<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>#rajkot &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/tag/rajkot/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Tue, 29 Jul 2025 12:37:00 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-472/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 29 Jul 2025 12:37:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[રાજકોટ]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#gujaratpolice]]></category>
		<category><![CDATA[#rajkot]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124156</guid>

					<description><![CDATA[અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા (જી.એન.એસ) તા.29 અમદાવાદ, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ...]]></description>
										<content:encoded><![CDATA[<div class="wp-block-image">
<figure class="aligncenter size-large is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM.jpeg"><img fetchpriority="high" decoding="async" width="576" height="1024" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-576x1024.jpeg" alt="" class="wp-image-124158" style="width:284px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-576x1024.jpeg 576w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-169x300.jpeg 169w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-768x1366.jpeg 768w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-864x1536.jpeg 864w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-600x1067.jpeg 600w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM.jpeg 899w" sizes="(max-width: 576px) 100vw, 576px" /></a></figure></div>


<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્&#x200d;સીઓ પર પડાયા દરોડા</span></strong></h4>



<p>(જી.એન.એસ) તા.29</p>



<p>અમદાવાદ,</p>



<p>રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્&#x200d;સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ ૨૦ દવાના નમુનાઓ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.</p>



<p>આ અંગે વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તંત્રના આઇ.બી. ફ્લાઇન્&#x200d;ગ સ્ક્વોડને મળેલી માહિતી મુજબ અમદાવાદ ખાતે રહેતા અરૂણસિંહ અમેરા &#8211; ૨૦, રાજનગર સોસાયટી, વટવાના રહેઠાણ પર આઇ.બી.ની ટીમે વહેલી સવારે દરોડો પાડતાં ખુબ મોટા પ્રમાણમાં સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડી પડ્યો હતો.</p>



<p>આ ઉપરાંત નિલેશ હરીલાલ ઠક્કર &#8211; બી-૭, ચુનીલાલ પાર્ક, સીટીએમ ચાર રસ્તા પાસે, અમરાઈવાડી, અમદાવાદ વટવા, અમદાવાદ ખાતેથી રૂ. ૧૨ લાખની કિંમતનો સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાનો જથ્થો તેમજ પાર્થ જગદીશભાઈ જોષીની મે. પારસ કેમિસ્ટ, દુકાન નં- ૫, પ્રથમ માળ, કાંતા એસ્ટેટ, ધાર્મિક એપાર્ટમેન્ટની સામે, ચાંમુડાનગર નજીક, બાપુનગર, અમદાવાદ ખાતેથી સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી.</p>



<p>વધુમાં કમિશનર ડૉ. એચ. જી. કોશીયાએ ઉમેર્યું કે, વડોદરા ખાતે ઓલકેર મેડિસિન્સના માલિક કિરણ ઠક્કરની દુકાનમાંથી વડોદરાની ટીમ દ્વારા ૧૧૫ સ્ટ્રીપ દવાઓ, સુરત ખાતે શીવાય મેડીકો, કતારગામના માલિક પ્રજાપતિ ગૌરવ બાબુલાલને ત્યાંથી ૧૩૬ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ તેમજ રાજકોટ ખાતે મે. નિર્મલ મેડિકલ એજન્&#x200d;સી, મોટી ટાંકી ચોક, રાજકોટની પેઢીના માલિક જીગ્નેશ વઘાસીયાને ત્યાંથી ૩૨ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ પકડવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરની અન્ય જગ્યાઓ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેથી વેચાણ થયેલ જગ્યાઓએ પણ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.</p>



<p>તેમણે જણાવ્યું હતું કે, એફડીસીએ તંત્ર દ્વારા ટોરેન્&#x200d;ટ ફાર્માની લીડીંગ પ્રોડક્ટ કાયમોરલ ફોર્ટ, ગ્લેક્સો કંપનીની ઓગમેન્&#x200d;ટીન, ઇપ્કા કંપનીની ઝેરોડોલ એસપી, બાયોસ્વીફ્ટ કંપનીની સીફીક્ઝેમ, પ્રીવોક્સો કંપનીની ડાયક્લો પેરા અન્ય રાજ્યોમાંથી આવતી સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી, આ દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટીએ ચોકનો પાવડર હોવાનું તેમજ વગર બીલે ૫૦ ટકા ભાવમાં અન્ય રાજ્યમાંથી રોકડેથી ખરીદ કરી માર્કેટમાં વેચતાં હોવાનું માલૂમ પડ્યું હતું, જેની વધુ તપાસ ચાલી રહી છે.</p>



