<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>#farming &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/tag/farming/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Mon, 14 Jul 2025 11:02:00 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>વર્ષ 2024-25માં ગુજરાતમાં 48.59 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું, જેમાં વેફર્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટેના પ્રોસેસ્ડ બટાટાનો પણ સમાવેશ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-117/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Mon, 14 Jul 2025 11:02:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[દક્ષિણ ગુજરાત]]></category>
		<category><![CDATA[મધ્ય ગુજરાત]]></category>
		<category><![CDATA[વ્યાપાર જગત - BUSINESS]]></category>
		<category><![CDATA[સૌરાષ્ટ્ર]]></category>
		<category><![CDATA[#Agriculture]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#farming]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122908</guid>

					<description><![CDATA[બટાટાના ઉત્પાદનમાં બનાસકાંઠાએ બાજી મારી, વર્ષ 2024-25માં સૌથી વધુ 18.70 લાખ ટન ઉત્પાદન; સાબરકાંઠા અને અરવલ્લી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને (જી.એન.એસ) તા. 14 ગાંધીનગર, ફ્રેન્ચ ફ્રાઈસ એ વિશ્વભરમાં લોકપ્રિય સ્નૅક્સ છે અને બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને તે પસંદ હોય છે. ભારત પહેલાં જે ફ્રેન્ચ ફ્રાઈસની આયાત કરતું હતું, તેની હવે ભરપૂર નિકાસ કરી...]]></description>
										<content:encoded><![CDATA[
<h3 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols"><span style="background-color:#fdc63a" class="td_text_highlight_marker">બટાટાના ઉત્પાદનમાં બનાસકાંઠાએ બાજી મારી, વર્ષ 2024-25માં સૌથી વધુ 18.70 લાખ ટન ઉત્પાદન; સાબરકાંઠા અને અરવલ્લી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને</span></span></strong></h3>



<p>(જી.એન.એસ) તા. 14</p>



<p>ગાંધીનગર,</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-large is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/14-1-4.jpg"><img fetchpriority="high" decoding="async" width="1024" height="768" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/14-1-4-1024x768.jpg" alt="" class="wp-image-122909" style="width:597px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/14-1-4-1024x768.jpg 1024w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/14-1-4-300x225.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/14-1-4-768x576.jpg 768w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/14-1-4-1536x1152.jpg 1536w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/14-1-4-600x450.jpg 600w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/14-1-4.jpg 1600w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></a></figure></div>


<p>ફ્રેન્ચ ફ્રાઈસ એ વિશ્વભરમાં લોકપ્રિય સ્નૅક્સ છે અને બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને તે પસંદ હોય છે. ભારત પહેલાં જે ફ્રેન્ચ ફ્રાઈસની આયાત કરતું હતું, તેની હવે ભરપૂર નિકાસ કરી રહ્યું છે. એટલું જ નહીં, ફ્રેન્ચ ફ્રાઈસ, વેફર્સ જેવી ક્રિસ્પ વસ્તુઓ જે પ્રોસેસ્ડ બટાટામાંથી બને છે તેનું પણ ભરપૂર ઉત્પાદન કરી રહ્યું છે. આમાં ગુજરાતનો પણ મહત્વપૂર્ણ ફાળો છે.</p>



<p>છેલ્લા બે દાયકામાં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 10 ગણું વધ્યું</p>



<p>2004-05માં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 1 લાખ ટનથી ઓછું હતું અને માત્ર 4000 હેક્ટર જેટલે વાવેતર વિસ્તાર હતો. છેલ્લા 2 દાયકામાં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 10 ગણું વધ્યું છે અને 37,000 હેક્ટર વાવેતર વિસ્તાર સાથે 11.50 લાખ ટન સુધી પહોંચી ગયું છે. આજે ગુજરાત પ્રોસેસ્ડ બટાટાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે, સાથે ફ્રેન્ચ ફ્રાઈસ અને વેફર્સનું સૌથી મોટું નિકાસકાર પણ બન્યું છે. પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્ય અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.</p>



