<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	>

<channel>
	<title>#surat &#8211; GNS NEWS</title>
	<atom:link href="https://gnsnews.co.in/tag/surat-2/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>https://gnsnews.co.in</link>
	<description>A National Wire Agency</description>
	<lastBuildDate>Tue, 29 Jul 2025 12:37:00 +0000</lastBuildDate>
	<language>en-US</language>
	<sy:updatePeriod>
	hourly	</sy:updatePeriod>
	<sy:updateFrequency>
	1	</sy:updateFrequency>
	<generator>https://wordpress.org/?v=6.8.3</generator>
	<item>
		<title>અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-472/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 29 Jul 2025 12:37:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[અમદાવાદ]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[રાજકોટ]]></category>
		<category><![CDATA[વડોદરા]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#ahmedabad]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#gujaratpolice]]></category>
		<category><![CDATA[#rajkot]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<category><![CDATA[#vadodara]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124156</guid>

					<description><![CDATA[અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા (જી.એન.એસ) તા.29 અમદાવાદ, રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ...]]></description>
										<content:encoded><![CDATA[<div class="wp-block-image">
<figure class="aligncenter size-large is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM.jpeg"><img fetchpriority="high" decoding="async" width="576" height="1024" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-576x1024.jpeg" alt="" class="wp-image-124158" style="width:284px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-576x1024.jpeg 576w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-169x300.jpeg 169w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-768x1366.jpeg 768w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-864x1536.jpeg 864w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM-600x1067.jpeg 600w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/WhatsApp-Image-2025-07-29-at-9.09.43-PM.jpeg 899w" sizes="(max-width: 576px) 100vw, 576px" /></a></figure></div>


<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્&#x200d;સીઓ પર પડાયા દરોડા</span></strong></h4>



<p>(જી.એન.એસ) તા.29</p>



<p>અમદાવાદ,</p>



<p>રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે, જે અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુપ્લિકેટ-સ્પુરીયસ દવાઓ વેચતાં ઇસમોના ઘરે અને મેડિકલ એજન્&#x200d;સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંદાજે રૂ. ૧૭ લાખની કિંમતની ડુપ્લિકેટ-સ્પુરીયસ એલોપેથીક દવાઓ જપ્ત કરવામાં આવી હતી તેમજ ૨૦ દવાના નમુનાઓ લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા.</p>



<p>આ અંગે વિગતો આપતા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશીયાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં તંત્રના આઇ.બી. ફ્લાઇન્&#x200d;ગ સ્ક્વોડને મળેલી માહિતી મુજબ અમદાવાદ ખાતે રહેતા અરૂણસિંહ અમેરા &#8211; ૨૦, રાજનગર સોસાયટી, વટવાના રહેઠાણ પર આઇ.બી.ની ટીમે વહેલી સવારે દરોડો પાડતાં ખુબ મોટા પ્રમાણમાં સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓનો જથ્થો પકડી પડ્યો હતો.</p>



<p>આ ઉપરાંત નિલેશ હરીલાલ ઠક્કર &#8211; બી-૭, ચુનીલાલ પાર્ક, સીટીએમ ચાર રસ્તા પાસે, અમરાઈવાડી, અમદાવાદ વટવા, અમદાવાદ ખાતેથી રૂ. ૧૨ લાખની કિંમતનો સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાનો જથ્થો તેમજ પાર્થ જગદીશભાઈ જોષીની મે. પારસ કેમિસ્ટ, દુકાન નં- ૫, પ્રથમ માળ, કાંતા એસ્ટેટ, ધાર્મિક એપાર્ટમેન્ટની સામે, ચાંમુડાનગર નજીક, બાપુનગર, અમદાવાદ ખાતેથી સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી.</p>



<p>વધુમાં કમિશનર ડૉ. એચ. જી. કોશીયાએ ઉમેર્યું કે, વડોદરા ખાતે ઓલકેર મેડિસિન્સના માલિક કિરણ ઠક્કરની દુકાનમાંથી વડોદરાની ટીમ દ્વારા ૧૧૫ સ્ટ્રીપ દવાઓ, સુરત ખાતે શીવાય મેડીકો, કતારગામના માલિક પ્રજાપતિ ગૌરવ બાબુલાલને ત્યાંથી ૧૩૬ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ તેમજ રાજકોટ ખાતે મે. નિર્મલ મેડિકલ એજન્&#x200d;સી, મોટી ટાંકી ચોક, રાજકોટની પેઢીના માલિક જીગ્નેશ વઘાસીયાને ત્યાંથી ૩૨ ડુપ્લિકેટ દવાઓની સ્ટ્રીપ પકડવામાં આવી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરની અન્ય જગ્યાઓ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેથી વેચાણ થયેલ જગ્યાઓએ પણ દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.</p>



<p>તેમણે જણાવ્યું હતું કે, એફડીસીએ તંત્ર દ્વારા ટોરેન્&#x200d;ટ ફાર્માની લીડીંગ પ્રોડક્ટ કાયમોરલ ફોર્ટ, ગ્લેક્સો કંપનીની ઓગમેન્&#x200d;ટીન, ઇપ્કા કંપનીની ઝેરોડોલ એસપી, બાયોસ્વીફ્ટ કંપનીની સીફીક્ઝેમ, પ્રીવોક્સો કંપનીની ડાયક્લો પેરા અન્ય રાજ્યોમાંથી આવતી સ્પુરીયસ-ડુપ્લિકેટ દવાઓ પકડી પાડવામાં આવી હતી, આ દવાઓમાં પ્રાથમિક દ્રષ્ટીએ ચોકનો પાવડર હોવાનું તેમજ વગર બીલે ૫૦ ટકા ભાવમાં અન્ય રાજ્યમાંથી રોકડેથી ખરીદ કરી માર્કેટમાં વેચતાં હોવાનું માલૂમ પડ્યું હતું, જેની વધુ તપાસ ચાલી રહી છે.</p>



<p>અત્રે નોંધનીય છે કે, રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તાજેતરમાં સુરત ખાતે ઓનલાઇન મીસો પર વેચાણ કરતી નકલી બનાવટી કોસ્મેટિક ઉત્પાદન કરતી પેઢી દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ ખાતે સન ફાર્માની ડુપ્લિકેટ લેવીપીલ ૫૦૦ ટેબલેટનું વેચાણ પણ અગાઉ પકડી પડ્યું હતું. આમ, વિવિધ પેઢીઓ પર પાડેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર અને ગુનાહિત પ્રવૃતિમાં સંડોવાયેલા ઇસમોમાં ફફડાટ ફેલાઇ રહ્યો છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>સુરતમાં ખુલ્યો દેશનો સૌથી પહેલો VinFast ગાડીનો શોરૂમ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-482/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Tue, 29 Jul 2025 10:01:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[વ્યાપાર જગત - BUSINESS]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=124195</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 29 સુરત, દેશ અને દુનિયામાં ઇલેક્ટ્રિક વાહન નિર્માતા તરીકે જાણીતી વિનફાસ્ટની ભારતીય સહાયિક કંપની વિનફાસ્ટ ઓટો ઇન્ડિયાએ ગુજરાતના સુરત શહેરમાં પોતાના પ્રથમ શોરૂમનું ઉદ્ઘાટન કરીને ભારતમાં રિટેલ ક્ષેત્રે એક નવી શરૂઆત કરી. વિનફાસ્ટ, વિયતનામના Vingroup JSC ની સહાયિક છે. જે દેશના સૌથી મોટા કોંગ્રોમેરેટ્સ પૈકીનું એક છે. વિનફાસ્ટ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો નિર્માણ કરતી...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 29</p>



<p>સુરત,</p>



<p>દેશ અને દુનિયામાં ઇલેક્ટ્રિક વાહન નિર્માતા તરીકે જાણીતી વિનફાસ્ટની ભારતીય સહાયિક કંપની વિનફાસ્ટ ઓટો ઇન્ડિયાએ ગુજરાતના સુરત શહેરમાં પોતાના પ્રથમ શોરૂમનું ઉદ્ઘાટન કરીને ભારતમાં રિટેલ ક્ષેત્રે એક નવી શરૂઆત કરી. વિનફાસ્ટ, વિયતનામના Vingroup JSC ની સહાયિક છે. જે દેશના સૌથી મોટા કોંગ્રોમેરેટ્સ પૈકીનું એક છે. વિનફાસ્ટ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો નિર્માણ કરતી કંપની છે, જે ઇવીને દરેક માટે સુલભ બનાવવાનો મિશન ધરાવે છે.</p>



