<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>#Heavyrains &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/tag/heavyrains/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Fri, 25 Jul 2025 03:02:00 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>સમગ ગુજરાતમાં ફરી એકવાર છવાશે વરસાદી માહોલ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-362/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Fri, 25 Jul 2025 03:02:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[કચ્છ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[દક્ષિણ ગુજરાત]]></category>
		<category><![CDATA[મધ્ય ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrains]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<category><![CDATA[#weather]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123753</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 25 ગુજરાતમાં ફરી રાજ્યવ્યાપી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ શુક્રવારથી આગામી 7 દિવસ સુધી ગુજરાત રાજ્યમા વરસાદી વાતાવરણ રહેશે. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 2.13 ઇંચ વરસાદ...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 25</p>



<p>ગુજરાતમાં ફરી રાજ્યવ્યાપી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ શુક્રવારથી આગામી 7 દિવસ સુધી ગુજરાત રાજ્યમા વરસાદી વાતાવરણ રહેશે.</p>



<p>છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે.</p>



<p>હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી ઉપર સર્જાયેલ લો પ્રેશર, રાજસ્થાનમાં દરિયાઈ સપાટીથી 3.1 કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન, ગંગાનર, સિરસા થઈને લો પ્રેશર એરિયા સુધી પસાર થઈ રહેલ મોનસુન ટ્રર્ફ તેમજ મહારાષ્ટ્રથી કેરળ સુધીના દરિયાઈ પટ્ટીમાં સર્જાયેલ ઓફ શોર ટ્રર્ફને કારણે ગુજરાતમાં આશરે એક સપ્તાહ સુધી વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે.</p>



<p>બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ આવતા, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સુધીમાં પણ વ્યાપક વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં આજે ગુરુવારના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>બનાસકાંઠા, પાલનપુર-ડીસા અને વડગામમાંભારે વરસાદ, ખેડૂતોની તકલીફમાં વધારો</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-98/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 13 Jul 2025 23:29:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[દક્ષિણ ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#farmers]]></category>
		<category><![CDATA[#Heavyrains]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122837</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 13 બનાસકાંઠા, બનાસકાંઠામાં જિલ્લામાં મોડી રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેતરો જળબમ્બાકાર થયા છે. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેતરો તળાવ બન્યા છે. ખેતરોમાં ઉભેલા ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં&#160;બનાસકાંઠા, પાલનપુર અને ડીસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 13</p>



<p>બનાસકાંઠા,</p>



<p>બનાસકાંઠામાં જિલ્લામાં મોડી રાત્રીથી વરસાદી માહોલ જામ્યો છે. દાંતીવાડા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેતરો જળબમ્બાકાર થયા છે. ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેતરો તળાવ બન્યા છે. ખેતરોમાં ઉભેલા ખેડૂતોના પાકને નુકશાનની ભીતિ જોવા મળી રહી છે.</p>



<p>છેલ્લા 24 કલાકમાં&nbsp;બનાસકાંઠા, પાલનપુર અને ડીસામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દાંતિવાડામાં 6.30 ઈંચ, પાલનપુરમાં 4.56 ઈંચ, ડીસામાં 3.66 ઈંચ, દાંતામાં 3.07 ઈંચ અને વડગામમાં 2.52 ઈંચ વરસાદ નોંધાયો હતો.&nbsp;</p>



<p>બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયું હતું જેને કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.&nbsp; પાલનપુર-આબુરોડ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે આજે સવારથી જ વડગામ, પાલનપુર ડીસા દાતીવાડા, દિયોદર, થરાદ, લાખણી, ધાનેરા, વાવ, સૂઈગામ અને કાંકરેજમાં વરસાદ પડી રહ્યો છે.</p>



<p>ભારે વરસાદથી સીપુ નદીમાં નવા નીરની આવક થઈ છે, દાંતીવાડા, સીપુ ડેમની પાણીની જળ સપાટીમાં વધારો થયો છે, દાંતીવાડા ડેમમાં 9760 ક્યુસેક પાણીની આવક થઈ છે, દાંતીવાડા ડેમની જળ સપાટી 562.79 ફૂટે પહોંચી છે, સીપુ ડેમમાં 3246 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, સીપુ ડેમની જળ સપાટી 572.77 ફૂટે પહોંચી છે.</p>



