<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>#IMD &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/tag/imd/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Sun, 27 Jul 2025 11:57:00 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>હવામાન વિભાગ દ્વારા આવનારા ૪૮ કલાક માટે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-426/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 27 Jul 2025 11:57:00 +0000</pubDate>
				<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrain]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123986</guid>

					<description><![CDATA[છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા વરસાદ નોંધાયો, સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા (જી.એન.એસ) તા. 27 અમદાવાદ, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો</strong></p>



<p class="has-text-align-center"><strong>રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 58 ટકા વરસાદ નોંધાયો, સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 64 ટકા</strong></p>



<p>(જી.એન.એસ) તા. 27</p>



<p>અમદાવાદ,</p>



<p>છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 181 તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં 7.52 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના 72 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે&nbsp; (27 જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન બે કલાકમાં 103 ધડબડાટી બોલાવી છે.&nbsp;</p>



<p>અરવલ્લી જિલ્લાના મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31 ઇંચ, સિદ્ધપુરમાં 5.16 ઇંચ, કપરાડામાં 4.92 ઇંચ, દહેગામમાં 4.80 ઇંચ, કઠલાલમાં 4.17 ઇંચ, મહેસાણામાં 3.98 ઇંચ, ધરમપુરમાં 3.78 ઇંચ, પ્રાંતિજમાં 3.66 ઇંચ, કંડાણામાં 3.58 ઇંચ, ડીસામાં 3.58 ઇંચ, ધનસુરામાં 3.50 ઇંચ અને સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ નોંધાયો છે.</p>



<p>હવામાન વિભાગ દ્વારા આગામી 1 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.</p>



<p>28મી જુલાઈની આગાહી</p>



<p>28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.</p>



<p>શનિવારે modi રાતથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે રવિવારે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. &nbsp;નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહારને અસર&nbsp;થઇ હતી. જો કે, સ્થાનિક પ્રશાસન દ્વારા પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>કુલ્લુમાં ભૂસ્ખલનને કારણે સ્થળાંતર શરૂ, IMD એ હિમાચલના 4 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-403/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sat, 26 Jul 2025 11:52:00 +0000</pubDate>
				<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrain]]></category>
		<category><![CDATA[#HimachalPradesh]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123902</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા.26 કુલ્લુ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે કુલ્લુ જિલ્લાના એક ગામમાં ભૂસ્ખલન થયું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. કુલ્લુ જિલ્લાના એક ગામમાં શનિવારે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયા બાદ 11 ઘરોના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે અધિકારીઓએ આશરે 20 લોકોને ઝડપથી સલામત સ્થળે...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા.26</p>



<p>કુલ્લુ,</p>



<p>હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે કુલ્લુ જિલ્લાના એક ગામમાં ભૂસ્ખલન થયું હતું, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. કુલ્લુ જિલ્લાના એક ગામમાં શનિવારે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયા બાદ 11 ઘરોના રહેવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.</p>



<p>અધિકારીઓએ જણાવ્યું હતું કે અધિકારીઓએ આશરે 20 લોકોને ઝડપથી સલામત સ્થળે ખસેડ્યા હતા અને જાહેર બાંધકામ વિભાગના રેસ્ટ હાઉસમાં એક ટ્રાન્ઝિટ કેમ્પ સ્થાપ્યો હતો.</p>



<p>કુલ્લુના ડેપ્યુટી કમિશનર તરુલ એસ રવિશે પુષ્ટિ આપી હતી કે, &#8220;અમારી પ્રથમ પ્રાથમિકતા જીવન બચાવવાની હતી, જે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. સ્થળનું ટેકનિકલ મૂલ્યાંકન ટૂંક સમયમાં કરવામાં આવશે.&#8221;</p>



<p>રાજ્યમાં ભારે વરસાદ ચાલુ છે</p>



<p>આ ઘટનાનો ઉલ્લેખ કરતા, સાંજ પંચાયતના પ્રધાન ભગત રામ આઝાદે જણાવ્યું હતું કે ગામની પાછળનો ટેકરી સરકવા લાગી હતી, જેના કારણે પથ્થરો નીચે પડી ગયા હતા, જેના કારણે તાત્કાલિક સ્થળાંતર કરવાના પ્રયાસો શરૂ થયા હતા.</p>