<p>વિનફાસ્ટ એશિયા ના CEO, ફામ સન્હ ચાઉએ જણાવ્યું કે, “ગુજરાતના સુરતમાં વિનફાસ્ટનું પ્રથમ શોરૂમ અમારા ભારત પ્રત્યેના ઊંડા વચનબદ્ધતાનું પ્રતિક છે. અમારા ટેકનોલોજી અને ગુણવત્તાસભર સેવા દ્વારા ગ્રાહકો માટે સંપૂર્ણ માલિકી અનુભવ (ownership journey) આપવાનો ઉદ્દેશ છે.”</p>



<p>તેમણે ઉમેર્યું, “ચંદન કાર જેવા ભરોસાપાત્ર પાર્ટનરો સાથે મળીને, અમે ભારતમાં એક ભવિષ્યગામી ઈવીઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ, જે શ્રેષ્ઠ ઈલેક્ટ્રિક વાહન અનુભવ આપશે.”</p>



<p>આ કંપનીના આગામી 2 અબજ ડોલર મૂલ્યના ઉત્પાદન યુનિટના ઉદ્ઘાટન પહેલાં થયો છે, જે 4 ઓગસ્ટે તમિલનાડુના થૂથુકુડીમાં શરૂ થવાનો છે. સુરત શોરૂમ વિનફાસ્ટનો ભારતની જમીન પરનો પ્રથમ ફિઝિકલ ટચપોઈન્ટ છે અને કંપનીના લાંબા ગાળાના દૃષ્ટિકોણને ઉજાગર કરે છે કે જેમાં ગ્રાહકો કેન્દ્રમાં હોય અને એક મજબૂત ઇલેક્ટ્રિક મોબિલિટી ઈકોસિસ્ટમ ઊભું કરવામાં આવે.</p>



<p>ડાયમંડ સીટી સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલું 3000 ચોરસ ફૂટનું આ શોરૂમ ‘વિનફાસ્ટ સુરત’ નામથી ઓળખાવાશે અને તેને ચંદન કાર પ્રમોટ કરે છે, જે ભારતીય ઓટોમોટિવ રિટેલ ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. અહીં ગ્રાહકો માટે પ્રોડક્ટનું ઇમર્સિવ અનુભવ, સરળ ખરીદી પ્રક્રિયા અને વર્લ્ડ ક્લાસ આફ્ટર-સેલ્સ સર્વિસ ઉપલબ્ધ રહેશે.</p>



<p>ઉલ્લેખનીય છે કે, સુરત શોરૂમમાં વિનફાસ્ટના આગામી બે પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયૂવી મોડલ – VF 6 અને VF 7 પ્રદર્શિત કરવામાં આવશે. કંપનીના વિસ્તરણ યોજના અંતર્ગત, 2025ના અંત સુધીમાં 27થી વધુ શહેરોમાં કુલ 35 ડીલરશીપ સ્થાપવાની યોજના છે.</p>



<p>VF 6 અને VF 7 માટે 15 જુલાઈથી પ્રી-બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે.&nbsp;બુકિંગ રકમ રૂ. 21,000 છે અને સંપૂર્ણપણે રિફંડેબલ છે.</p>



<p>આ વાહનોનું સ્થાનિક એસેમ્બલીંગ થૂથુકુડી ખાતેના નવીન Upcoming પ્લાન્ટમાં થશે, જેના દ્વારા વિનફાસ્ટ ભારતને માત્ર માર્કેટ તરીકે નહીં, પરંતુ ભાવિ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાની દૃષ્ટિ રાખે છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પો મુખ્યમંત્રીશ્રી ના હસ્તે મળ્યા</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-412/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sat, 26 Jul 2025 12:43:00 +0000</pubDate>
				<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123929</guid>

					<description><![CDATA[શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં અગ્રિમ સ્થાન અપાવનાર, ‘સ્વચ્છ સુરત’ માટે પાયારૂપ સ્વચ્છતાકર્મીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સંવાદ કરી અભિનંદન પાઠવ્યા (જી.એન.એસ) તા. ૨૬ સુરત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રૂ.૭૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૩૬૨.૪૫ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત મનપા દ્વારા...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫</strong></p>



<p class="has-text-align-center"><strong>સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં અગ્રિમ સ્થાન અપાવનાર, ‘સ્વચ્છ સુરત’ માટે પાયારૂપ સ્વચ્છતાકર્મીઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સંવાદ કરી અભિનંદન પાઠવ્યા</strong></p>



<p>(જી.એન.એસ) તા. ૨૬</p>



<p>સુરત,</p>



<p>મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં રૂ.૭૩ કરોડના કામોનું લોકાર્પણ અને રૂ.૩૬૨.૪૫ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરીને સુરતવાસીઓને રૂ.૪૩૫.૪૫ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે સુરત મનપા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકો માટે નવનિર્મિત ૧૪૯૪ પી.એમ.આવસોનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો પણ કરવામાં આવ્યો હતો. સુરત શહેરને સુપર સ્વચ્છ લીગમાં અગ્રિમ સ્થાન અપાવનાર, ‘સ્વચ્છ સુરત’ માટે પાયારૂપ સ્વચ્છતાકર્મીઓ સાથે સંવાદ કરી મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; સુરત મનપાની ૧૮ સુમન શાળાઓમાં ઈનોવેટિવ એજ્યુકેશન આપવાના હેતુથી નિર્મિત રોબોટિક લેબ્સ કાર્યરત થઈ છે, જે અંગે સુમન શાળાઓના વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીશ્રીને AI બેઝ્ડ ઈનોવેટિવ એજ્યુકેશન અંગે માહિતગાર કર્યા હતા. સુરત મનપાના રોબોટિક લેબ્સ નિદર્શન સ્ટોલની મુલાકાત લઈ મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ, નાણા, ઉર્જા મંત્રીશ્રી કનુભાઇ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, વન, પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અડાજણ-પાલના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે આયોજિત સમારોહમાં સુરતવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત સુરત શહેર- જિલ્લામાં શ્રેણીબદ્ધ વિકાસ કામો થઈ રહ્યા છે. સુરતીઓની સુખસુવિધા વધારતા કરોડોના વિકાસના કામો સુરતના &#8220;ઈઝ ઓફ લિવિંગ&#8221;માં વધારો કરશે.</p>



<p>             છેલ્લા બે દાયકાની સુરતની અવિરત વિકાસયાત્રાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષમાં વિવિધ વિકાસ પ્રકલ્પોની વણઝારથી સુરતની કાયપલટ થઈ છે, સુરતવાસીઓની સુખાકારી, ઈઝ ઓફ લિવિંગમાં વધારો થયો છે. સાથોસાથ સુરતે સ્વચ્છતાના ક્ષેત્રમાં દેશભરમાં નવી ઓળખ ઉભી કરી છે. આજના કરોડોના વિકાસકામો સુરતવાસીઓને વિકાસમાં માર્ગે લઈ જવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-large is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-8.jpg"><img decoding="async" width="1024" height="459" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-8-1024x459.jpg" alt="" class="wp-image-123933" style="width:745px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-8-1024x459.jpg 1024w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-8-300x135.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-8-768x345.jpg 768w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-8-1536x689.jpg 1536w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-8-600x269.jpg 600w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/7-2-8.jpg 1638w" sizes="(max-width: 1024px) 100vw, 1024px" /></a></figure></div>