<p>ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને સશક્ત બનાવવા માટે મૂલ્યવર્ધિત ખેતપેદાશો પર ભાર મૂક્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની ખેડૂત-કેન્દ્રિત નીતિઓ તેમજ કૃષિ વિભાગ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મજબૂત સમર્થન સાથે ગુજરાતે પ્રોસેસિંગ-ગ્રેડ બટાટાની ખેતીમાં નોંધનીય સફળતા મેળવી છે.</p>



<p>વર્ષ 2024-25માં ગુજરાતમાં 48.59 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું</p>



<p>વર્ષ 2024-25માં ગુજરાતમાં 48.59 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું જેમાં લગભગ 25%થી વધુ લેડી રોસેટા અને બાકી કુફરી બટાટાનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. ગુજરાત જે પ્રોસેસિંગ-ગ્રેડ બટાટાની ખેતી કરે છે તેને ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ અથવા ફ્રોઝન ફૂડ બનાવતા દેશભરના પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગોને મોટા પાયે સપ્લાય કરવામાં આવે છે. પ્રોસેસ્ડ ગ્રેડ બટાટાના કુલ ઉત્પાદનમાંથી લગભગ 60 ટકા વેફર માટે અને લગભગ 40 ટકા ફ્રેન્ચ ફ્રાય પ્રોડક્શન માટે વપરાય છે. આમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓનો મુખ્ય ફાળો છે, જે ભારતમાં ફ્રેન્ચ ફ્રાઈસ અને વેફરની વધતી માંગને પૂરી કરી રહ્યા છે.</p>



<p>વર્ષ 2024-25માં ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં કુલ 1.19 લાખ હેક્ટરમાં બટાટાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પ્રતિ હેક્ટર 32.36 ટન સરેરાશ ઉત્પાદકતા સાથે કુલ 38 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું.</p>



<p>18.70 લાખ ટન બટાટાના ઉત્પાદન સાથે બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ ક્રમે</p>



<p>વર્ષ 2022-23માં બનાસકાંઠા જિલ્લામાં 53,548 હેક્ટરના વાવેતર વિસ્તારમાં 15.79 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું, એટલે કે તેની ઉત્પાદકતા 29.5 ટન પ્રતિ હેક્ટરની હતી. વર્ષ 2023-24માં 52,089 હેક્ટર વિસ્તારમાં 30 ટન પ્રતિ હેક્ટરની ક્ષમતા સાથે 15.62 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું. આ આંકડો વર્ષ 2024-25માં 18.70 લાખ ટન સુધી પહોંચી ગયો છે, જે ગુજરાતમાં કોઈ જિલ્લામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન છે. આ સમયગાળામાં 61,016 હેક્ટર વાવેતર વિસ્તારમાં 30.65 ટન પ્રતિ હેક્ટરની ઉત્પાદકતા નોંધાઈ હતી.</p>



<p>સાબરકાંઠા અને અરવલ્લીમાં અનુક્રમે 12.97 લાખ ટન અને 6.99 લાખ ટન બટાટાનું ઉત્પાદન</p>



<p>બનાસકાંઠા બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ બટાટાનું વિપુલ ઉત્પાદન થયું છે. સાબરકાંઠામાં વર્ષ 2024-25માં 37,999 હેક્ટર વિસ્તારમાં 34.13 ટન/હેક્ટરની ક્ષમતા સાથે 12.97 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું. અરવલ્લી જિલ્લામાં અન્ય જિલ્લાની સરખામણીએ બટાટાની ખેતી તાજેતરના વર્ષોમાં શરૂ થઈ છે તેમ છતાં આ જિલ્લાએ રાજ્યના કુલ બટાટાના ઉત્પાદનમાં નોંધનીય ફાળો આપ્યો છે. વર્ષ 2024-25માં અરવલ્લીમાં 20,515 હેક્ટર વિસ્તારમાં 34.05 ટન/હેક્ટરની ક્ષમતા સાથે 6.99 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું.</p>