<p>રાજ્યમાં ભારે વરસાદ ચાલુ છે, જેમાં વ્યાપક નુકસાન થયું છે. શુક્રવાર સાંજ સુધીમાં, એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 222 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ૩૦ જૂનની રાત્રે અનેક વાદળ ફાટવાના કારણે એકલા મંડી જિલ્લામાં જ મનાલી-કોટાલી રૂટ (NH-70) સહિત ૧૪૪ રસ્તા બંધ થયા હતા.</p>



<p>સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, રાજ્યભરમાં ૩૬ પાવર ટ્રાન્સફોર્મર અને ૧૫૨ પાણી પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ ગઈ છે.</p>



<p>૨૯ જુલાઈએ હિમાચલ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ</p>



<p>૨૦ જૂને ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી, વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૮૨ લોકોના મોત થયા છે અને ૩૪ લોકો ગુમ થયા છે. રાજ્યમાં ૪૨ અચાનક પૂર, ૨૫ વાદળ ફાટવાના બનાવો અને ૩૦ ભૂસ્ખલન નોંધાયા છે, જેમાં કુલ ૧,૪૩૬ કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.</p>



<p>દરમિયાન, શુક્રવાર સાંજથી ઘણા વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડ્યો છે. વરસાદના આંકડાઓમાં જાટોન બેરેજ (33.2 મીમી), પાલમપુર (33 મીમી), મંડી (26.4 મીમી), કાંગડા (21.1 મીમી), પાઓંટા સાહિબ (20.8 મીમી), કોઠી (18.6 મીમી), બિલાસપુર (15.4 મીમી), ગુલેર (14.4 મીમી), નારકંડા (13 મીમી), બાજફરી (13 મીમી) નો સમાવેશ થાય છે. (9.5 મીમી), ધૌલા કુઆન (8.5 મીમી), અને શિમલા (8.4 મીમી). સુંદરનગર, શિમલા અને જુબ્બરહટ્ટીમાં પણ વાવાઝોડાના અહેવાલ છે.</p>



<p>સ્થાનિક હવામાન વિભાગે 29 જુલાઈ (મંગળવારે) ચંબા, કાંગડા, મંડી અને કુલ્લુ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે નારંગી ચેતવણી જારી કરી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>સમગ ગુજરાતમાં ફરી એકવાર છવાશે વરસાદી માહોલ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-362/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Fri, 25 Jul 2025 03:02:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[કચ્છ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[દક્ષિણ ગુજરાત]]></category>
		<category><![CDATA[મધ્ય ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrains]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<category><![CDATA[#weather]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123753</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 25 ગુજરાતમાં ફરી રાજ્યવ્યાપી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ શુક્રવારથી આગામી 7 દિવસ સુધી ગુજરાત રાજ્યમા વરસાદી વાતાવરણ રહેશે. છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 2.13 ઇંચ વરસાદ...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 25</p>



<p>ગુજરાતમાં ફરી રાજ્યવ્યાપી વરસાદનો એક રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલ શુક્રવારથી આગામી 7 દિવસ સુધી ગુજરાત રાજ્યમા વરસાદી વાતાવરણ રહેશે.</p>



<p>છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ વરસાદી માહોલ છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે.</p>



<p>હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી ઉપર સર્જાયેલ લો પ્રેશર, રાજસ્થાનમાં દરિયાઈ સપાટીથી 3.1 કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન, ગંગાનર, સિરસા થઈને લો પ્રેશર એરિયા સુધી પસાર થઈ રહેલ મોનસુન ટ્રર્ફ તેમજ મહારાષ્ટ્રથી કેરળ સુધીના દરિયાઈ પટ્ટીમાં સર્જાયેલ ઓફ શોર ટ્રર્ફને કારણે ગુજરાતમાં આશરે એક સપ્તાહ સુધી વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના છે.</p>