<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; તેમણે આ વિકાસકાર્યો અને ભવિષ્યલક્ષી આયોજનને સુરત ઇકોનોમિક રિજીયનમાં સામાજિક, આર્થિક, ઔદ્યોગિક ક્ષેત્રે મોટું પરિવર્તન લાવનારા ગણાવી વિકસિત ગુજરાતના નિર્માણમાં સુરત અગ્રિમ યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; &#8216;સ્વચ્છ સર્વેક્ષણ- ૨૦૨૪&#8217; અંતર્ગત સુપર સ્વચ્છ લીગમાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સર્વોચ્ચ અંકો મેળવવા સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન મેળવનાર સુરત મહાનગરપાલિકાને તેમજ સુરતવાસીઓને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા. સ્વચ્છતા અને વિકાસમાં શિરમોર સ્થાન મેળવી સુરત શહેરે ‘સુરત સોનાની મૂરત’ની ઉક્તિ સાર્થક કરી હોવાનું જણાવ્યું હતું.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; મુખ્યમંત્રીશ્રીએ સુરતને દેશના સૌથી સ્વચ્છ શહેરોની સુપર સ્વચ્છ લીગમાં સ્થાન મેળવી કાયમી સ્વચ્છ શહેરની સિદ્ધિ બદલ સુરતની સ્વચ્છતા ટીમ અને કર્મચારીઓના પુરૂષાર્થ-પરિશ્રમને બિરદાવતા પાઠવતા જણાવ્યું કે, ‘સ્વચ્છ સુરત’ માટે પાયાના પથ્થર સમાન સૌ સ્વચ્છતાકર્મીઓ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બન્યા છે. ખાસ કરીને સ્વચ્છતાને સ્વભાવમાં વણી લઈ સુરતની સ્વચ્છતાને જાળવી રાખવા કર્તવ્યનિષ્ઠ બનવા ભારપૂર્વક અનુરોધ કરી જળ-પર્યાવરણ-ઊર્જા સંરક્ષણ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા આહ્વાન કર્યું હતું.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે. આ સંકલ્પપૂર્તિ માટે ગુજરાતે &#8216;અર્નિંગ વેલ, લિવિંગ વેલ’ના મંત્ર સાથે શહેરોને ગ્રોથ હબ તરીકે વિકસાવીને ‘વિકસિત ગુજરાત@૨૦૪૭’નો રોડમેપ બનાવ્યો છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન અમલી છે, ત્યારે વડાપ્રધાનશ્રીના વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો કાર્બન ફૂટપ્રિન્ટના લક્ષ્યની દિશામાં ઇ-મોબિલિટી પર ખાસ ભાર મૂક્યો હોવાનું ઉમેર્યું હતું.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; ૧૦૮ કિમીના બી.આર.ટી.એસ રૂટ સાથે ૪૫૦ ઈ-બસોનું સંચાલન કરી સુરત ગ્રીન મોબિલિટીના ક્ષેત્રમાં દેશભરનું પ્રથમ ક્રમનું શહેર બન્યું છે એનો ઉલ્લેખ કરી તેમણે સુરત મનપા અને અધિકારીઓને બિરદાવ્યા હતા.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ૨૦૦૫માં રાજ્યના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં પહેલીવાર શહેરી વિકાસ વર્ષ ઉજવવાની શરૂઆત કરી હતી. જેનાથી ગુજરાતના શહેરીકરણને નવી દિશા મળી છે. સરકારે રાજ્યના શહેરોને વિશ્વ કક્ષાના બનાવવા માટે વર્ષ ૨૦૨૫ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી ‘શહેરીકરણ સમસ્યા નહીં, પણ અવસર’ એવા મંત્ર સાથે નગરો-મહાનગરો અને ગામો ગ્રીન, ક્લીન અને સ્વચ્છ બનાવવા સતત પ્રયત્નશીલ છે. રાજ્યના શહેરો&nbsp; ગ્રીન ગ્રોથ અનૂકૂળ બને એવું રાજ્ય સરકારનું વિઝન હોવાનું કહ્યું હતું.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; આજે કારગીલ વિજય દિવસે મુખ્યમંત્રીશ્રીએ કારગીલ યુદ્ધમાં વિજયના પરાક્રમી નાયકો, શહીદ વીર સૈનિકોનું સ્મરણ કરી અંજલિ અર્પણ કરી હતી. તેમણે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સેનાનું મનોબળ વધારી દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા સાથે વિકાસની રાજનીતિથી વિકસિત ભારતના નિર્માણ માટે દિનરાત કાર્યરત છે, ત્યારે દેશના વડાપ્રધાન તરીકે ૪૦૭૯ દિવસનો કાર્યકાળ પૂર્ણ કરી રાષ્ટ્ર સેવાથી સાચા જનસેવકની પ્રતીતિ કરાવી છે એમ જણાવી યશસ્વી કાર્યકાળ બદલ વડાપ્રધાનશ્રીને શુભકામના પાઠવી હતી.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતનો વિકાસ સમગ્ર દેશ માટે દિશાસૂચક બન્યો છે. સમગ્ર વિશ્વમાં સુરત શહેરે આગામી ૫૦ વર્ષની વસ્તી અને ઔદ્યોગિક પાણીની જરૂરિયાતની પૂર્તિનું આયોજન કર્યું છે. વડાપ્રધાનશ્રીની રાહબરી હેઠળ તથા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ સુરત તેજ ગતિથી વિકાસમાર્ગે સતત આગળ વધી રહ્યું છે. સૌથી આગળ રહેવુ એ સુરતની ટેવ અને તાસીર રહી છે. સ્વચ્છતા કર્મીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, સ્વચ્છતા સુપર લીગમાં સુરતે સમગ્ર દેશમાં&nbsp; સૌથી વધુ ગુણો મેળવ્યા છે. તેમણે સૌ કોઈ સુરતીઓને સ્વચ્છતાનો ઉલ્લેખ કરીને ગૌરવ લેવાનો અનુરોધ કર્યો હતો. સુરતના નાગરિકોએ ગંદકી ન કરતા સ્વચ્છતા રાખવાની જવાબદારી વહન કરવાની હિમાયત કરી હતી.&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; તેમણે કહ્યું કે, કેચ ધ રેઈનના સંકલ્પમાં સૌના સહયોગ સાથે સમગ્ર દેશમાં આઠ મહિનામાં ૩૨ લાખ રેઈન વોટર હાઇવેસ્ટીગ સ્ટ્રકચરોનું નિર્માણ પૂર્ણ થયું છે. જેમાં બનાસકાંઠા જિલ્લાની વિશેષ ભૂમિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બનાસ ડેરી અને ૨૭ હજાર ખેડૂતોએ જનભાગીદારી સાથે જળસંચયનું અભુતપૂર્વ કાર્ય કર્યું છે. સમગ્ર દેશમાં સાડા છ હજાર નાના મોટા ચેકડેમો આવેલા છે. ૪૦૦૦ બી.સી.એમ.(બિલિયન ક્યુબ મીટર) વરસાદ પડે&nbsp; છે, પણ આપણી જળસંચયની ક્ષમતા ૭૫૦ બી.સી.એમ.ની છે, જેથી વધુને વધુ જળસંચયના કાર્યો કરવાની હાંકલ કરી હતી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રત્યેક ધારાસભ્યને અલગથી રૂા.૫૦ લાખની ગ્રાંટ સાથે કુલ ૧૦૦ કરોડ જળસંચયના કાર્યો માટે ફાળવ્યા છે જે બદલ આભારની લાગણી વ્યકત કરી હતી.</p>