<p>સતત ધોધમાર વરસાદથી બનાસકાંઠા જિલ્લાના નદીનાળા છલકાઈ ગયા હતા. આલવાડાનું વહેણ ફરી જીવંત થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ભારે વરસાદથી રેલ નદીમાં પાણીની આવક શરૂ થઈ હતી.&nbsp;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-63/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 13 Jul 2025 00:55:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[કચ્છ]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[દક્ષિણ ગુજરાત]]></category>
		<category><![CDATA[મધ્ય ગુજરાત]]></category>
		<category><![CDATA[સૌરાષ્ટ્ર]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrains]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<category><![CDATA[#Monsoon]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122720</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. ગઈકાલે (12 જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યુ હતું. હવામાન વિભાગની...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 13</p>



<p>ગાંધીનગર,</p>



<p>છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. ગઈકાલે (12 જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યુ હતું.</p>



<p>હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે (રવિવાર,13 જુલાઈ) ના રોજ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.&nbsp;</p>



<p>તા. 14-16 જુલાઈની આગાહી</p>



<p>હવામાન વિભાગે આગામી 14-15 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 16 જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.&nbsp;</p>



<p>આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદ પડશે તેવું જણાવવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ જળ સંગ્રહ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-11/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sat, 12 Jul 2025 00:07:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[કચ્છ]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[દક્ષિણ ગુજરાત]]></category>
		<category><![CDATA[મધ્ય ગુજરાત]]></category>
		<category><![CDATA[રાજકોટ]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[સૌરાષ્ટ્ર]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Dams]]></category>
		<category><![CDATA[#Heavyrains]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122563</guid>

					<description><![CDATA[હાલમાં રાજ્યના ૨૪ જળાશયો સંપૂર્ણ જ્યારે ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા (જી.એન.એસ) તા. 12 ગાંધીનગર, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૪ ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ૪૯.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ...]]></description>
										<content:encoded><![CDATA[
<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span style="background-color:#9dcbf8" class="td_text_highlight_marker">હાલમાં રાજ્યના ૨૪ જળાશયો સંપૂર્ણ જ્યારે ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા</span></strong></h4>



<p>(જી.એન.એસ) તા. 12</p>



<p>ગાંધીનગર,</p>



<p>રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૪ ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ૪૯.૪૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. ૧૧ જુલાઈ-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૯.૫૫ ટકા જળ સંગ્રહ હતો તેમ, જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.</p>



<p>વધુમાં મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં સૌથી વધુ ૬૨.૮૩ ટકા જળ સંગ્રહ, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૬૨.૩૭ ટકા જળ સંગ્રહ, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૬.૦૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૫.૬૭ ટકા જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૪૬.૭૯ ટકા જળ સંગ્રહ ઉપલબ્ધ છે. આમ સરદાર સરોવર સિવાય રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૬.૭૬ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયલો છે.</p>



<p>રાજ્યમાં હાલમાં ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કચ્છમાં સરેરાશ ૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૨.૧૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૭.૦૧ ટકા, પૂર્વ મધ્યમાં ૪૫.૯૦ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૪૨.૦૮ ટકા સરેરાશ વરસાદ થયો છે.&nbsp; જેના ફળ સ્વરૂપે રાજ્યના ૨૪ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, ૫૪ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકાની વચ્ચે, ૪૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકાની વચ્ચે જ્યારે ૪૦ જળાશયો ૨૫ થી ૨૫ ટકાની વચ્ચે ભરાયા છે. જેથી રાજ્યના ૩૮ જળાશયો માટે હાઈ એલર્ટ, ૨૦ જળાશયો એલર્ટ જ્યારે ૨૦ જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.&nbsp;&nbsp;&nbsp;</p>



<p>ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના કારણે રાજ્યમાં હાલની સ્થિતિએ વડોદરા જિલ્લામાં બે સ્ટેટ હાઈવે અને&nbsp; છોટાઉદેપુર તાલુકામાં માત્ર એક નેશનલ હાઈવે સિવાય બાકીના તમામ રોડ રસ્તા ચાલુ છે. આ બંધ રોડ પણ બનતી ત્વરાએ ચાલુ કરાશે.&nbsp;&nbsp;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ઉત્તરાખંડમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલનથી રુદ્રપ્રયાગ-બદ્રીનાથ માર્ગ ખોરવાઈ ગયો</title>
		<link>https://gnsnews.co.in/%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%b0%e0%aa%be%e0%aa%96%e0%aa%82%e0%aa%a1%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%ab%87-%e0%aa%b5%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 10 Jul 2025 10:04:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[Uttarakhand]]></category>
		<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrains]]></category>
		<category><![CDATA[#LAndslide]]></category>
		<category><![CDATA[#Uttarakhand]]></category>
		<category><![CDATA[#UttarakhandGoverment]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122473</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા.10&#160; રુદ્રપ્રયાગ, સતત ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ-બદ્રીનાથ માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે ઘણા મુસાફરો ફસાયા છે. ઋષિકેશ જઈ રહેલા પ્રવાસી દિલપ્રીતે જણાવ્યું કે તે ચાર કલાકથી વધુ સમયથી રસ્તા પર ફસાયો હતો. &#8220;અમે ઋષિકેશ જઈ રહ્યા હતા ત્યારે ભૂસ્ખલન થયું. કાટમાળ અને પથ્થરોએ રસ્તો બંધ કરી દીધો છે....]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા.10&nbsp;</p>