<p>બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છે અદ્યતન કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ</p>



<p>ગુજરાતનો ઉત્તરીય પટ્ટો ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા અને અદ્યતન ખેતી પ્રણાલીના કારણે ચિપ-ગ્રેડ અને ફ્રેન્ચ ફ્રાઈ-ગ્રેડ બટાટાના ઉત્પાદન માટે આદર્શ બન્યો છે. અહીં લેડી રોસેટા, કુફરી ચિપ્સોના, સન્તાના જેવી જાતોની ખેતી થાય છે, જેમાં શુષ્ક પદાર્થનું પ્રમાણ વધુ અને ખાંડનું પ્રમાણ ઓછું હોય છે, જેથી તે ક્રિસ્પ, ગોલ્ડન ફ્રાઈસ બનાવવા માટે યોગ્ય છે. આ બટાટા ફ્રોઝન ફૂડ પ્રોસેસર્સ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ (QSRs) જેમ કે મૅકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ અને ડોમિનોઝને સપ્લાય કરવામાં આવે છે, અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં તેની નિકાસ કરવામાં આવે છે. બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અદ્યતન કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ છે, જે આ સપ્લાય ચેઇનને ટેકો આપે છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>વિકસિત ભારત માટે વિકસિત ગામ બનાવો: રાજ્ય મંત્રી શ્રી પેમ્માસાની ચંદ્રશેખર</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-126/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Mon, 14 Jul 2025 10:26:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[દિલ્હી - નવી દિલ્હી]]></category>
		<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[#Agriculture]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#CentralGoverment]]></category>
		<category><![CDATA[#farming]]></category>
		<category><![CDATA[#newdelhi]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122937</guid>

					<description><![CDATA[મનરેગા ગ્રામીણ બેરોજગારી સામે એક શક્તિશાળી હથિયાર તરીકે કામ કરી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી (જી.એન.એસ) તા. 14 નવી દિલ્હી, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પેમ્માસાની ચંદ્રશેખરે&#160;2047&#160;સુધીમાં&#160;&#8216;વિકસિત ભારત&#8217;&#160;ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે&#160;&#8216;વિકસિત ગામ&#8217;&#160;બનાવવાનું આહ્વાન કર્યું છે. નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની કામગીરી સમીક્ષા સમિતિની પ્રથમ બેઠકને સંબોધતા,&#160;કેન્દ્રીય મંત્રીએ કહ્યું&#160;હતું&#160;કે&#160;&#8216;વિકસિત ગામ&#8217;&#160;એવું હશે જ્યાં દરેક પરિવાર પાસે...]]></description>
										<content:encoded><![CDATA[<div class="wp-block-image">
<figure class="aligncenter size-full"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/21-2-1-1.jpg"><img decoding="async" width="535" height="307" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/21-2-1-1.jpg" alt="" class="wp-image-122938" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/21-2-1-1.jpg 535w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/21-2-1-1-300x172.jpg 300w" sizes="(max-width: 535px) 100vw, 535px" /></a></figure></div>


<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span style="background-color:#00f10b" class="td_text_highlight_marker">મનરેગા ગ્રામીણ બેરોજગારી સામે એક શક્તિશાળી હથિયાર તરીકે કામ કરી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી</span></strong></h4>



