<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>#Health &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/tag/health/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Fri, 18 Jul 2025 14:25:00 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>રાજ્યમાં મેલેરિયા સંવેદનશીલ ૨૧ જિલ્લાના ૧૯૬ ગામોમાં જંતુનાશક દવા છંટકાવનો પ્રથમ તબક્કો પૂર્ણ : બીજો તબક્કો પહેલી ઓગસ્ટથી શરૂ થશે</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-233/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Fri, 18 Jul 2025 14:25:00 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Health]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123297</guid>

					<description><![CDATA[વાહક જન્ય રોગો પર નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સવિશેષ ઝુંબેશ (જી.એન.એસ) તા. 18 ગાંધીનગર, રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે. જે...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>વાહક જન્ય રોગો પર નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સવિશેષ ઝુંબેશ</strong></p>



<p>(જી.એન.એસ) તા. 18</p>



<p>ગાંધીનગર,</p>



<p>રાજ્યમાં ચોમાસા દરમિયાન મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગોના નિર્મૂલનની કામગીરીને વધુ સઘન બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ રહી છે.</p>



<p>જે અંતર્ગત આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા વર્ષ ૨૦૨૩થી છેલ્લા ૩ વર્ષમાં રાજ્યના નાગરિકોના કુલ ૪.૪૮ કરોડ કરતાં વધુ લોહીના નમૂના અને ૪.૪૬ લાખ કરતાં વધુ સીરમના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૮,૯૫૬ મેલેરિયાના કેસ, ૧૫,૮૪૧ ડેન્ગ્યુના કેસ અને ૧,૩૪૫ જેટલા ચિકાનગુનિયાના કેસ નોંધાયા હતા. જેમાં વર્ષ ૨૦૨૫માં છેલ્લા ૨૮ સપ્તાહમાં ૯૨.૮૬ લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાંથી ૮૬૦ કેસ મેલેરિયાના જોવા મળ્યા છે જેને કારણે ૪૦ નાગરિકોના મૃત્યુ થયા હતા. જ્યારે ડેન્ગ્યુ તપાસ માટે ૬૭ હજારથી વધુ સીરમ લેવામાં આવ્યા હતા જેમાંથી ૭૨૮ કેસ ડેન્ગ્યુના તેમજ ૧૩૦ કેસ ચિકનગુનિયાના નોંધાયા હતા.&nbsp;</p>



<p>આરોગ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગોની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ રહે તે માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. જેમ કે, મેલેરિયા માટે સંવેદનશીલ ૨૧ જિલ્લાના ૧૯૬ ગામોની અંદાજે ૨.૦૪ લાખની વસ્તીને જંતુનાશક દવા છંટકાવના તા. ૧૬ મે-૨૦૨૫થી ૧૧ જુલાઈ-૨૦૨૫ સુધીના પ્રથમ રાઉન્ડ હેઠળ આવરી લેવામાં આવી છે. જ્યારે જંતુનાશક દવા છંટકાવના બીજા રાઉન્ડની કામગીરી તા. ૦૧ ઓગસ્ટ, ૨૦૨૫થી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગો માટે સંવેદનશીલ જણાતા વિસ્તારોમાં પોરાનાશક અને તાવ સર્વેલન્સની કામગીરી સઘન રીતે હાથ ધરવા ૨,૪૬૦ વ્યક્તિઓ સાથેની કુલ ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમ&nbsp; મૂકવામાં આવી છે.</p>



<p>આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા તા. ૦૯ થી ૨૧ જૂન, ૨૦૨૫ દરમિયાન રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકાના વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરી તાવ સર્વેલન્સ, પોરાનાશક અને આરોગ્યશિક્ષણની પ્રવૃતિ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ૯૨ ટકા વસ્તી કવર કરવામાં આવી છે. જ્યારે હાઉસ ટુ હાઉસના બીજા રાઉન્ડનું આયોજન આગામી તા. ૨૧ જુલાઇ, ૨૦૨૫થી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં ૩,૪૩૧ જગ્યાએ પોરાભક્ષક માછલીઓ મુકવામાં આવી છે. આમ, વાહકજન્ય રોગોની સમગ્ર પરિસ્થિતીનું દૈનિક, અઠવાડીક અને માસિક ધોરણે મોનીટરીંગ પણ કરવામાં આવનાર છે તેમ,આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ગાંધીનગરમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છરજન્ય રોગો સામે ઝુંબેશનો પ્રારંભ: જન આરોગ્યની નવી દિશા</title>
		<link>https://gnsnews.co.in/campaign-against-mosquito-borne-diseases-launched-in-gandhinagar-through-drone-technology/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Mon, 07 Jul 2025 15:05:00 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gmc]]></category>
		<category><![CDATA[#Health]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122266</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરજન્ય રોગો સામે એક અભિનવ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો શુભારંભ માનનીય મેયરશ્રીમતી મીરાબેન પટેલના વરદ હસ્તે પોર ગામના તળાવથી કરવામાં આવ્યો હતો, જ્યાં તેમણે પોતે ડ્રોન ઉડાડીને &#8220;નમો ડ્રોન દીદી&#8221; તરીકે આ નવતર અભિગમની શરૂઆત કરાવી. આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 7</p>