<p>&nbsp;સફાઈ કર્મચારીઓને અભિનંદન આપતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોએ સ્વચ્છતાની તમામ માર્ગદર્શિકાઓનું પાલન કરી સફળતા મેળવી છે. ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને પૂર્ણ કરવા વડાપ્રધાનશ્રીએ કમર કસી છે. સુરતની સ્વચ્છતા જાળવી રાખવી એ આપણી નૈતિક ફરજ બને છે.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેર આયોજનબદ્ધ રીતે આગળ વધતુ અને ધબકતું શહેર છે. જેમ જેમ સુરત ઝડપી વિસ્તરીત થઈ રહ્યું છે તેમ રાજ્ય- કેન્દ્ર સરકાર અને સુરત મનપા સાથે મળીને લોકોને વધુને વધુ ઈન્ફાસ્ટ્રકચર સહિતની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. શહેરે પૂર, પ્લેગ જેવી વિકટ પરિસ્થિતિઓમાં સૌથી સ્વચ્છ શહેર બનવાની ક્ષમતા સાબિત કરી છે. સુરતીઓનો સહયોગ અને સમજદારી આ સફળતાના મૂળમાં છે. સ્વચ્છ સુપર લીગમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે, ત્યારે આ સિદ્ધિમાં પ્રત્યેક સુરતવાસી, સ્વચ્છતાદૂતનું યોગદાન છે.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; આ વેળાએ &#8216;સુરત: ફ્યુચર સિટી ઓફ વિકસિત ભારત@2047&#8217; પુસ્તિકાનું મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; મુખ્યમંત્રીશ્રીએ ‘સ્વચ્છ સુરત’ માટે પાયાના પથ્થર સમાન સ્વચ્છતાકર્મીઓ સાથે ગ્રુપ ફોટો સેશનમાં ભાગ લઈને પ્રોત્સાહિત કર્યા હતા.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; આ કાર્યક્રમ અગાઉ મુખ્યમંત્રીશ્રીએ ICCC ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર- વેસુ ખાતે સુરત મનપાના કોર્પોરેટરો સાથે બેઠક યોજી હતી.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; આ પ્રસંગે સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી કિશોરભાઈ કાનાણી, સંદીપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, મનુભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, પૂર્ણેશભાઈ મોદી, કાંતિભાઈ બલર, ડે.મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, વિવિધ સમિતિના ચેરમેનો, કોપોર્રેટરો તેમજ અન્ય પદાધિકારીઓ, મનપા અધિકારીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>સુરત શહેરમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગઃ સ્માર્ટ મોનીટરિંગથી હવે રસ્તાની દરેક સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-203/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Wed, 16 Jul 2025 13:14:00 +0000</pubDate>
				<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=123191</guid>

					<description><![CDATA[સુરત શહેરમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગઃ સ્માર્ટ મોનીટરિંગથી હવે રસ્તાની દરેક સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી રસ્તા ઉપર “AI વોચ”: ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક મુદ્દે તરત તંત્રને માહિતી આપતું સુરત મહાનગર પાલિકાનું ICCC સેન્ટર (જી.એન.એસ) તા. 16 સુરત, સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>સુરત શહેરમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગઃ સ્માર્ટ મોનીટરિંગથી હવે રસ્તાની દરેક સમસ્યા પર તાત્કાલિક કાર્યવાહી</strong></p>



<p class="has-text-align-center"><strong>રસ્તા ઉપર “AI વોચ”: ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક મુદ્દે તરત તંત્રને માહિતી આપતું સુરત મહાનગર પાલિકાનું ICCC સેન્ટર</strong></p>



<p>(જી.એન.એસ) તા. 16</p>



<p>સુરત,</p>



<p>સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ ટેકનોલોજી આધારિત AI CCTV કેમેરા અને સેન્સર લગાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ દ્વારા હવે ૨૪*૭ શહેરમાં ખાડા, પાણી ભરાવ કે ટ્રાફિક જામ જેવી સમસ્યાઓનો “રિયલ ટાઈમ” અંદાજ મેળવીને, સંબંધિત વિભાગોને તરત જાણ કરવામાં આવે છે જેથી સમયસર કાર્યવાહી થકી શહેરી પ્રજાજનોની&nbsp; સુખાકારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે.</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; આ કામગીરી સુરત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અમલમાં મૂકવામાં આવી છે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) આધારિત આ આધુનિક ટેકનોલોજી માર્ગ વ્યવસ્થાપનને વધુ સ્માર્ટ અને અસરકારક બનાવી રહી છે.</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-2-4.jpg"><img decoding="async" width="658" height="438" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-2-4.jpg" alt="" class="wp-image-123196" style="width:490px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-2-4.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-2-4-300x200.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-2-4-600x399.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; સુરત મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલની રાહબરી હેઠળ શહેરની જનતાની સુખાકારી માટે મહત્વની મોનીટરીંગ સિસ્ટમ ડેવલપ કરી છે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે વરસાદના કારણે રસ્તાની મરામત યુદ્ધના ધોરણે શરૂ કરવા સુચના આપી છે. મહાનગરપાલિકામાં ખાડા રીપેરીંગ મરામત માટે AI ટેકનોલોજી ઉપયોગી નીવડી છે</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; આ અંગે માહિતી આપતાં મહાનગરપાલિકાના સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના IT ડાયરેક્ટર શ્રી જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે, “સુરત મહાનગરપાલિકાનું વેસુ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (ICCC) શહેરની વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરે છે. છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં માર્ગોને નુકસાન પહોંચ્યું છે. આવા વિસ્તારમાં કમાન્ડ સેન્ટર દ્વારા સતત નજર રાખી કામ ચાલુ કરવામાં આવ્યું છે.”</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સુરત શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ૩,૫૦૦ CCTV કેમેરા અને પોલીસ વિભાગ દ્વારા ૮૦૦ કેમેરા લગાવવામાં આવ્યા છે. એમ કુલ ૪,૩૦૦ કેમેરાના ફૂટેજ દ્વારા રસ્તાઓ પર પડેલા ખાડા કે અવરોધોને ઓળખવા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ CCTV ફીડમાં કોઈ જગ્યા પર ખાડાની માહિતી મળી આવે છે, તાત્કાલિક ત્યાંની વિગતો ફિલ્ડ ટીમને મોકલવામાં આવે છે અને માર્ગ સુધારાની કામગીરી હાથ ધરવામાં આવે છે.”</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; તેમણે કહ્યું કે, ટેકનોલોજીના ઉપયોગથી શહેર વ્યવસ્થાપનમાં પારદર્શિતા અને ઝડપ બંને હાંસલ થઈ રહી છે. AI આધારિત સિસ્ટમ રસ્તાઓની સમસ્યાઓને પોતે ઓળખી તંત્ર સુધી પહોંચાડે છે. આ અભિગમ નાગરિક સુખાકારીની દિશામાં મહત્વપૂર્ણ છે.”</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; અંતે તેમણે&nbsp; ઉમેર્યું કે “સુરત શહેરમાં આવા સ્માર્ટ ઈનોવેટિવ સોલ્યુશનનો અમલ સતત પ્રગતિ પામે એવી દિશામાં આગળ વધી રહ્યા છીએ. AI આધારિત સિસ્ટમ દ્વારા ડેટાની મદદથી ભવિષ્યમાં માર્ગ વિકાસ અને જાળવણી માટે વધુ સફળ આયોજન કરી શકાશે.”</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-3-1.jpg"><img loading="lazy" decoding="async" width="658" height="438" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-3-1.jpg" alt="" class="wp-image-123197" style="width:494px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-3-1.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-3-1-300x200.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/4-3-1-600x399.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p>૨૪x૭ નિગરાની રાખતુ ICCC સેન્ટર: રસ્તાના ખાડા શોધવા માટે ૧૦ લોકોની ખાસ ટીમ કાર્યરત:</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; સુરત મહાનગરપાલિકાના વેસુ સ્થિત ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (ICCC) માં ૨૪x૭ કલાક કામગીરી ચાલી રહી છે, જ્યાં ૮૦થી વધુ લોકો સતત નગરની વિવિધ સેવાઓનું મોનિટરિંગ કરે છે. હાલના વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રસ્તા પર પડેલા ખાડાઓનું વિશેષ મોનિટરિંગ હાથ ધરાયું છે. ખાસ કરીને ખાડા ઓળખવા માટે ૧૦ લોકોને સમર્પિત ટીમ તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જે CCTV ફૂટેજ અને AI ટેક્નોલોજીની મદદથી ખાડાની ઓળખ કરી સંબંધિત ફિલ્ડ ટીમ સુધી માહિતી પહોંચાડે છે.</p>



<p>&nbsp;રોડ પરની સમસ્યાઓ શોધે છે AI સિસ્ટમ</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; શહેરના ચોક્કસ વ્યસ્ત માર્ગો પર કાર્યરત આ AI સિસ્ટમ રસ્તાની સપાટીની સતત સ્કેનિંગ કરે છે. ખાડા, પાણી ભરાવ, ટ્રાફિક ઘસારો વગેરેની હાલત સર્જાય તો આ કેમેરા અને સેન્સર્સ તરત જ સુરત મ્યુનિસિપલ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરને સૂચના આપે છે. જેથી તંત્ર સ્થળ પર પહોંચી તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.</p>