<p>અત્રે નોંધનીય છે કે, રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તાજેતરમાં સુરત ખાતે ઓનલાઇન મીસો પર વેચાણ કરતી નકલી બનાવટી કોસ્મેટિક ઉત્પાદન કરતી પેઢી દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ખાતે સન ફાર્માની ડુપ્લિકેટ લેવીપીલ ૫૦૦ ટેબલેટનું વેચાણ પણ અગાઉ પકડી પડ્યું હતું. આમ, વિવિધ પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>લોકસાહિત્યકાર મીરાબહેન આહિરે રાજકોટ સિવિલ હૉસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા </title>
		<link>https://gnsnews.co.in/auto-draft-480/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 29 Jul 2025 10:59:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[રાજકોટ]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#CivilHospital]]></category>
		<category><![CDATA[#rajkot]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124189</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા.29 રાજકોટ, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ થયો છે જેમાં, પ્રસિદ્ધ લોકસાહિત્યકાર મીરાબહેન આહિરે રાજકોટ હૉસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.&#160; મીરાબહેન આહિરે આક્ષેપો લગાવ્યા છે કે, જયારે તેઓ તેમના ભાઈને સારવાર માટે સિવિલ હૉસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા ત્યારે 45 મીનિટ સુધી ઈમરજન્સીમાં સારવાર મળી નથી. એક...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા.29</p>



<p>રાજકોટ,</p>



<p>રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક વિવાદ થયો છે જેમાં, પ્રસિદ્ધ લોકસાહિત્યકાર મીરાબહેન આહિરે રાજકોટ હૉસ્પિટલ તંત્ર અને તેના સ્ટાફ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.&nbsp;</p>



<p>મીરાબહેન આહિરે આક્ષેપો લગાવ્યા છે કે, જયારે તેઓ તેમના ભાઈને સારવાર માટે સિવિલ હૉસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા હતા ત્યારે 45 મીનિટ સુધી ઈમરજન્સીમાં સારવાર મળી નથી. એક પણ ડોક્ટર સિવિલમાં હાજર નહોતા, સ્ટાફે ગેરવર્તણૂંક કરી છે. સ્ટ્રેચર ચલાવવા માટે પણ કોઈ વ્યક્તિ હાજર ન હતુ.</p>



<p>મીરાબેન આહિરે સિવિલના તંત્રની કામગીરીને લઈને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં મીરાબેને કહ્યું તેમના ભાઈને સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યારે 45 મિનિટ સિવિલ રહ્યા બાદ પણ કોઈએ કેસ ન લખ્યો. ઇમરજન્સી વિભાગમાં કામ કરતા ડોક્ટર અને સ્ટાફએ ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો મીરાબેનનો આક્ષેપ છે. તેમજ મીરાબેને વીડિયો બનાવી સિવિલ હોસ્પિટલ પાસે તેમણે કરેલા આક્ષેપોનો જવાબ માગ્યો છે. ત્યારે લોકસાહિત્યકાર સાથે વિવાદ મુદ્દે બેઠક શરુ થઇ છે. તથા સિવિલ અધિક્ષકે તપાસના આદેશ આપ્યા છે. તથા નર્સિંગ સ્ટાફ અને સિવિલ અધિક્ષક વચ્ચે બેઠક થઇ છે. તેમજ સમગ્ર મામલે સિવિલ અધિક્ષક દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.</p>