<p>ગાંધીનગર,</p>



<p>ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મચ્છરજન્ય રોગો સામે એક અભિનવ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો શુભારંભ માનનીય મેયરશ્રીમતી મીરાબેન પટેલના વરદ હસ્તે પોર ગામના તળાવથી કરવામાં આવ્યો હતો, જ્યાં તેમણે પોતે ડ્રોન ઉડાડીને &#8220;નમો ડ્રોન દીદી&#8221; તરીકે આ નવતર અભિગમની શરૂઆત કરાવી.</p>



<p>આરોગ્ય વિભાગ દ્વારા મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે લડવા માટે અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજી અપનાવવામાં આવી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા નિયમિતપણે મચ્છર ઉત્પત્તિ સ્થાનો દૂર કરવામાં આવે છે અને દવાનો છંટકાવ કરવામાં આવે છે, પરંતુ મોટા તળાવો, ઊંચી ઇમારતોની છત, સુએજ કેનાલ, ખુલ્લી ગટર (ઓપન ડ્રેનેજ), કન્સ્ટ્રક્શન સાઇટ્સ, રોડની ઓફસાઇડિંગ, ખુલ્લી પાણીની ટાંકીઓ, ગંદા પાણીના સ્ત્રોત, ખાડીઓ અને જળકુંભીથી ભરાયેલી જગ્યાઓ જેવા દુર્ગમ વિસ્તારોમાં જ્યાં માણસ દ્વારા પહોંચવું શક્ય નથી, ત્યાં આ કામગીરી મુશ્કેલ બને છે.</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/11-2-.jpg"><img fetchpriority="high" decoding="async" width="658" height="439" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/11-2-.jpg" alt="" class="wp-image-122268" style="width:372px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/11-2-.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/11-2--300x200.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/11-2--600x400.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p>આ પડકારનો સામનો કરવા માટે, હવે ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધવા અને દવાનો છંટકાવ કરવાનો કાર્યક્રમ શરૂ કરાયો છે. આ શુભારંભ પ્રસંગે ડેપ્યુટી મેયરશ્રી નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી સંકેત પંચાસરા , નાયબ મ્યુ. કમિશનરશ્રી જે.એમ.ભોરણીયા, તેમજ અન્ય કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા.</p>



<p>આ નવી પહેલ અંતર્ગત, ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મહાનગરપાલિકા વિસ્તારમાં સર્વે કરવામાં આવશે અને સૌપ્રથમ AI/ML (આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ/મશીન લર્નિંગ) આધારિત ડ્રોન દ્વારા મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી કાઢવામાં આવશે. ત્યારબાદ, આ સ્થળોને ગૂગલ મેપ પર અક્ષાંશ-રેખાંશ (લેટીટ્યુડ-લોન્ગીટ્યુડ) સાથે ફોટોગ્રાફ્સ દ્વારા લોકેટ કરવામાં આવશે. આ વિગતવાર માહિતી એક ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનલાઈન ઉપલબ્ધ થશે.</p>



<p>આ માહિતીના આધારે, સાઈટની સફાઈ, ખુલ્લા પાત્રોનો નિકાલ અથવા લાર્વીસાઈડનો છંટકાવ જેવી આવશ્યક કામગીરી માટે ગ્રાઉન્ડ ટીમ અને ડ્રોન ટીમને સ્વયંચાલિત રીતે કાર્ય સોંપવામાં આવશે. તેમની દ્વારા કરાયેલી કામગીરીનું ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ મોનિટરિંગ પણ શક્ય બનશે, જે વિભાગ માટે અત્યંત મદદરૂપ થશે. જ્યાં ગ્રાઉન્ડ ટીમ દ્વારા છંટકાવ શક્ય નહીં હોય, તેવા વિસ્તારોમાં મોટા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવશે.</p>



<p>આ નવતર અભિગમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 2030 સુધીમાં ભારતને ડ્રોન હબ બનાવવાના દૂરંદેશી દ્રષ્ટિકોણને અનુરૂપ છે. તે સરકારના મેલેરિયા નાબૂદી મિશન 2030 તેમજ અન્ય વાહકજન્ય રોગોને નિયંત્રિત કરવાના પ્રયત્નોને નોંધપાત્ર ગતિ આપશે. આ અનોખી પહેલ આરોગ્ય વિભાગના રોગ નિયંત્રણના પ્રયાસોને મજબૂત બનાવશે અને ગાંધીનગરને મચ્છરજન્ય રોગો મુક્ત બનાવવામાં અત્યંત મદદરૂપ થશે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