<p>&nbsp;ટેકનોલોજીથી માર્ગ વ્યવસ્થાપનને નવી દિશા</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; સુરતનું આ સ્માર્ટ માર્ગ મોનિટરિંગ મોડલ હવે અન્ય શહેરો માટે પણ શીખવા જેવી પ્રેરણારૂપ પદ્ધતિ બની શકે તેમ છે. ટેક્નોલોજી અને તંત્રના સંકલનથી સુરતના નાગરિકોને વધુ સુગમ અને સલામત યાત્રા વ્યવસ્થા પ્રાપ્ત થઈ રહી છે.</p>



<p>કેવી રીતે કાર્ય કરે છે AI-સંચાલિત સેન્સર સિસ્ટમ?</p>



<p>&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp; AI આધારિત સેન્સરો સતત માર્ગ સપાટીનું અવલોકન કરે છે. જો રસ્તા પર ખાડો પડે, પાણી ભરાય કે ટ્રાફિક સ્થગિત થાય તો તે તરત ઓળખી ‘સુરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર’ (ICCC) સુધી ડેટા મોકલે છે. ત્યાંથી સંબંધિત વિભાગને રિયલ ટાઈમ સૂચના આપવામાં આવે છે, જેથી તરત કામગીરી હાથ ધરવામાં આવે છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને સુરત શહેરમાં મેટ્રોને સમાંતર માર્ગોનું ઝડપી સમારકામ હાથ ધર્યું</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-118/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Mon, 14 Jul 2025 15:07:05 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122912</guid>

					<description><![CDATA[૭,૬૧૫ સ્ક્વેર મીટર વિસ્તારમાં પુરાણ અને સમારકામ કરી રોડ પરથી ૪૭૭ ખાડા દૂર કરાયા – ૯૪% કાર્ય પૂર્ણ અઢી કિલોમીટર લંબાઈ જેટલા રોડને રિસર્ફેસ કરાયા, બાકીનું કામ આગામી ચાર દિવસમાં પૂરું થઈ જશે (જી.એન.એસ) તા. 14 સુરત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા&#160; રોડ &#8211; રસ્તાઓના ઝડપી સમારકામ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા બાદ...]]></description>
										<content:encoded><![CDATA[
<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">૭,૬૧૫ સ્ક્વેર મીટર વિસ્તારમાં પુરાણ અને સમારકામ કરી રોડ પરથી ૪૭૭ ખાડા દૂર કરાયા – ૯૪% કાર્ય પૂર્ણ</span></strong></h4>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-large is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/13-2.jpg"><img loading="lazy" decoding="async" width="925" height="1024" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/13-2-925x1024.jpg" alt="" class="wp-image-122914" style="width:612px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/13-2-925x1024.jpg 925w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/13-2-271x300.jpg 271w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/13-2-768x850.jpg 768w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/13-2-600x664.jpg 600w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/13-2.jpg 960w" sizes="(max-width: 925px) 100vw, 925px" /></a></figure></div>


<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols">અઢી કિલોમીટર લંબાઈ જેટલા રોડને રિસર્ફેસ કરાયા, બાકીનું કામ આગામી ચાર દિવસમાં પૂરું થઈ જશે</span></strong></h4>



<p></p>



<p>(જી.એન.એસ) તા. 14</p>



<p>સુરત,</p>



<p>મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા&nbsp; રોડ &#8211; રસ્તાઓના ઝડપી સમારકામ માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા બાદ રાજ્યભરમાં રોડ-રસ્તા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ગ્રામીણ અને શહેરી રોડ તેમજ સ્ટેટ હાઇવે તથા નેશનલ હાઇવેનું સમારકામ પણ ઝડપભેર થઈ રહ્યું છે.</p>



<p>રાજ્યના અન્ય શહેરોની જેમ સુરત શહેરમાં પણ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાના રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.</p>



<p>સુરતમાં મેટ્રો ટ્રેન રૂટને સમાંતર આવેલા રોડ રસ્તાઓમાં જ્યાં વરસાદી પાણીથી નુકસાન થયું છે તે દરેક જગ્યાએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા રોડ મેન્ટેનન્સ અને રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે.&nbsp;</p>



<p>પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી એ. એસ. બિસ્તના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં સુરતમાં મેટ્રો ટ્રેન રૂટને સમાંતર આવેલા રોડ- રસ્તાઓ પરના</p>



<p>&nbsp;૪૭૭ ખાડાઓ પૂરી દેવામાં આવ્યા છે. લગભગ ૭,૬૧૫ સ્ક્વેર મીટર વિસ્તારમાં પુરાણ અને સમારકામ કરીને આ ખાડાઓ દૂર કરવામાં આવ્યા છે. મેટ્રો રૂટ અંતર્ગત આવતા જમીની માર્ગો પરથી ખાડા દૂર કરવાનું ૯૪% જેટલું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે, એવું તેમણે ઉમેર્યું હતું.</p>



<p>તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેટ્રો રૂટને સમાંતર અઢી કિલોમીટર જેટલા રસ્તા પર રોડને રિસર્ફેસ કરવામાં આવ્યા છે. હોટ મિક્સ અને પેવર ફિનિશરના ઉપયોગથી આ રસ્તાનું રિસર્ફેસિંગ કરાયું છે.</p>



<p>તેમણે ઉમેર્યું કે મેટ્રો રૂટને સમાંતર માર્ગો પર દિવસે વાહનોનો ટ્રાફિક હોવાને કારણે રસ્તાનું સમારકામ માત્ર રાતે કરવામાં આવે છે. બાકીનું કામ આગામી ચાર દિવસમાં પૂરું થઈ જશે.</p>



<p>ઉલ્લેખનીય છે કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા માર્ગોનું ઝડપી સમારકામ અને રિસર્ફેસિંગની કામગીરીથી સુરત શહેરના માર્ગો વધુ સલામત અને સુગમ બન્યા છે. વરસાદ દરમિયાન વાહન વ્યવહાર પણ સરળ બની રહેશે.</p>



<p>મેટ્રો પ્રોજેક્ટના નિર્માણકાર્ય દરમિયાન માર્ગો પર થયેલા ઘસારા કે નુકસાનને પહોંચી વળવા માટે GMRC રોડ રિપેરિંગની પ્રક્રિયા સતત કરે છે, આ ઉપરાંત વરસાદી પાણીને કારણે થયેલા ખાડા દૂર કરવાનું અને ધોવાઈ ગયેલા રોડ રસ્તાને રિપેર કરવાનું કામ પણ GMRC યુદ્ધના ધોરણે કરી રહ્યું છે.</p>



<p>GMRCની આ પ્રતિબદ્ધતા સુરતને વધુ આધુનિક અને લીવેબલ શહેર બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>છેલ્લા 48 કલાકથી સુરતમાં ખાડીના પાણીને અવરોધતા સ્ટ્રકચર અને દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-123/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Mon, 14 Jul 2025 09:18:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122927</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 14 સુરત, ચોમાસાની ઋતુમાં અવિરત વરસાદ બાદ પાણી બહાર જવા કિસ્સાઓમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા હવે તંત્ર કામે લાગી ગયું છે. સુરતમાં ખાડી પૂર અટકાવવા માટે હાઈલેવલ કમિટી બનાવ્યા બાદ કમિટિ અને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. ખાડીના પાણીને અવરોધતા સ્ટ્રકચર અને દબાણ માટેનો સર્વે કર્યા બાદ ગઈ કાલથી કલવર્ટ અને ખાડી...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 14</p>



<p>સુરત,</p>



<p>ચોમાસાની ઋતુમાં અવિરત વરસાદ બાદ પાણી બહાર જવા કિસ્સાઓમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા હવે તંત્ર કામે લાગી ગયું છે. સુરતમાં ખાડી પૂર અટકાવવા માટે હાઈલેવલ કમિટી બનાવ્યા બાદ કમિટિ અને પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. ખાડીના પાણીને અવરોધતા સ્ટ્રકચર અને દબાણ માટેનો સર્વે કર્યા બાદ ગઈ કાલથી કલવર્ટ અને ખાડી કિનારે થયેલા શિલ્ટીંગ દુર કરવાની કામગીરી સતત બીજા દિવસે પણ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી પાલિકા અને સરકારના વિવિધ તંત્ર સાથે સંકલનનો અભાવ હોવાથી આ કામગીરી થતી ન હતી હવે કમિટી બનાવ્યા બાદ કામગીરી ઝડપથી થઈ રહી છે.&nbsp;</p>