<p>બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર ધીમે ધીમે પશ્ચિમ દિશા તરફ આગળ આવતા, મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સુધીમાં પણ વ્યાપક વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં આજે ગુરુવારના રોજ સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>તેલંગાણા હવામાન: IMD એ સાત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી, યલો એલર્ટ જારી કર્યું, સંપૂર્ણ આગાહી તપાસો</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-338/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Wed, 23 Jul 2025 13:58:00 +0000</pubDate>
				<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrain]]></category>
		<category><![CDATA[#Hyderabad]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<category><![CDATA[#telangana]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123668</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 23 હૈદરાબાદ, ભારતીય હવામાન વિભાગ (IMD) આવનારા દિવસો માટે તેલંગાણાના સાત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે અને રાજ્ય માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે. IMD ના તાજેતરના બુલેટિન મુજબ, નાલગોંડા, સૂર્યપેટ, મહબૂબાબાદ, વારંગલ, હનુમાકોંડા, યાદદ્રી ભોંગીર અને નાગરકુર્નૂલ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે, તમામ 33 જિલ્લાઓમાં...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 23</p>



<p>હૈદરાબાદ,</p>



<p>ભારતીય હવામાન વિભાગ (IMD) આવનારા દિવસો માટે તેલંગાણાના સાત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે અને રાજ્ય માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે.</p>



<p>IMD ના તાજેતરના બુલેટિન મુજબ, નાલગોંડા, સૂર્યપેટ, મહબૂબાબાદ, વારંગલ, હનુમાકોંડા, યાદદ્રી ભોંગીર અને નાગરકુર્નૂલ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.</p>



<p>આ સાથે, તમામ 33 જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ વીજળી અને તીવ્ર સપાટી પવન સાથે વાવાઝોડાની પણ સંભાવના છે. IMD એ હૈદરાબાદ પર વાદળછાયું આકાશની આગાહી કરી છે</p>



<p>IMD એ જણાવ્યું હતું કે આગામી 24 કલાક સુધી હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ જોવા મળશે. &#8220;સાંજ કે રાત્રિ દરમિયાન શહેરના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. સવારના કલાકો દરમિયાન ધુમ્મસભર્યા વાતાવરણ રહેવાની શક્યતા છે. IMD ના બુલેટિન મુજબ મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 33°C અને 23°C ની આસપાસ રહેવાની શક્યતા છે.</p>



<p>તેલંગાણા માટે IMD એ યલો એલર્ટ જારી કર્યું છે</p>



<p>હવામાન વિભાગે 17 અને 18 જુલાઈના રોજ વિવિધ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કર્યું છે અને હૈદરાબાદ માટે, હવામાન વિભાગે 17 અને 18 જુલાઈના રોજ વરસાદની આગાહી કરી છે.</p>



<p>વરસાદ ઉપરાંત, હૈદરાબાદમાં પણ ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.</p>



<p>તેલંગાણા ડેવલપમેન્ટ પ્લાનિંગ સોસાયટીના ડેટા મુજબ, રાજ્યમાં મહત્તમ તાપમાન 29.9 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટી ગયું છે, જે આદિલાબાદમાં નોંધાયું હતું.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-63/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 13 Jul 2025 00:55:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[કચ્છ]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[દક્ષિણ ગુજરાત]]></category>
		<category><![CDATA[મધ્ય ગુજરાત]]></category>
		<category><![CDATA[સૌરાષ્ટ્ર]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrains]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<category><![CDATA[#Monsoon]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122720</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. ગઈકાલે (12 જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યુ હતું. હવામાન વિભાગની...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 13</p>



<p>ગાંધીનગર,</p>



<p>છેલ્લા 3-4 દિવસથી રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગે આગામી 16 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ સુધી ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર દેખાશે. ગઈકાલે (12 જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યુ હતું.</p>



<p>હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આજે (રવિવાર,13 જુલાઈ) ના રોજ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.&nbsp;</p>