<p>આ ઘટના બાદ હૉસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી સમયમાં આ તપાસના તારણો શું હશે અને જવાબદારો સામે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું. આ ઘટનાએ ફરી એકવાર સરકારી હૉસ્પિટલોમાં દર્દીઓ પ્રત્યેના વ્યવહાર અને સુવિધાઓ પર સવાલ ઊભા કર્યા છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>રાજકોટ શહેર પોલીસે આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ ફરજિયાત પહેરવાને લઈને નિર્ણય કર્યો</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-364/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 24 Jul 2025 11:06:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[રાજકોટ]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujarat_police]]></category>
		<category><![CDATA[#rajkot]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123761</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 24 રાજકોટ, રાજકોટ ટ્રાફિક પોલીસે બાઇકચાલક અને પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ જાહેર કરી છે. પોલીસ કમિશ્નરે તહેવારના દિવસો પૂર્ણ થયા બાદ શહેરમાં હેલ્મેટને લઈને મેગા ડ્રાઇવ શરુ કરવાનો આદેશ કર્યો છે.&#160; રાજકોટમાં પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ટ્રાફિક સિગ્નલ, હેલ્મેટ, આર.ટી.ઓ.-પોલીસની ડ્રાઇવ સહિતને...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 24</p>



<p>રાજકોટ,</p>



<p>રાજકોટ ટ્રાફિક પોલીસે બાઇકચાલક અને પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ જાહેર કરી છે. પોલીસ કમિશ્નરે તહેવારના દિવસો પૂર્ણ થયા બાદ શહેરમાં હેલ્મેટને લઈને મેગા ડ્રાઇવ શરુ કરવાનો આદેશ કર્યો છે.&nbsp;</p>



<p>રાજકોટમાં પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ટ્રાફિક સિગ્નલ, હેલ્મેટ, આર.ટી.ઓ.-પોલીસની ડ્રાઇવ સહિતને લઈને ચર્ચા કરાઈ હતી. રાજકોટ શહેર પોલીસે આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ ફરજિયાત પહેરવાને લઈને નિર્ણય કર્યો છે.&nbsp;</p>



<p>આ બાબતે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, શહેરમાં ટુ-વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ ન પહેરતા જીવલેણ અકસ્માત બને છે. વાહન ચાલકે હેલ્મેટ ન પહેર્યા હોય તેવી 20 અકસ્માતની ઘટનામાં 20 વ્યક્તિના મૃત્યુ થયા છે, જ્યારે 10ને ગંભીર ઈજા પહોંચી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રતિક્રિયા</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-357/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Thu, 24 Jul 2025 09:49:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[રાજકોટ]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#PrafulPanseriya]]></category>
		<category><![CDATA[#rajkot]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123731</guid>

					<description><![CDATA[વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે રાજ્યના શિક્ષકોને આવી અન્ય કોઇપણ જવાબદારી સોંપવી એ બિલકુલ અયોગ્ય: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા પશિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ શિક્ષકોને જવાબદારી સોંપતો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરવા સૂચનાં આપી (જી.એન.એસ) તા. 24 રાજકોટ, રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહત્વપૂર્ણ મહાનુભાવોના ભોજન સંચાલન માટે જસદણના પ્રાંત અધિકારીશ્રી દ્વારા શાળાના...]]></description>
										<content:encoded><![CDATA[
<h4 class="wp-block-heading has-text-align-center"><strong>વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે રાજ્યના શિક્ષકોને આવી અન્ય કોઇપણ જવાબદારી સોંપવી એ બિલકુલ અયોગ્ય: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા</strong></h4>



<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">પશિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ શિક્ષકોને જવાબદારી સોંપતો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરવા સૂચનાં આપી</span></strong></h4>



<p>(જી.એન.એસ) તા. 24</p>



<p>રાજકોટ,</p>



<p>રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહત્વપૂર્ણ મહાનુભાવોના ભોજન સંચાલન માટે જસદણના પ્રાંત અધિકારીશ્રી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજનો પરિપત્ર ધ્યાને આવતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરવાના આદેશ આપ્યા છે.</p>



<p>આ સંદર્ભે પોતાનો પ્રતિભાવ આપતા શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય છે. વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે પરિપત્ર કરીને આવી કોઈપણ જવાબદારીઓ શિક્ષકોને સોંપવી એ ઉચિત નથી.</p>



<p>તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએથી નિર્ધારિત કરાયેલી ચૂંટણી જેવી મહત્વપૂર્ણ ફરજ સિવાયની કોઇપણ અન્ય જવાબદારી રાજ્યના શિક્ષકોને ભવિષ્યમાં સોંપવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના ભણતર પર અસર ન થાય તે માટે ભવિષ્યમાં શિક્ષકોને અન્ય કોઇપણ જવાબદારી સોંપવા પૂર્વે ગાંધીનગર શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી સાથે સંકલન કરવાનું રહેશે.&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;</p>