<p>સુરત જિલ્લામાંથી આવતી અને શહેરમાંથી પસાર થતી ખાડીના કારણે સુરતમાં સતત ખાડી પુરની ભીતિ રહે છે. તેમાં પણ જિલ્લામાં વરસાદનું જોર વધુ હોય ત્યારે ખાડી પૂર આવે છે. જોકે, ખાડીની માલિકી સરકારની હોય ખાડી પરના દબાણ હટાવવાની જવાબદારી સરકારની રહે છે. આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં જે દબાણ હોય તે દબાણ દુર કરવાની જવાબદારી પાલિકાની છે. પરંતુ વર્ષોથી સંકલનના અભાવે સપૂણ કામગીરી થતી ન હોય ખાડી પૂરનો ભોગ સુરતે બનવું પડે છે.&nbsp;</p>



<p>હમણાં 10 દિવસ પહેલા સુરતમાં અવિરત વરસાદ બાદ ખાડી પૂર આવ્યા હતા જેના કારણે લોકોમાં ભારે આક્રોશ હતો અને આગામી પાલિકાની ચૂંટણીમાં આ મુદ્દો હોટ બને તેવી શક્યતા હતી. જેના કારણે એક બેઠક મળી હતી અને તેમાં ખાડી પુર અટકાવવા માટે હાઈ પાવર કમિટી બનાવવામા આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે પહેલા જિલ્લા કલેકટર હતા પરંતુ એક જ દિવસમાં પાલિકા કમિશ્નરને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ હાઈપાવર કમીટીના અધ્યક્ષ બન્યા બાદ પાલિકા તંત્ર એક્શનમા આવ્યું છે અને સર્વે કર્યા બાદ કામગીરી પણ શરૂ કરી દીધી છે.</p>



<p>રવિવારે કામગીરી બાદ આજે સોમવારે પણ પાલિકાએ કામગીરી ચાલુ રાખી છે. આજે સવારે&nbsp; નવો પૂર્વ(સરથાણા) ઝોનમાં આવેલ ટી.પી. સ્કીમ નં. 21 (સરથાણા-સીમાડા) માં 60.00 મીટરનો આઇકોનિક રસ્તા ઉપર શિવ પ્લાઝા રેસીડેન્સી પાસે પાસોદરા-કઠોદરા તરફથી આવતી ખાડી પર વર્ષો જુનો પાઇપ કલવર્ટ બનાવવામાં આવ્યો છે. આ કલવર્ટ જર્જરીત હાલતમાં હોય તેને સુરક્ષા કારણોસર વાહન વ્યવહાર માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બંધ કરવામાં આવેલ. આજરોજ સદરહુ કલવર્ટને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.</p>



<p>સાથેજ બમરોલી ખાતે ખાડીના વહેણમાં અવરોધ રૂપ પાઇપ કન્વર્ટ તોડવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે ટીપી સ્કીમ નંબર 43 ભીમરાડના ફાઇનલ પ્લોટ નંબર 81 સુરત મહાનગરપાલિકાના નવનિર્મિત આવાસની બાજુમાં ખાડીની એલાઇનમેન્ટમાં દબાણ થયા હતા. તે પુરાણને દૂર કરી ખાડી વાઈડનીંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.&nbsp;</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે ૧૫૬ જેટલા અરજદારોને ધ્યાનપૂર્વક સાંભળીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-105/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sun, 13 Jul 2025 12:37:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#harshsanghavi]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122861</guid>

					<description><![CDATA[મંત્રીશ્રીએ સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી અને શક્ય હોય ત્યાં તાત્કાલિક નિરાકરણ લાવવા માટેના આદેશો કર્યા હતા (જી.એન.એસ) તા. 13 સુરત, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રવિવારે સુરત સર્કિટ હાઉસ ખાતે નાગરિકો સાથે જનસંપર્ક કાર્યક્રમ યોજી ૧૫૬ જેટલા અરજદારોની રજૂઆતો સાંભળી હતી અને તેમના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી....]]></description>
										<content:encoded><![CDATA[
<h4 class="wp-block-heading has-text-align-center"><strong><span class="td_text_columns_two_cols"><span style="background-color:#21f400" class="td_text_highlight_marker">મંત્રીશ્રીએ સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી અને શક્ય હોય ત્યાં તાત્કાલિક નિરાકરણ લાવવા માટેના આદેશો કર્યા હતા</span></span></strong></h4>



<p>(જી.એન.એસ) તા. 13</p>



<p>સુરત,</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/35-1.jpg"><img loading="lazy" decoding="async" width="582" height="438" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/35-1.jpg" alt="" class="wp-image-122862" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/35-1.jpg 582w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/35-1-300x226.jpg 300w" sizes="(max-width: 582px) 100vw, 582px" /></a></figure></div>


<p>ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રવિવારે સુરત સર્કિટ હાઉસ ખાતે નાગરિકો સાથે જનસંપર્ક કાર્યક્રમ યોજી ૧૫૬ જેટલા અરજદારોની રજૂઆતો સાંભળી હતી અને તેમના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.</p>



<p>મંત્રી શ્રી સંઘવીએ બપોરે સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચીને નાગરિકોને રૂબરૂ મળ્યા હતા. આ જનસંપર્ક કાર્યક્રમમાં સુરતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા લોકોએ પોતાની સમસ્યાઓ અને રજૂઆતો રજૂ કરી હતી. આ રજૂઆતોમાં સ્થાનિક પ્રશાસન સંબંધિત મુદ્દાઓ, કાયદો અને વ્યવસ્થા, વિકાસ કાર્યો, અને વ્યક્તિગત સમસ્યાઓ સહિતના વિવિધ વિષયોનો સમાવેશ થતો હતો.</p>



<p>મંત્રીશ્રીએ દરેક અરજદારને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેમની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને શક્ય હોય ત્યાં તાત્કાલિક નિરાકરણ લાવવા માટેના આદેશો કર્યા હતા. આ પ્રયાસના ભાગરૂપે ૧૫૬ જેટલા અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી, જેનાથી નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી હતી.</p>



<p>ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા નિયમિતપણે આવા જનસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે પ્રશાસનને લોકોની નજીક લાવવા અને તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવામાં મદદરૂપ થાય છે. સુરત ખાતેના આજના કાર્યક્રમમાં પણ મંત્રીશ્રીની કાર્યદક્ષતા અને સંવેદનશીલતા સ્પષ્ટપણે જોવા મળી હતી.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ, હત્યા મામલે 4 પૈકી ઝડપાયેલા 1 લુટારુને સાથે રાખીને પોલીસે ઘટના મામલે તપાસ કરી</title>
		<link>https://gnsnews.co.in/auto-draft-70/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sat, 12 Jul 2025 11:13:00 +0000</pubDate>
				<category><![CDATA[Featured]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<category><![CDATA[#Suratpolice]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122745</guid>

					<description><![CDATA[(જી.એન.એસ) તા. 12 સુરત, સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ, હત્યાના કેસમાં પોલીસ દ્વારા 4 પૈકી ઝડપાયેલા એક લુટારુને પોલીસની ટીમ દ્વારા તેને સાથે રાખીને સમગ્ર ઘટના મામલે તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં સચિન વિસ્તાર પોલીસે આરોપીને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાને અંજામ આપીને ક્યાં અને કંઈ દિશામાં ભાગ્યા હતા? તેની...]]></description>
										<content:encoded><![CDATA[
<p>(જી.એન.એસ) તા. 12</p>



<p>સુરત,</p>



<p>સુરતના સચિન વિસ્તારમાં જ્વેલર્સમાં લૂંટ, હત્યાના કેસમાં પોલીસ દ્વારા 4 પૈકી ઝડપાયેલા એક લુટારુને પોલીસની ટીમ દ્વારા તેને સાથે રાખીને સમગ્ર ઘટના મામલે તપાસ કરવામાં આવી હતી. આ કેસમાં સચિન વિસ્તાર પોલીસે આરોપીને બનાવ સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટનાને અંજામ આપીને ક્યાં અને કંઈ દિશામાં ભાગ્યા હતા? તેની જાણકારી પોલીસે મેળવી છે. સાથે જ ફરાર અન્ય 3 આરોપીઓનાં નામ અને સરનામા મેળવી તેમની શોધખોળ આદરી છે.</p>