<p>તા. 14-16 જુલાઈની આગાહી</p>



<p>હવામાન વિભાગે આગામી 14-15 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે 16 જુલાઈના રોજ બનાસકાંઠા અને સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.&nbsp;</p>



<p>આગામી દિવસો માટે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદ પડશે તેવું જણાવવામાં આવ્યું છે. આ સિવાય અમદાવાદમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાની આગાહી, IMDએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-53/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sat, 12 Jul 2025 14:37:57 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[દિલ્હી - નવી દિલ્હી]]></category>
		<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrain]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<category><![CDATA[#newdelhi]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122690</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, શનિવારે દિલ્હી અને તેના પડોશી વિસ્તારોમાં વાવાઝોડા અને ત્યારબાદ વરસાદ પડ્યો હતો, કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની ચેતવણી જારી કરી હતી. IMD દ્વારા હાલમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, દિલ્હીના સફદરજંગ, લાલ કિલ્લો, DU નોર્થ કેમ્પસ, અક્ષરધામ, કુતુબ મિનાર અને ભારત મંડપમ...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 12</p>



<p>નવી દિલ્હી,</p>



<p>શનિવારે દિલ્હી અને તેના પડોશી વિસ્તારોમાં વાવાઝોડા અને ત્યારબાદ વરસાદ પડ્યો હતો, કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની ચેતવણી જારી કરી હતી.</p>



<p>IMD દ્વારા હાલમાં જાહેર કરાયેલા આંકડા મુજબ, દિલ્હીના સફદરજંગ, લાલ કિલ્લો, DU નોર્થ કેમ્પસ, અક્ષરધામ, કુતુબ મિનાર અને ભારત મંડપમ અને NCRના ફરીદાબાદ, નોઈડા, ગાઝિયાબાદમાં પીળો ચેતવણી જારી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે.</p>



<p>દક્ષિણ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં આવેલા IMDના લોટસ ટેમ્પલ સ્ટેશન પર ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને 40 કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ વિસ્તારમાં 5-15 મીમી/કલાકની ઝડપે મધ્યમ વરસાદ પડશે.</p>



<p>ગુડગાંવ માટે હાલમાં કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ગુજરાતમાં 12 થી 17 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી, માછીમારો ના ખેડે દરિયો: હવામાન વિભાગ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-3/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sat, 12 Jul 2025 02:50:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ઉત્તર ગુજરાત]]></category>
		<category><![CDATA[કચ્છ]]></category>
		<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[જામનગર]]></category>
		<category><![CDATA[દક્ષિણ ગુજરાત]]></category>
		<category><![CDATA[મધ્ય ગુજરાત]]></category>
		<category><![CDATA[રાજકોટ]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[સૌરાષ્ટ્ર]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrain]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<category><![CDATA[#Monsoon]]></category>
		<category><![CDATA[#weather]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122536</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 12 અમદાવાદ, સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નર્મદાના દેડીયાપાડા, પંચમહાલના જાંબુઘોડા, રાજકોટના જામકંડોરાણા, ઉપલેટા, જામનગરના ધ્રોલ, કચ્છના મુંદ્રા સહિત 60 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.&#160; હવામાન વિભાગે આગામી 17 જુલાઈ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 12</p>



<p>અમદાવાદ,</p>



<p>સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 61 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 1.14 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે નર્મદાના દેડીયાપાડા, પંચમહાલના જાંબુઘોડા, રાજકોટના જામકંડોરાણા, ઉપલેટા, જામનગરના ધ્રોલ, કચ્છના મુંદ્રા સહિત 60 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.&nbsp;</p>



<p>હવામાન વિભાગે આગામી 17 જુલાઈ સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 14 જુલાઈથી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.&nbsp;</p>



<p>હવામાન વિભાગની આગાહી મુજબ, 12-13 જુલાઈના રોજ નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.&nbsp;</p>



<p><strong>14-15 </strong><strong>જુલાઈની આગાહી</strong></p>



<p>14-15 જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત 11થી વધુ જિલ્લામાં હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.</p>