<p>આ ઘટના સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર સાથે ટેલીફોનીક વાતચીત કરીને જરૂરી કાર્યવાહી કરવા તેમજ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરાવવા સૂચના આપી હતી. સાથે જ તેમણે, ભવિષ્યમાં શિક્ષકોને અન્ય જવાબદારી સોંપતા આવા કોઈ આડેધડ પરિપત્રો ન થાય તે અંગે અગ્ર સચિવશ્રીનું વિશેષ ધ્યાન દોર્યું હતું.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>રાજકોટમાં લોકમેળા માટે રાજ્ય સરકારે SOPના નિયમોમાં કર્યા ફેરફાર; અયોજક્કો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહત</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-237/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Fri, 18 Jul 2025 12:41:00 +0000</pubDate>
				<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[રાજકોટ]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#rajkot]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123310</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 18 રાજકોટ, &#160;સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ અને સાવચેતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે SOP ઘડવામાં આવી છે જેમાં આ વર્ષે સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવતા અયોજક્કો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહતના સમાચાર આવ્યા છે. એસઓપી માં સૌથી...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 18</p>



<p>રાજકોટ,</p>



<p><strong>&nbsp;</strong>સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ અને સાવચેતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે SOP ઘડવામાં આવી છે જેમાં આ વર્ષે સરકાર દ્વારા નિયમો હળવા કરવામાં આવતા અયોજક્કો અને મેળા સાથે સંકળાયેલા લોકોને મોટી રાહતના સમાચાર આવ્યા છે.</p>



<p>એસઓપી માં સૌથી મોટો અને રાહત આપનારો નિર્ણય એ છે કે, હવે મેળામાં દુકાનો કે સ્ટોલ માટે RCC (રીઈન્ફોર્સ્ડ સિમેન્ટ કોન્ક્રીટ) ફાઉન્ડેશન ફરજિયાત રહેશે નહીં. અગાઉ આ નિયમ લાગુ પડતો હોવાથી ખર્ચ અને સમય બંનેનો વ્યય થતો હતો. તેના બદલે, હવે સોઈલ ટેસ્ટ (માટી પરીક્ષણ) રિપોર્ટ માન્ય રાખવામાં આવશે. આ નિર્ણયથી મેળાના આયોજનમાં સરળતા રહેશે અને ખર્ચમાં પણ ઘટાડો થશે.</p>



<p>લોકમેળાના ફોર્મ ભરવાની ત્રીજી મુદત પૂર્ણ થઈ હોવા છતાં રાઇડ્સના ફોર્મ ન ભરાયા&nbsp; હોવાનું પણ સામે આવ્યું હતું. જેની પાછળનું કારણ સખત SOP હોવાનું જણાયું હતું. જ્યારે હવે રાજ્ય સરકારે લોકમેળાને લઈને SOPના નિયમો હળવા કર્યા છે, ત્યારે આયોજકો સહિતના લોકોને મોટી રાહત મળશે.&nbsp;</p>



<p><strong>લોકમેળાને લઈને સરકારે </strong><strong>SOP</strong><strong>ના નિયમો હળવા કર્યા</strong><strong>&nbsp;</strong></p>



<p>રાજ્યમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ના નિયમોને રાજકોટમાં લોકમેળો યોજાશે કે નહીં તેવા સવાલો ઊભા થયા હતા. જ્યારે હવે સરકારે SOPના નિયમો હળવા કર્યા છે, ત્યારે આયોજકો અને મેળાના ચાહકોએ રાહત અનુભવી છે. નવા નિયમો મુજબ, હવે મેળામાં સ્થાપિત કરાતી દુકાનો કે સ્ટોલમાં હવે RRC ફાઉન્ડેશન ફરજિયાત રહેશે નહીં. જેમાં હવે સોઈલ ટેસ્ટ રિપોર્ટને માન્ય રાખવામાં આવશે. આમ થવાથી આયોજકોને વધુ ખર્ચ થતો અટકશે અને સમયનો વ્યય નહીં થાય.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