<p>થોડા દિવસ પહેલા&nbsp;3-4 જેટલા બંદૂકધારી ઇસમો શ્રીનાથજી જ્વેલર્સ નામની દુકાનમાં ઘૂસી આવ્યા હતા અને વેપારી આશિષ રાજપરા અને દુકાનનો કર્મચારી કંઈ સમજે વિચારે તે પહેલા દાગીના ભરેલી બેગ ઉઠાવી ફરાર થવાની કોશિશ કરી હતી. જો કે, વેપારી અને કર્મચારીએ રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. દરમિયાન, છાતીનાં ભાગે ગોળી વાગતા વેપારી આશિષ રાજપરાનું ઘટના્સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કર્મચારીના પગના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. સરાજાહેર થયેલ આ ઘટનાએ પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા કર્યા હતા.</p>



<p>આ ઘટનામાં સ્થાનિકોએ એક લુટારુને ઝડપી પાડ્યો હતો અને બરોબરનો મેથીપાક આપ્યો હતો. ઇજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. સારવારમાં સાજા થયા બાદ સચિન પોલીસે આરોપીનો કબજો મેળવ્યો હતો. કબજો મેળવી આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે માહિતી મેળવી. ઘટનાને અંજામ આપી અન્ય આરોપીઓ ક્યાંથી અને કંઈ દિશામાં ભાગ્યા સહિતની માહિતી પોલીસે મેળવી છે. સાથે જ ફરાર અન્ય 3 આરોપીઓનાં નામ અને સરનામા પણ પોલીસે મેળવ્યા હોવાની માહિતી છે. જો કે, ફરાર આરોપીઓ સુધી પોલીસ ક્યારે પહોંચશે તેને લઈને લોકોમાં ચર્ચા વેગવંતી થઈ છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>10&#215;10 ચોરસ ફૂટ ભાડાની દુકાનથી શરૂ થયેલી ‘ઘનશ્યામ ફ્લોર મિલ’ની આજે ત્રણ ફેક્ટરીઓ, સુરતની ‘સુરભી વેફર્સ’ પહોંચી સાત દેશોમાં</title>
		<link>https://gnsnews.co.in/10x10-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%b0%e0%aa%b8-%e0%aa%ab%e0%ab%82%e0%aa%9f-%e0%aa%ad%e0%aa%be%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%a6%e0%ab%81%e0%aa%95%e0%aa%be%e0%aa%a8%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b6/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Mon, 07 Jul 2025 14:02:00 +0000</pubDate>
				<category><![CDATA[ગાંધીનગર]]></category>
		<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#cmbhupendrapatel]]></category>
		<category><![CDATA[#gujaratgovernment]]></category>
		<category><![CDATA[#NarendraModi]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122262</guid>

					<description><![CDATA[‘આત્મનિર્ભર ભારત’: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી PMFME યોજના હેઠળ ધમધમી રહ્યો છે દેશનો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ (PMFME)નું સફળ અમલીકરણ, કુલ 675 લાભાર્થીઓ (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર/સુરત, એક કૃષિપ્રધાન દેશ તરીકે ભારત પાસે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે અગ્રેસર બનવાની ઉજળી તકો રહેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>‘આત્મનિર્ભર ભારત’: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી PMFME યોજના હેઠળ ધમધમી રહ્યો છે દેશનો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ</strong></p>



<p class="has-text-align-center"><strong>ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ (PMFME)નું સફળ અમલીકરણ, કુલ 675 લાભાર્થીઓ</strong></p>



<p>(જી.એન.એસ) તા. 7</p>



<p>ગાંધીનગર/સુરત,</p>



<p>એક કૃષિપ્રધાન દેશ તરીકે ભારત પાસે ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે અગ્રેસર બનવાની ઉજળી તકો રહેલી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને પ્રાથમિકતા આપતાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે, જે પૈકી એક&nbsp; મહત્વની યોજના છે- પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ (PMFME) યોજના. 29 જૂન, 2020ના રોજ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય દ્વારા PMFME યોજના શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ નાના, અસંગઠિત ફૂડ પ્રોસેસિંગ એકમોને નાણાંકીય સહાય, તકનીકી તાલીમ અને વ્યવસાય સંબંધિત સહાય પૂરી પાડીને તેમનું અપગ્રેડેશન અને ફોર્મલાઇઝેશન (સંસ્થાકીયકરણ) કરવાનો છે. ગુજરાતમાં આ યોજનાના કુલ 675 લાભાર્થીઓ છે.</p>



<p></p>


<div class="wp-block-image">
<figure class="aligncenter size-full is-resized"><a href="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/10-2-.jpg"><img loading="lazy" decoding="async" width="658" height="429" src="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/10-2-.jpg" alt="" class="wp-image-122264" style="width:362px;height:auto" srcset="https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/10-2-.jpg 658w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/10-2--300x196.jpg 300w, https://gnsnews.co.in/wp-content/uploads/2025/07/10-2--600x391.jpg 600w" sizes="(max-width: 658px) 100vw, 658px" /></a></figure></div>


<p>PMFME યોજના અંતર્ગત નાના ખાદ્ય ઉદ્યોગોને પ્રોજેક્ટ ખર્ચ પર મળે છે 35% સબસિડી</p>



<p>મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે PMFME યોજનાનું સફળ અમલીકરણ કરીને 675 લાભાર્થીઓને જોડ્યા છે. રાજ્યએ કેન્દ્રીય સમર્થન દ્વારા વધુ સારી ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને નાના ફૂડ પ્રોસેસિંગ એકમોના વિકાસને આગળ ધપાવ્યો છે અને નવા બજારોમાં તેમનો પ્રવેશ સુનિશ્ચિત કર્યો છે. આ પ્રયાસો વિકસિત ભારતના વિઝન સાથે સુસંગત છે અને સમાવેશી આર્થિક વિકાસ માટે રાજ્યની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે, PMFME યોજના અંતર્ગત નાના ખાદ્ય વ્યવસાયોને પ્રોજેક્ટ ખર્ચ પર 35% સબસિડી (₹10 લાખ સુધી), સ્વ-સહાય જૂથોના દરેક સભ્ય માટે ₹40,000નું પ્રારંભિક ભંડોળ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ માટે 50% સહાય અને ટેક્નિકલ અને વ્યવસાયિક કૌશલ્યમાં તાલીમ આપવામાં આવે છે.</p>



<p>PMFME યોજનાની મદદથી નવસારીની સુરભી વેફર્સ સાત દેશોમાં પહોંચી</p>



<p>PMFME યોજના કેવી રીતે લોકોના જીવનમાં પરિવર્તનનું માધ્યમ બની છે, તેનું એક ઉદાહરણ છે- સુરભી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ. ગુજરાતના નવસારીના લલિત ઠુમ્મરે એક રસોડામાં શરૂ કરેલો બિઝનેસ હવે સીમાડાઓ વટાવી ગયો છે. લલિતભાઈ પહેલાં ઘરે 1-2 કિલો વેફર્સ બનાવતા અને વેચતા. PMFMEની મદદથી આ બિઝનેસ એટલો વિસ્તર્યો કે, હવે સાત દેશોમાં દરરોજ 1.5 ટન બનાના વેફર્સની નિકાસ થાય છે. આ યોજના હેઠળ લલિતભાઈને પીલિંગ, સ્લાઇસિસ અને ફ્રાઇંગ માટેના ઑટોમેટેડ મશીન દ્વારા વધુ ઉત્પાદન કરવાની તક મળી, જેનાથી સ્વચ્છતા, એકસરખી ગુણવત્તા, લાંબી શેલ્ફલાઇફ સાથે તાજા કેળાની દરરોજની પ્રોસેસિંગની ક્ષમતા 6 ટન સુધી ગઈ અને કંપની માટે આંતરરાષ્ટ્રીય બજારોના દરવાજા ખુલી ગયા. આજે, સુરભી વેફર્સ એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વમાં તેના સ્વાદ માટે જાણીતી બની છે. એટલું જ નહીં, બિઝનેસનું વિસ્તરણ થવાથી સ્થાનિક રોજગારીનું પણ સર્જન થયું છે.</p>