<p>જ્યારે 16-17 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.&nbsp;</p>



<p>હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો પાંચ દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે, દરિયાકાંઠે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને 24 કલાક બાદથી રાજયમાં વરસાદી માહોલ જામશે, હાલમાં મોન્સૂન ટ્રફ સક્રિય થતા 24 કલાક બાદથી વરસાદી માહોલ જામશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા સાથે છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ગુજરાત પર વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય, 24 કલાક ભારે, માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના</title>
		<link>https://gnsnews.co.in/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%b8%e0%aa%bf/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Mon, 07 Jul 2025 13:42:00 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrain]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122234</guid>

					<description><![CDATA[છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 209 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા જુલાઇ મહિનાના હજુ તો માત્ર 6 દિવસથી જ ત્યાં છે. ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે દક્ષિણ...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 209 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો</strong></p>



<p>(જી.એન.એસ) તા. 7</p>



<p>ગાંધીનગર,</p>



<p>ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા જુલાઇ મહિનાના હજુ તો માત્ર 6 દિવસથી જ ત્યાં છે. ત્યાં 40 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે. અને હજુ પણ ધોધમાર વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.</p>



<p>આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 28 ઈંચ સાથે સિઝનનો 47 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં 44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.42 ટકા, કચ્છમાં 42 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં 39 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ 38.50 ઈંચ, ડાંગમાં 31.70 ઈંચ સુરતમાં 28.50 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે સૌથી ઓછો 4.52 ઈંચ વરસાદ પાટણમાં પડેલો છે.</p>



<p>રાજ્યમાં 7 જુલાઈએ સાંજે 6 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આણંદના બોરસદમાં સૌથી વધુ 3.43 ઈંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના ગોધરામાં 2.8 ઈંચ વરસાદ તો ભચાઉમાં 1.89 ઈંચ, ગાંધીધામમાં 1.89 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના માંડવીમાં 1.85 ઈંચ, ખંભાળિયામાં 1.73 ઈંચ, અંજારમાં 1.06 ઈંચ, નખત્રાણામાં 0.94 ઈંચ વરસાદ વરસ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 46.21 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 50.82 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.</p>



<p>સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ ગત ૨૪ કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ તથા ડાંગના સુબીર તાલુકા તેમજ ભુજ તાલુકામાં ૫-૫ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.</p>



<p>હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન નવસારી જિલ્લાના તમામ 6 તાલુકામાં વરસાદ નોંધાયો છે, નવસારી, જલાલપોર, વાંસદા, ખેરગામ, ચીખલી, ગણદેવી તાલુકામાં વરસાદ નોંધાયો છે.&nbsp; નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગઈકાલે (સાતમી જુલાઈ) નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી છે.&nbsp;</p>



<p><strong>પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો</strong></p>



<p>નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારમે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે, શહેરના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને ઉપરવાસમાં ભારે વરસાદથી જળસ્તરમાં વધારો થયો છે, અને નીચાણવાળા વિસ્તારના લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે નવસારી શહેર અને જલાલપોરમાં શૈક્ષણિક કાર્ય બંધની જાહેરાત કરાઇ હતી. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતા પ્રશાસને નિર્ણય લીધો હતો.</p>



<p>ઉપરવાસ અને જિલ્લામાં વરસાદથી નવસારીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. નવસારીમાં નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા હતા. ત્યારે નવસારી શહેર અને ગણદેવીમાંથી સલામતીના ભાગરૂપે 520 લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.</p>



<p>અમદાવાદમાં સેટેલાઇટ, મણિનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, વાડજ, વસ્ત્રાપુર, કાલુપુર, શાહપુર, નરોડા, ઈનકમ ટેક્ષ ચાર રસ્તા, શિલજ, બોપલ, આંબલી, ઈસકોન, પકવાન, ગોતા, બોડકદેવ, રિવરફ્રન્ટ, નારણપુરા, મકરબા સહિતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો હતો.</p>



