે કોર્ટના દરવાજા ખખડાવવા પડે છે....]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">લીંબડીયા કેનાલ બ્રીજ પાસે સાત માસ પહેલા કાર અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકના પરીવારને રૂા.૧.૧૫ કરોડ વળતર અપાયુ</span></strong></p>



<p>(જી.એન.એસ) તા. 12</p>



<p>ગાંધીનગર,</p>



<p>મનુષ્યનું જીવન ખૂબ જ અણમોલ છે, તેની સરખામણીમાં અન્ય કોઈ પણ ચીજ તુચ્છ લાગે છે.પરંતુ ક્યારેક સમય સંજોગે એવા હાલાત ઉત્પન્ન થાય છે જ્યારે જીવ ગુમાવનારના પરિવારને વળતર માટે કોર્ટના દરવાજા ખખડાવવા પડે છે.</p>



<p>આવો જ એક કિસ્સો એટલે લીંબડીયા કેનાલ બ્રીજ પાસે સાત માસ પહેલા કાર અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકનો હતભાગી પરીવાર!</p>



<p>વાહન અકસ્માતના આ રીતના કેસોના નીકાલ માટે શનીવારે ગાંધીનગર સહીત દેશભરમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી. ત્યારે વર્ષ ૨૦૨૪ માં લીંબડીયા કેનાલ બ્રીજ પાસે ઉભેલી ટ્રકમાં કાર ઘુસી જતા ૩૫ વર્ષના યુવકનું મૃત્યુ થયુ હતુ. આ કેસમાં લોક અદાલતમાં બન્ને પક્ષોનું સમાધાન થયુ હતું. કેસના નીકાલના ભાગ રૂપે મૃતક વિજય જગેટીયાના પરીવારને હાઈકોર્ટ જસ્ટીસ ના હસ્તે રૂા. ૧.૧૫/-કરોડના વળતરનો ચેક આપવામાં આવ્યો હતો.</p>



<p>વસ્ત્રાલ સુર્યોની સ્કાયમાં રહેતા વિજયભાઈ જગેટીયા મારૂતી ઈનોક્ષ (ઈન્ડિયા) પ્રાઈવેટ લીમીટેડમાં મેનેજર તરીકે કામ કરતા હતા અને તેમનો પગાર માસિક અંદાજે રૂા. ૭૨,૦૦૦/- અંકે બોતેર હજાર પુરા કમાતા હતા વિજય જગેટીયા તા. ૦૭/૧૨/૨૦૨૪ ના રોજ આશરે રાત્રે ૧૧:00 વાગ્યાના સુમારે મોટા ચીલોડાથી અમદાવાદ જતા લીંબડીયા કેનાલ બીજ પાસે રોડની પાસે આઈવા ટ્રકની પાછળ અર્ટીગા કાર ઘુસી ગઈ હતી. અને વિજયભાઈ જગટીયા સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યા હતાં.</p>



<p>આ અકસ્માતમાં મૃતકના પત્ની તથા ઘરના બીજા એક સદસ્યને પણ ઈજા થઈ હતી.આ અકસ્માતમાં ગુજરનાર વિજયભાઈના પત્ની, ભાવનાબેન વિજયભાઈ જગેટીયા, ગુજરનારના માતા મંજુબેન મનોહરભાઈ જગેટીયા તેમજ ગુજરનારના પિતા મનોહરભાઈ ચુનીલાલ જગેટીયા તેમજ ઈજા પામનાર ભાવનાબેન જગેટીયા તેમજ સોનલબેન જગેટીયા એ પણ વળતરનો દાવો ગાંધીનગર ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં કરેલ હતો.</p>



<p>ત્યાર બાદ આ કેસ લોક અદાલતમાં મુકવામાં આવ્યો હતો. બંને પક્ષકારોની સંમતીથી ગુજરનાર વિજયભાઈ જગેટીયા ને રૂા.૧.૧૫ કરોડ તથા ઈજા પામનાર સોનલબેનને રૂા. ૧૭, ૩૦,૦૦૦/- તેમજ ઈજા પામનાર ભાવનાબેનને રૂા. ૫,૫૦,૦૦૦/- વળતર આપવામાં આવ્યું છે.</p>



<p>અરજદારના વકીલ હર્ષીલ બી. શાહ તેમજ ટાટા એ.આઈ.જી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના વકીલ તેરીકે આશુતોષભાઈ દવે તેમજ ઇન્સ્યોરન્સ કંપનીના ઓફીસર તેમજ નામદાર ડીસ્ટ્રીક્ટ જજ પણ આ ક્ષણે હાજર રહ્યા હતા.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>મેઘાલયમાં સગીરા પર બળાત્કાર ગુજારનારા ત્રણ પુરુષોને 20 વર્ષની કેદની સજા</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-26/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Fri, 11 Jul 2025 09:35:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અન્ય રાજ્ય]]></category>
		<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Court]]></category>
		<category><![CDATA[#meghalaya]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122608</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 11 શિલ્લોંગ, મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાની એક કોર્ટે 2013 માં 16 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં ત્રણ પુરુષોને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગુરુવારે સ્પેશિયલ જજ (POCSO) એમકે લિંગડોહે દરેક દોષિતોને 20 વર્ષની સખત કેદની સજા અને ₹50,000 નો દંડ ફટકાર્યો...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 11</p>



<p>શિલ્લોંગ,</p>



<p>મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાની એક કોર્ટે 2013 માં 16 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના આરોપમાં ત્રણ પુરુષોને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.</p>



<p>તેમણે જણાવ્યું હતું કે ગુરુવારે સ્પેશિયલ જજ (POCSO) એમકે લિંગડોહે દરેક દોષિતોને 20 વર્ષની સખત કેદની સજા અને ₹50,000 નો દંડ ફટકાર્યો હતો.</p>



<p>અધિકારીઓએ જણાવ્યું હતું કે, 2013 ના આ કેસમાં રાજ રોય, આશિત ચંદા અને પ્રસેનજીત દાસને &#8220;છોકરી પર વારંવાર જાતીય હુમલો&#8221; કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા</p>



<p>છોકરીનાં પિતાએ 2013 માં શિલોંગના સદર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમની પુત્રી પર જાતીય હુમલો કરવામાં આવ્યો છે, અને ત્યારબાદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.</p>



<p>કોર્ટે મેઘાલય રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, શિલોંગને છોકરીના પરિવારને વળતર તરીકે ₹3 લાખ ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