<p>(જી.એન.એસ) તા. 14</p>



<p class="has-text-align-left">નવી દિલ્હી,</p>



<p>કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી પેમ્માસાની ચંદ્રશેખરે&nbsp;2047&nbsp;સુધીમાં&nbsp;&#8216;વિકસિત ભારત&#8217;&nbsp;ના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે&nbsp;&#8216;વિકસિત ગામ&#8217;&nbsp;બનાવવાનું આહ્વાન કર્યું છે. નવી દિલ્હીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની કામગીરી સમીક્ષા સમિતિની પ્રથમ બેઠકને સંબોધતા,&nbsp;કેન્દ્રીય મંત્રીએ કહ્યું&nbsp;હતું&nbsp;કે&nbsp;&#8216;વિકસિત ગામ&#8217;&nbsp;એવું હશે જ્યાં દરેક પરિવાર પાસે મૂળભૂત સુવિધાઓ સાથેનું કોંક્રિટનું ઘર હોય,&nbsp;ગુણવત્તાયુક્ત રસ્તાઓથી જોડાયેલ હોય,&nbsp;દરેક ગ્રામીણ યુવાનોને રોજગારની તકો હોય અને દરેક મહિલા સશક્ત અને આર્થિક રીતે સ્વતંત્ર હોય. આ કોઈ દૂરનું સ્વપ્ન નથી પરંતુ તે પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ આ માટે આપણે નવી ઊર્જા,&nbsp;નવીન વિચારસરણી અને ઊંડી પ્રતિબદ્ધતા સાથે કામ કરવાની જરૂર છે. આ ધ્યેય પ્રાપ્ત કરવામાં ગ્રામીણ વિકાસ મંત્રાલયની ભૂમિકા પર ભાર મૂકતા શ્રી પેમ્માસાનીએ જણાવ્યું હતું કે અમે ફક્ત યોજનાઓનો અમલ કરી નથી&nbsp;રહ્યા&nbsp;પરંતુ ભારતની વિકાસગાથાનો આગામી પ્રકરણ લખી રહ્યા છીએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું&nbsp;હતું&nbsp;કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેબિનેટ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના દૂરંદેશી નેતૃત્વ હેઠળ,&nbsp;અમે ગ્રામીણ વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.</p>



<p>મંત્રાલયની વિવિધ યોજનાઓની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા,&nbsp;શ્રી પેમ્માસાનીએ કહ્યું&nbsp;હતું&nbsp;કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ગ્રામીણ બેરોજગારી અને ખાસ કરીને કૃષિના નબળા મોસમ દરમિયાન સંકટ સ્થળાંતર સામે એક હથિયાર તરીકે કામ કરી રહી છે.&nbsp;90,000થી&nbsp;1,00,000&nbsp;કરોડ રૂપિયાના વાર્ષિક રોકાણને કારણે ટકાઉ અને ઉત્પાદક સંપત્તિનું નિર્માણ થયું છે. દર વર્ષે&nbsp;250&nbsp;કરોડથી વધુ માનવ-દિવસ ઉત્પન્ન થયા છે, 36&nbsp;કરોડથી વધુ જોબ કાર્ડ જારી કરવામાં આવ્યા છે અને&nbsp;15&nbsp;કરોડથી વધુ કામદારો તેના લાભાર્થી બન્યા છે. શ્રી પેમ્માસાનીએ પગાર ચુકવણીને બદલે અર્થપૂર્ણ સંપત્તિ નિર્માણ,&nbsp;પ્રવૃત્તિઓનું વૈવિધ્યકરણ અને અન્ય વિકાસ યોજનાઓ સાથે તેમનું સંકલન અને કાર્ય પસંદગીમાં સમુદાયની ભાગીદારી સૂચવી હતી.</p>



<p>પ્રધાનમંત્રી આવાસ યોજના &#8211; ગ્રામીણ (PMAY-G)નો ઉલ્લેખ કરતા,&nbsp;શ્રી પેમ્માસાનીએ માહિતી આપી કે તેની શરૂઆતથી,&nbsp;કાચા અથવા જર્જરિત મકાનોમાં રહેતા ગ્રામીણ પરિવારો માટે&nbsp;3.22&nbsp;કરોડથી વધુ ઘરો બનાવવામાં આવ્યા છે અને પરિવારના વિકાસ અને ગ્રામીણ વસ્તી વિસ્તરણને કારણે વધતી માંગને પહોંચી વળવા માટે&nbsp;2029&nbsp;સુધીમાં&nbsp;2&nbsp;કરોડ વધારાના ઘરો બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ પર્યાવરણને અનુકૂળ અને પ્રદેશ-વિશિષ્ટ બાંધકામ તકનીકો અને ખર્ચ-અસરકારક આવાસ ડિઝાઇનના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું પણ સૂચન કર્યું&nbsp;હતું.</p>