<p>રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન તા. ૦૧ જૂન, ૨૦૨૫ થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા ૪,૨૦૫ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ ૬૮૪ નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા ૧૩ NDRFની ટીમ તેમજ ૨૦ SDRFની ટીમ ડિપ્લોય કરવામાં આવી છે, તેમજ ૦૨ NDRFની તેમજ ૧૩ SDRFની ટીમ હેડ ક્વાર્ટર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. વધુમાં ભારતીય હવામાન વિભાગ-આઈ.એમ.ડી. દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને તા. ૦૭ થી ૧૦, જુલાઇ, ૨૦૨૫ સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>IMD દ્વારા રૂદ્રપ્રયાગ, ચમોલી જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી થતાં કેદારનાથ યાત્રા સ્થગિત</title>
		<link>https://gnsnews.co.in/imd-%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%b0%e0%ab%82%e0%aa%a6%e0%ab%8d%e0%aa%b0%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%af%e0%aa%be%e0%aa%97-%e0%aa%9a%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b2/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Mon, 07 Jul 2025 12:05:00 +0000</pubDate>
				<category><![CDATA[દેશ - NATIONAL]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Heavyrain]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122208</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 7 દેહરાદૂન, હવામાન વિભાગે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી હોવાથી સોમવારે કેદારનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી અને યાત્રાળુઓને સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રોકવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી ગયા અઠવાડિયે, સોનપ્રયાગ નજીક મુનકટિયા ખાતે હિમાલય મંદિર તરફ જતા વરસાદને કારણે...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 7</p>



<p>દેહરાદૂન,</p>



<p>હવામાન વિભાગે રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી હોવાથી સોમવારે કેદારનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી અને યાત્રાળુઓને સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રોકવામાં આવ્યા હતા.</p>



<p>ગયા અઠવાડિયે ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી</p>



<p>ગયા અઠવાડિયે, સોનપ્રયાગ નજીક મુનકટિયા ખાતે હિમાલય મંદિર તરફ જતા વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા પણ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી.</p>



<p>પોલીસે જણાવ્યું હતું કે મુનકટિયા સ્લાઇડિંગ ઝોનમાં ભૂસ્ખલનના કાટમાળ અને પથ્થરોથી રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે વહીવટીતંત્રે યાત્રાને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે.</p>



<p>ગૌરીકુંડથી પરત ફરી રહેલા કેટલાક યાત્રાળુઓ સ્લાઇડિંગ ઝોનમાં ફસાયા હતા પરંતુ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ના કર્મચારીઓ દ્વારા તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને સુરક્ષિત રીતે સોનપ્રયાગ લાવવામાં આવ્યા હતા, એમ તેઓએ જણાવ્યું હતું.</p>



<p>સાવચેતીના પગલા તરીકે કેદારનાથની યાત્રા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે.</p>



<p>8,600 યાત્રાળુઓ અમરનાથ યાત્રા માટે રવાના થયા</p>



<p>અન્ય એક ઘટનામાં, હિમાલયમાં વાર્ષિક અમરનાથ યાત્રામાં જોડાવા માટે સોમવારે વહેલી સવારે 8,600 થી વધુ યાત્રાળુઓ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું.</p>



<p>૩ જુલાઈના રોજ અનંતનાગ જિલ્લાના પહેલગામ અને ગાંદરબલ જિલ્લાના બાલતાલના જોડિયા ટ્રેકથી શરૂ થયેલી ૩૮ દિવસની યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં ૭૦,૦૦૦ થી વધુ યાત્રાળુઓએ ૩,૮૮૦ મીટરની ઊંચાઈ પર સ્થિત પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા છે.</p>



