<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>#CRPaatil &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/tag/crpaatil/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Sat, 12 Jul 2025 10:05:00 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે રોજગાર મેળાનું આયોજન</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-66/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sat, 12 Jul 2025 10:05:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#CRPaatil]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122732</guid>

					<description><![CDATA[રેલવે વિભાગ, ટપાલ વિભાગ અને મહેસૂલ વિભાગ (સીબીઆઈસી)ના 63 નવા ઉમેદવારોને નિમણૂંકપત્ર આપવામાં આવ્યા (જી.એન.એસ) તા. 12 વડોદરા, દેશભરમાં ભારતીય રેલવે દ્વારા&#160;47&#160;સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં&#160;51,000&#160;કરતા વધુ નવ નિયુક્ત યુવાઓને&#160; રેલવે,&#160;ગૃહ,&#160;ઉચ્ચ શિક્ષણ,&#160;પોસ્ટ,&#160;વીજળી,&#160;શ્રમ સહિત લગભગ&#160;14&#160;મંત્રાલયોમાં નવા પસંદ કરાયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં વડોદરા ખાતે&#160; કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી&#160; સી. આર....]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">રેલવે વિભાગ, ટપાલ વિભાગ અને મહેસૂલ વિભાગ (સીબીઆઈસી)ના 63 નવા ઉમેદવારોને નિમણૂંકપત્ર આપવામાં આવ્યા</span></strong></p>



<p>(જી.એન.એસ) તા. 12</p>



<p>વડોદરા,</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/3-1-6.jpg"><img fetchpriority="high" decoding="async" width="658" height="437" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/3-1-6.jpg" alt="" class="wp-image-122733" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/3-1-6.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/3-1-6-300x199.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/3-1-6-600x398.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p>દેશભરમાં ભારતીય રેલવે દ્વારા&nbsp;47&nbsp;સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં&nbsp;51,000&nbsp;કરતા વધુ નવ નિયુક્ત યુવાઓને&nbsp; રેલવે,&nbsp;ગૃહ,&nbsp;ઉચ્ચ શિક્ષણ,&nbsp;પોસ્ટ,&nbsp;વીજળી,&nbsp;શ્રમ સહિત લગભગ&nbsp;14&nbsp;મંત્રાલયોમાં નવા પસંદ કરાયેલા કર્મચારીઓને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં વડોદરા ખાતે&nbsp; કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી&nbsp; સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં યુવાઓને નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા.</p>



<p>પ્રધામંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સવારે&nbsp; વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા&nbsp;16માં રોજગાર મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.વડોદરા સ્થિત પશ્ચિમ રેલવેની કચેરીના સભાગૃહમમાં યોજાયેલ રોજગાર મેળમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટિલ,&nbsp;વડોદરાના સાંસદ,&nbsp;ડૉ. હેમાંગ&nbsp; જોશી,&nbsp;આણંદના સાંસદ મિતેષ પટેલ,&nbsp;છોટાઉદેપુર સાંસદ&nbsp; જસુભાઈ રાઠવા,&nbsp;વડોદરાના મેયર પિન્કીબેન સોની,&nbsp;&nbsp;ડી.આર.એમ. રાજુ&nbsp; ભડકે,&nbsp;વડોદરા મ્યુ. કમિશ્નર,અરુણ મહેશ બાબુ સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા.તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રોજગાર મેળા&nbsp; ઉપલક્ષમાં કરેલ ઉદબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.</p>



<p>આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટિલે પ્રાસંગિક ઉદબોધનમાં પ્રધાનમંત્રી રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહયા હોવાનું જણાવ્યુ હતું.&nbsp; વધુમાં તેમણે કહ્યું હતું કે,&nbsp;રોજગાર મેળા યુવાનોને સશક્ત બનાવવામાં અને રાષ્ટ્ર નિર્માણમાં તેમની ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. દેશભરમાં રોજગાર મેળાઓ દ્વારા અત્યાર સુધીમાં&nbsp;10&nbsp;લાખથી વધુ નિમણૂક પત્રો જારી કરવામાં આવ્યા છે. જન સુખાકારી માટે અનેકવિધ યોજનાઓ પ્રધાનમંત્રી દ્વારા અમલમાં લાવવામાં આવી છે. આરોગ્ય માટે આયુષ્યમાન કાર્ડમાં&nbsp;10&nbsp;લાખની સહાય,&nbsp;નલ સે જલ,&nbsp;યુવાઓ માટે સ્ટાર્ટ અપ,&nbsp;&nbsp;ખેડૂતોને સીધી તેમના ખાતામાં સહાય,&nbsp;મહિલાઓ માટે ડ્રોન દીદી,&nbsp;લખપતિ દીદી,&nbsp;લાયકાત ધરાવતા યુવા ઉમેદવારોને પારદર્શક રીતે નોકરીની તક મળે એ સહિતની વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે.&nbsp; તેમણે વિકસિત ભારત&nbsp;@ 2047ની કલ્પનાને સાકાર કરવા યુવાનોએ તેમનું યોગદાન આપવા જણાવ્યું હતું. આજે નોકરી મેળવતા યુવાનોને શુભેચ્છા આપી હતી. તેમજ ખંતથી તેમને મળેલી જવાબદારી નિભાવીને&nbsp; રાષ્ટ્ર નિર્માણમાં અને સમાજ ઉપયોગી,&nbsp;લોકોપયોગી કાર્યોમાં જોડાઈ જવા પણ તેમણે જણાવ્યું હતું.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