<p>પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)&nbsp;હેઠળ અત્યાર સુધીમાં&nbsp;7.56&nbsp;લાખ કિલોમીટરથી વધુ ગ્રામીણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે તે દર્શાવતા,&nbsp;શ્રી પેમ્માસાનીએ રાજ્ય સ્તરીય માર્ગ જાળવણી ભંડોળ સ્થાપવા,&nbsp;સમુદાય આધારિત દેખરેખ પ્રણાલીઓનો અમલ કરવા અને ટકાઉપણું માટે નવીન ધિરાણ મોડેલો વિકસાવવાનું સૂચન કર્યું&nbsp;હતું. મંત્રીએ કહ્યું&nbsp;હતું&nbsp;કે, DAY-NRLM&nbsp;સામાજિક અને આર્થિક સશક્તીકરણના એક શક્તિશાળી સાધન તરીકે ઉભરી આવ્યું છે,&nbsp;જેમાં&nbsp;10.05&nbsp;કરોડથી વધુ ગ્રામીણ મહિલાઓ&nbsp;91&nbsp;લાખ સ્વ-સહાય જૂથો (SHGs)&nbsp;માં રચાઈ છે અને સંચિત બેંક જોડાણ રૂ.&nbsp;11&nbsp;લાખ કરોડને પાર થયું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે,&nbsp;લખપતિ દીદી પહેલ હેઠળ, 3&nbsp;કરોડ મહિલાઓના લક્ષ્યાંક સામે&nbsp;1.5&nbsp;કરોડ મહિલાઓ પહેલાથી જ વાર્ષિક&nbsp;1&nbsp;લાખ રૂપિયાથી વધુ કમાણી કરી શકે છે. શ્રી પેમ્માસાનીએ લક્ષિત ધિરાણ,&nbsp;ઉન્નત કૌશલ્ય અને બજાર-તૈયાર સહાય દ્વારા &#8220;લખપતિ દીદીઓ&#8221;ને વધુ સશક્ત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે,&nbsp;કૌશલ્ય અને પ્લેસમેન્ટ કાર્યક્રમ&nbsp;DDU-GKY&nbsp;એ&nbsp;17&nbsp;લાખથી વધુ ગ્રામીણ યુવાનોને તાલીમ આપી છે અને&nbsp;11&nbsp;લાખથી વધુ લોકોને લાભદાયી રોજગાર આપ્યો છે.</p>



<p>કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી શ્રી કમલેશ પાસવાન,&nbsp;ગ્રામીણ વિકાસ સચિવ શ્રી શૈલેષ કુમાર સિંહ,&nbsp;ભારત સરકાર અને રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે&nbsp;ઉપસ્થિત&nbsp;રહ્યા હતા.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે હલકી ગુણવત્તાવાળા ખાતરો અંગે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-97/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 13 Jul 2025 11:01:58 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અન્ય રાજ્ય]]></category>
		<category><![CDATA[દિલ્હી - નવી દિલ્હી]]></category>
		<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[#Agriculture]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#CentralGoverment]]></category>
		<category><![CDATA[#farming]]></category>
		<category><![CDATA[#newdelhi]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122833</guid>

					<description><![CDATA[રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને ઝુંબેશ ચલાવીને કાર્યવાહી કરવા જણાવ્યું (જી.એન.એસ) તા. 13 નવી દિલ્હી, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને નકલી અને હલકી ગુણવત્તાવાળા ખાતરોની સમસ્યાને ગંભીરતાથી લીધી છે અને તેના પર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા...]]></description>
										<content:encoded><![CDATA[
<p>રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને ઝુંબેશ ચલાવીને કાર્યવાહી કરવા જણાવ્યું</p>