<p>રુદ્રપ્રયાગ,</p>



<p>સતત ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનના કારણે ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ-બદ્રીનાથ માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે ઘણા મુસાફરો ફસાયા છે. ઋષિકેશ જઈ રહેલા પ્રવાસી દિલપ્રીતે જણાવ્યું કે તે ચાર કલાકથી વધુ સમયથી રસ્તા પર ફસાયો હતો. &#8220;અમે ઋષિકેશ જઈ રહ્યા હતા ત્યારે ભૂસ્ખલન થયું. કાટમાળ અને પથ્થરોએ રસ્તો બંધ કરી દીધો છે. ક્રેનનો ઉપયોગ કરીને માર્ગ સાફ કરવામાં આવી રહ્યો છે,&#8221; તેમણે મીડિયાને જણાવ્યું.</p>



<p>પુનઃસ્થાપન કાર્ય ચાલુ છે</p>



<p>કચરો દૂર કરવા અને સામાન્ય ટ્રાફિક પ્રવાહ પુનઃસ્થાપિત કરવા માટે અધિકારીઓએ ભારે મશીનરી તૈનાત કરી છે. રસ્તો ફરીથી ખોલવા અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવાના પ્રયાસો ચાલુ છે.</p>



<p>ચમોલી જિલ્લામાં વાદળ ફાટવાની જાણ</p>



<p>૮ જુલાઈના રોજ, ચમોલી જિલ્લાના નંદપ્રયાગ ઘાટ નજીક મુખ ગામ પાસે વાદળ ફાટવાની જાણ થઈ હતી. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અનુસાર, અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે SDRF ટીમ રવાના કરવામાં આવી છે.</p>



<p>IMD એ ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે</p>



<p>ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. રહેવાસીઓ અને યાત્રાળુઓને સાવધ રહેવા અને સંવેદનશીલ વિસ્તારોમાં બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.</p>



<p>કેદારનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત</p>



<p>અગાઉ, ગૌરીકુંડથી આશરે એક કિલોમીટર દૂર છોડી ગધેરે નજીક ભૂસ્ખલનથી પદયાત્રીઓના ટ્રેકને નુકસાન થતાં રુદ્રપ્રયાગમાં કેદારનાથ ધામ યાત્રા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. સલામતીના પગલાં અમલમાં મુકાયા હોવાથી અને સમારકામનું કામ શરૂ થતાં યાત્રાળુઓની અવરજવર સ્થગિત કરવામાં આવી હતી.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>હિમાચલ પ્રદેશ: વાદળ ફાટવાથી અને અચાનક પૂરથી અનેક જિલ્લાઓમાં ૧૦ લોકોના મોત, IMDએ રેડ એલર્ટ જાહેર કર્યું</title>
		<link>https://gnsnews.co.in/%e0%aa%b9%e0%aa%bf%e0%aa%ae%e0%aa%be%e0%aa%9a%e0%aa%b2-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a6%e0%ab%87%e0%aa%b6-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6%e0%aa%b3-%e0%aa%ab%e0%aa%be%e0%aa%9f%e0%aa%b5%e0%aa%be/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Wed, 02 Jul 2025 11:13:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અન્ય રાજ્ય]]></category>
		<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrains]]></category>
		<category><![CDATA[#HimachalPradesh]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<category><![CDATA[#RedAlert]]></category>
		<category><![CDATA[#weather]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=121908</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા.2 શિમલા, બુધવારે હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો પ્રકોપ ચાલુ રહ્યો, છેલ્લા 24 કલાકમાં વાદળ ફાટવાની 10 વધુ ઘટનાઓ નોંધાઈ, જેના કારણે વરસાદ અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 10 થઈ ગઈ, જેમાં અધિકારીઓએ અનેક લોકોના તણાઈ ગયા બાદ વધુ બે મૃતદેહ બહાર કાઢ્યા. મંડી રાજ્યનો સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે જ્યાં અચાનક પૂર,...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા.2</p>