<p>અધિકારીઓએ જણાવ્યું હતું કે, ૮,૬૦૫ યાત્રાળુઓનો છઠ્ઠો સમૂહ &#8211; ૬,૪૮૬ પુરુષો, ૧,૮૨૬ મહિલાઓ, ૪૨ બાળકો અને ૨૫૧ સાધુ-સાધ્વીઓ &#8211; સવારે ૩.૩૦ અને ૪.૨૫ વાગ્યે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીરના જોડિયા બેઝ કેમ્પ માટે ૩૭૨ વાહનોમાં ભગવતી નગર બેઝ કેમ્પથી રવાના થયો હતો.</p>



<p>તેમણે જણાવ્યું હતું કે, ૧૬૬ વાહનોમાં ૩,૪૮૬ યાત્રાળુઓને લઈને પહેલો યાત્રાળુ કાફલો ગાંદરબલ જિલ્લામાં ટૂંકા પણ ઊંચા ૧૪ કિમી લાંબા બાલટાલ રૂટ માટે રવાના થયો હતો, ત્યારબાદ અનંતનાગ જિલ્લામાં ૪૮ કિમી લાંબા પરંપરાગત પહેલગામ રૂટ પરથી ૨૦૬ વાહનોમાં ૫,૧૧૯ યાત્રાળુઓનો બીજો કાફલો યાત્રા કરી રહ્યો છે.</p>



<p>બુધવાર પછી, જ્યારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ ૨ જુલાઈના રોજ જમ્મુમાં યાત્રાને લીલી ઝંડી આપી હતી, ત્યારથી આ યાત્રાળુઓનો સૌથી મોટો સમૂહ હતો. આ સાથે, કુલ ૪૦,૩૬૧ યાત્રાળુઓ જમ્મુ બેઝ કેમ્પથી ખીણ માટે રવાના થયા છે.</p>



<p>સ્થળ પર નોંધણી માટે કાઉન્ટર પર ભારે ભીડ છે, અધિકારીઓએ ભીડ ઓછી કરવા માટે કાઉન્ટરની સંખ્યા તેમજ દૈનિક ક્વોટામાં વધારો કર્યો છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>હવામાન વિભાગે રાજ્યમાં 10 જુલાઇ સુધી અનેક જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું </title>
		<link>https://gnsnews.co.in/%e0%aa%b9%e0%aa%b5%e0%aa%be%e0%aa%ae%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%ad%e0%aa%be%e0%aa%97%e0%ab%87-%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-10-%e0%aa%9c/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sat, 05 Jul 2025 13:05:00 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#Dwarka]]></category>
		<category><![CDATA[#IMD]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122090</guid>

					<description><![CDATA[ગુજરાતમાં આ વખતે ચોમાસાએ ધડબડાટી બોલાવી દ્વારકામાં ઈસ્કોન ગેટ, ભદ્રકાળી ચોકમાં વરસાદના કારણે પાણી ભરાયા (જી.એન.એસ) તા. 05 ગાંધીનગર/દ્વારકા, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>ગુજરાતમાં આ વખતે ચોમાસાએ ધડબડાટી બોલાવી</strong></p>



<p class="has-text-align-center"><strong>દ્વારકામાં ઈસ્કોન ગેટ, ભદ્રકાળી ચોકમાં વરસાદના કારણે પાણી ભરાયા</strong></p>



<p>(જી.એન.એસ) તા. 05</p>



<p>ગાંધીનગર/દ્વારકા,</p>



<p>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં 3.0 ઈંચ અને કલ્યાણપુરમાં 3.0 ઈંચ વરસાદ નોંધાયો છે.&nbsp;</p>



<p>દ્વારકામાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થવા પામી હતી. ધોધમાર વરસાદથી દ્વારકામાં ઈસ્કોન ગેટ, ભદ્રકાળી ચોક, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભગવાન દ્વારકાધીશ જગત મંદિર અને છપ્પન સિઢી પરથી વરસાદી પાણીનો અલભ્ય નજારો જોવા લોકો ઉમટ્યા હતા. દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જિલ્લામાં સાર્વત્રિક અડધા થી 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. દ્વારકામાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. ભાણવડ પંથકમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો. ખંભાળિયા પંથકમાં અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો હતો. નાવદ્રા અને લાંબા વચ્ચેનો ભોગાત લાંબા વિસ્તારમાં પાણી ભરાયા હતા. દ્વારકાના ભાટિયા ગામ આસપાસના વિસ્તારોમાં ભા્રે વરસાદ પડ્યો હતો. ભાટિયા ગામ બહારના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ભાટિયા ગામથી ભોગાત ગામ તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. રસ્તા પર પાણી ફરી વળતા અવર જવરમાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ભાટિયા આસપાસના વિસ્તારમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.</p>