<p>(જી.એન.એસ) તા. 13</p>



<p>નવી દિલ્હી,</p>



<p>કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને નકલી અને હલકી ગુણવત્તાવાળા ખાતરોની સમસ્યાને ગંભીરતાથી લીધી છે અને તેના પર તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. આ પત્ર દેશભરમાં નકલી ખાતરોના વેચાણ અને સબસિડીવાળા ખાતરોના કાળાબજાર અને ફરજિયાત ટેગિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાના ઉદ્દેશ્યથી જારી કરવામાં આવ્યો છે.</p>



<p>કેન્દ્રીય મંત્રીએ પત્રમાં કહ્યું છે કે કૃષિ એ ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ છે અને ખેડૂતોની આવકમાં સ્થિરતા જાળવવા માટે,&nbsp;તેમને યોગ્ય સમયે,&nbsp;સસ્તા દરે અને પ્રમાણભૂત ગુણવત્તાવાળા ખાતરો પૂરા પાડવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.</p>



<p>તેમણે એ પણ ભાર મૂક્યો કે ખાતર નિયંત્રણ આદેશ, 1985 (જે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955&nbsp;હેઠળ આવે છે) હેઠળ નકલી અથવા હલકી ગુણવત્તાવાળા ખાતરોનું વેચાણ પ્રતિબંધિત છે.</p>



<p>કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે પત્રમાં રાજ્યોને નીચેના નિર્દેશો જારી કર્યા છે:</p>



<ol start="1" class="wp-block-list">
<li>ખેડૂતોને યોગ્ય જગ્યાએ અને જ્યાં તેમની જરૂર હોય ત્યાં પૂરતા પ્રમાણમાં ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવાની જવાબદારી રાજ્યોની છે. તેથી, રાજ્યોએ કાળાબજાર, વધુ પડતી કિંમત અને સબસિડીવાળા ખાતરોના ડાયવર્ઝન જેવી પ્રવૃત્તિઓ પર કડક દેખરેખ રાખવી જોઈએ અને તાત્કાલિક પગલાં લેવા જોઈએ.</li>



<li>ખાતરોના ઉત્પાદન અને વેચાણ અને નમૂના લેવા અને પરીક્ષણનું નિયમિત નિરીક્ષણ કરીને નકલી અને હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનો પર કડક નિયંત્રણ રાખવું જોઈએ.</li>



<li>પરંપરાગત ખાતરો સાથે નેનો-ખાતરો અથવા બાયો-ઉત્તેજકોનું બળજબરીથી ટેગિંગ વિલંબ કર્યા વિના બંધ કરવું જોઈએ.</li>



<li>ગુનેગારો સામે કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, જેમાં લાઇસન્સ રદ કરવું, FIR નોંધવી અને સજા સુનિશ્ચિત કરવા માટે કેસોનો અસરકારક રીતે પીછો કરવો જોઈએ.</li>



<li>રાજ્યોને પ્રતિસાદ અને માહિતી પ્રણાલી વિકસાવવા, દેખરેખ પ્રક્રિયામાં ખેડૂતો/ખેડૂત જૂથોને સામેલ કરવા અને ખેડૂતોને અસલી અને નકલી ઉત્પાદનો ઓળખવા માટે જાગૃત કરવા માટે ખાસ પ્રયાસો કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.</li>
</ol>



<p>કેન્દ્રીય મંત્રીએ તમામ રાજ્યોને નકલી અને નબળી ગુણવત્તાવાળા કૃષિ ઇનપુટ્સની સમસ્યાને જડમૂળથી નાબૂદ કરવા માટે ઉપરોક્ત માર્ગદર્શિકા અનુસાર રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવા વિનંતી કરી છે. તેમણે એમ પણ કહ્યું કે જો રાજ્ય સ્તરે આ કાર્યનું નિયમિત નિરીક્ષણ કરવામાં આવે તો તે ખેડૂતોના હિતમાં અસરકારક અને કાયમી ઉકેલ સાબિત થશે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