<p>શિમલા,</p>



<p>બુધવારે હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો પ્રકોપ ચાલુ રહ્યો, છેલ્લા 24 કલાકમાં વાદળ ફાટવાની 10 વધુ ઘટનાઓ નોંધાઈ, જેના કારણે વરસાદ અને ભૂસ્ખલન સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 10 થઈ ગઈ, જેમાં અધિકારીઓએ અનેક લોકોના તણાઈ ગયા બાદ વધુ બે મૃતદેહ બહાર કાઢ્યા. મંડી રાજ્યનો સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લો છે જ્યાં અચાનક પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાની અનેક ઘટનાઓ બની છે જેના કારણે વ્યાપક વિનાશ થયો છે.</p>



<p>મંડી પ્રદેશમાં સતત ભારે વરસાદને કારણે બિયાસ નદીમાં ગંભીર પૂરનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્ય માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં આગામી થોડા દિવસો માટે અત્યંત ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરની ચેતવણી આપવામાં આવી છે. અધિકારીઓએ રહેવાસીઓને સતર્ક રહેવા અને સંવેદનશીલ વિસ્તારોમાં મુસાફરી ટાળવાની સલાહ આપી છે.</p>



<p>રસ્તાઓ, વીજ મથકોને નુકસાન</p>



<p>મંડીમાં થુનાગ, કારસોગમાં કુટ્ટી બાયપાસ, કારસોગમાં ઓલ્ડ બજાર, કારસોગમાં રિક્કી, ગોહરમાં સિયાંજ, ગોહરમાં બસ્સી, ગોહરમાં તલવારા, ધરમપુરમાં સ્યાથી અને ધરમપુરમાં ભદરાણા સહિત અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાથી નુકસાન થયું હોવાના અહેવાલ છે.</p>



<p>બુધવારે સવારે 10 વાગ્યા સુધીમાં, 282 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ રહ્યા હતા. વધુમાં, 1,361 પાવર ટ્રાન્સફોર્મર અને 639 પાણી પુરવઠા યોજનાઓને અસર થઈ છે. મંડી જિલ્લામાં સૌથી વધુ 182 રસ્તાઓ બંધ થયા છે, ત્યારબાદ કુલ્લુમાં 37, શિમલા ખાતે 33 અને સિરમૌરમાં 12 રસ્તાઓ બંધ થયા છે.</p>



<p>ચોમાસાને કારણે થયેલા નુકસાનમાં 51 લોકો માર્યા ગયા</p>



<p>20 જૂનથી ચોમાસાની ઋતુ શરૂ થઈ ત્યારથી, વાદળ ફાટવા, પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં 1 જુલાઈ સુધીમાં 51 લોકોના મોત, 103 ઘાયલ અને 22 લોકો ગુમ થયા છે. અત્યાર સુધીમાં કુલ અંદાજિત નુકસાન રૂ. 28,339.81 લાખ સુધી પહોંચ્યું છે.</p>



<p>મુખ્યમંત્રી સુખુ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે</p>



<p>મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ આજે બપોરે લોંગની અને ધરમપુરના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લેશે, જ્યાં વાદળ ફાટવા અને ભારે વરસાદથી નોંધપાત્ર નુકસાન થયું છે. તેઓ મુલાકાત દરમિયાન અસરગ્રસ્ત પરિવારો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ, મુખ્યમંત્રી બપોરે 2:30 વાગ્યે સોલન જવા રવાના થવાના છે.</p>



<p>વિપક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુરે બુધવારે બગલામુખી રોપવે દ્વારા વાદળ ફાટવાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું. થુનાગની બહાર ટેલિફોન સેવાઓ ખોરવાઈ ગઈ હોવાથી તેમણે સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરીને થુનાગના એસડીએમ સાથે વાતચીત કરી. સંદેશાવ્યવહાર ખોરવાઈ જવાને કારણે, ઘણા અસરગ્રસ્ત વિસ્તારો સાથે સંપર્ક શક્ય નથી.</p>



<p>જયરામ ઠાકુરે અધિકારીઓને ભૂસ્ખલન અને પૂરને કારણે ફસાયેલા લોકો અને પ્રવાસીઓ માટે સલામત સ્થળાંતર અને ખોરાકની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી. તેમણે અધિકારીઓને ગુમ થયેલા લોકો માટે શોધ પ્રયાસો ઝડપી બનાવવા અને અસરકારક રાહત અને બચાવ કામગીરી માટે અસરગ્રસ્ત પરિવારો સાથે નજીકથી સંકલન કરવાનો પણ નિર્દેશ આપ્યો.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