<p>સમગ્ર દિવસ દરમિયાન દ્વારકામાં 4 ઈંચ જેટલા વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. બિરલા પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. લોકો ભરેલા પાણી વચ્ચે જવા માટે મજબૂર બન્યા હતા. બિરલા પ્લોટ વિસ્તારની અંદર લોકોના ઘર સુઘી પાણી ઘુસ્યા હતા. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ ધીમીધારે વરસી રહ્યો છે.</p>



<p>દ્વારકા પંથકમાં ભારે વરસાદના કારણે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર દ્વારા ભદ્રકાલી ચોક વિસ્તારની મુલાકાત લીધી હતી. ભદ્રકાળી ચોકમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. ઘૂંટણ સમા પાણી વચ્ચે પ્રાંત અધિકારીએ ભદ્રકાળી ચોક વિસ્તારની મુલાકાત લીધી હતી. વરસાદી પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેને લઈને ચીફ ઓફીસરને તાકીદ કર્યા હતા. હજુ પણ ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય તેવી સ્થિતિ સર્જાવા પામી હતી. ભારે વરસાદની મામલદતારની ટીમને એલર્ટ રખાયા છે. ભારે વરસાદથી ઈમરજન્સી રેસ્ક્યુ ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. સરકારી આંકડા મુજબ 113 એમ.એમ. જેટલો વરસાદ દ્વારકામાં નોંધાયો હતો.</p>



<p>શનિવારે વડોદરામાં બપોરના સમયે વરસાદ (RAIN &#8211; VADODARA) નું ભારે ઝાપટું આવ્યું હતું. જેમાં જ શહેરના નીચાણવાળા વિસ્તા માંડવી, અને લકડીપુલ વિસ્તારમાં રોડ પર પાણી ભરાઇ ગયા હતા. અને રોડ સાઇડમાં દુકાન ધરાવતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ શહેરનું મહત્વનું ગણાતું અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ જતા તેમાંથી ચાલતા પસાર થવું મુશ્કેલ બન્યું હતું. બીજી તરફ સયાજીગંજમાં ભરાતા મોટા શાક માર્કેટમાં પાણી ભરાઇ જતા રોજ ફળ-શાકભાજી વેચીને જીવન ગુજારતા લોકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરોક્ત પરિસ્થિતીઓ જોતા પાલિકાનું તંત્ર પ્રિમોન્સૂન કામગીરીમાં સદંતર નિષ્ફળ રહ્યું હોવાનો અંદાજો શહેરીજનોને આવી ગયો છે.</p>



<p>વડોદરામાં બે કલાકમાં જ દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે શહેર તરબતર થઇ ગયું હોય તેમ લાગી રહ્યું છે. કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીની સપાટી 11.90 જોવા મળી રહી છે. બીજી તરફ લકડીપુલ અને રાવપુરાના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ જવાના કારણે લોકોને અવર-જવર પર ભારે મુશ્કેલી પડી રહી છે. એક જ વરસાના ઝાપટામાં જનજીવન ખોરવાયું છે. શહેરના મહત્વના ગણાતા અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતા ચાલતા પસાર થવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ જો વધારે વરસાદ પડે તે ગરનાળું બંધ કરી દેવું પડે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ સાથે સયાજીગંજ શાક-ફળ માર્કેટ આસપાસ પાણી ભરાતા વિક્રેતાઓની ચિંતા વધી છે.</p>



<p>રાજ્યમાં આગામી છઠ્ઠી અને સાતમી જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.</p>



<p>આઠમીથી 10મી જુલાઈની આગાહી</p>



<p>આઠમી જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