<p>PMFMEના કારણે બકુલેશ ડી. નાગર પોતાના બિઝનેસનું વિસ્તરણ કરી શક્યા</p>



<p>અમદાવાદના જ ઑન્ટ્રપ્રિન્યોર બકુલેશ ડી. નાગર પ્રોટીન પાવડર અને એનર્જી ડ્રિંક્સની તેમની રેન્જ માટે જાણીતાં છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્ત લોકો અને ફિટનેસ સેન્ટરોમાં તેમણે બનાવેલા પ્રોટીન પાવડર અને એનર્જી ડ્રિંક્સ લોકપ્રિય તો બન્યા, પણ વધતી જતી બજાર માંગને પહોંચી વળવા માટે તેમના વ્યવસાયનું વિસ્તરણ કરવાની જરૂર પડી. PMFME યોજના હેઠળ, તેમને નિષ્ણાંત માર્ગદર્શન અને 35% ક્રેડિટ-લિંક્ડ કૅપિટલ સબસિડી મળી, જેના કારણે તેઓ આધુનિક મશીનરી અને અદ્યતન પૅકેજિંગ સોલ્યુશન્સ સાથે તેમની ઉત્પાદન સુવિધાને અપગ્રેડ કરી શક્યા. પરિણામે ઉત્પાદનની ગુણવત્તા, કાર્યક્ષમતા અને બ્રાન્ડ વેલ્યૂમાં નોંધપાત્ર વધારો થયો.</p>



<p>10&#215;10 ચો. ફૂટ ભાડાની દુકાનથી શરૂ થયેલી ઘનશ્યામ ફ્લોર મિલની આજે ત્રણ ફેક્ટરીઓ અને આઠ રિટેલ આઉટલેટ્સ</p>



<p>સુરતના મયુર વઘાસિયા પડકારોને તકોમાં પરિવર્તિત કરવામાં માને છે અને તેમના આ જુસ્સાને PMFME યોજનાનો મોટો સપોર્ટ મળ્યો. માત્ર ત્રણ લોકો સાથે 10&#215;10 ચોરસ ફૂટ ભાડાની દુકાનથી શરૂ થયેલી ઘનશ્યામ ફ્લોર મિલ આજે ત્રણ ફેક્ટરીઓ, આઠ રિટેલ આઉટલેટ્સ સાથે 40 લોકોને રોજગાર પૂરો પાડતો બિઝનેસ બની ગયો છે. 1998માં બિઝનેસ શરૂ કરનારી ઘનશ્યામ ફ્લોર મિલ ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, ઇડલી અને ઢોકળાનો લોટ સહિત 52થી વધુ પ્રકારના લોટ બનાવે છે અને આ તમામ પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવે છે.</p>



<p>સફળ બિઝનેસના આવા અઢળક દાખલા એ દર્શાવે છે કે, PMFME યોજના ફક્ત આ વ્યક્તિઓને જ સશક્ત નથી બનાવી રહી, પરંતુ સાથે મજબૂત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતનો પાયો પણ નાખી રહી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
		<item>
		<title>પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) લાવી રહી છે ગુજરાતના યુવાનોના જીવનમાં પરિવર્તન</title>
		<link>https://gnsnews.co.in/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a7%e0%aa%be%e0%aa%a8%e0%aa%ae%e0%aa%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80-%e0%aa%95%e0%ab%8c%e0%aa%b6%e0%aa%b2%e0%ab%8d%e0%aa%af-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%95%e0%aa%be/</link>
		
		<dc:creator><![CDATA[Gujarati Desk]]></dc:creator>
		<pubDate>Sat, 05 Jul 2025 14:16:00 +0000</pubDate>
				<category><![CDATA[ગુજરાત]]></category>
		<category><![CDATA[સુરત]]></category>
		<category><![CDATA[#bharat]]></category>
		<category><![CDATA[#surat]]></category>
		<guid isPermaLink="false">https://gujarati.gnsnews.co.in/?p=122111</guid>

					<description><![CDATA[સુરતના સ્વપ્નિલ પાટિલે પોતાના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભાથી પોતાના સમાજનું નામ રોશન કર્યું (જી.એન.એસ) તા. 05 સુરત, જીવનમાં આવનારા પડકારોનો સામનો કરવાની આપણામાં હિંમત હોય ત્યારે જ આપણે તેમને હરાવી શકીએ છીએ. ગુજરાતના સુરતના રહેવાસી 23 વર્ષીય યુવા સ્વપ્નિલ પાટિલના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભા તેમને પડકારોનો સામનો કરવામાં હંમેશાં મદદરૂપ થયા છે. સ્વપ્નિલે સુરત સ્થિત...]]></description>
										<content:encoded><![CDATA[
<p class="has-text-align-center"><strong>સુરતના સ્વપ્નિલ પાટિલે પોતાના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભાથી પોતાના સમાજનું નામ રોશન કર્યું</strong></p>



<p>(જી.એન.એસ) તા. 05</p>



<p>સુરત,</p>



<p>જીવનમાં આવનારા પડકારોનો સામનો કરવાની આપણામાં હિંમત હોય ત્યારે જ આપણે તેમને હરાવી શકીએ છીએ. ગુજરાતના સુરતના રહેવાસી 23 વર્ષીય યુવા સ્વપ્નિલ પાટિલના કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભા તેમને પડકારોનો સામનો કરવામાં હંમેશાં મદદરૂપ થયા છે.</p>



<p>સ્વપ્નિલે સુરત સ્થિત માલિબા ફાર્મસી કોલેજથી બી.ફાર્મ. કર્યું છે. સ્વપ્નિલના પરિવારમાં ચાર સભ્યો છે. સ્વપ્નિલના પિતાજી શાકભાજી વેચે છે, અને તેમની માતા ગૃહિણી છે. બી.ફાર્મના અભ્યાસ દરમિયાન જ સ્વપ્નિલને એક દિવસ ભારત સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) વિશે જાણકારી મળી. આ યોજના ફક્ત તાલીમ જ નથી આપતી, પરંતુ સફળ ઉમેદવારોને એક સારી નોકરી મેળવવા માટે સક્ષમ પણ બનાવે છે.</p>



<p>આ યોજના અંગે જાણકારી મળ્યા પચી સ્વપ્નિલના જીવનની એક નવી શરૂઆત થઈ. સ્વપ્નિલ માટે જોકે આ બધું સરળ નહોતું, પરંતુ જ્યારે સપનાંઓ મોટાં હોય ત્યારે દરેક માર્ગ સરળ બની જતો હોય છે. સ્વપ્નિલે PMKVY હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું અને પછી પોતાના મક્કમ મનોબળ અને પોતાના ટ્રેનર્સના માર્ગદર્શનથી ધીમે ધીમે પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા લાગ્યો. સ્વપ્નિલે કોલેજની સાથે જ આ કોર્સ પૂરો કર્યો છે. તાલીમ દરમિયાન સ્વપ્નિલને મેડિકલ ઇક્વિપમેન્ટ એટલે કે તબીબી ઉપકરણો અને દસ્તાવેજીકરણ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી. કોલેજમાં મળેલી તાલીમથી સ્વપ્નિલને કૌશલ્યની બારીકાઈઓ શીખવામાં તો મદદ મળી જ પણ સાથે-સાથે તેના વ્યક્તિત્વનો પણ વિકાસ થયો.</p>



<p>સ્વપ્નિલ જણાવે છે કે, “જ્યારે હું કોલેજમાં બી.ફાર્મનો કોર્સ કરી રહ્યો હતો ત્યારે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY) વિશે મને જણાવવામાં આવ્યું. આ યોજના મારા માટે વરદાન સાબિત થઈ, કારણકે તેનાથી મારા ટેક્નિકલ કૌશલ્યમાં વધારો થયો, મને નવી બાબતો વિશે શીખવા મળ્યું. આ યોજનાની સૌથી સારી વાત એ છે કે તે નિઃશુલ્ક છે અને તેના હેઠળ તાલીમ ઉપરાંત એક પ્રમાણિત સર્ટિફિકેટ પણ મળે છે, જે મારી કારકિર્દી માટે ખૂબ જરૂરી છે. હવે મને મારા ભવિષ્ય વિશેનો નિર્ણય લેવામાં સરળતા થઈ ગઈ છે. જે યુવાનોને કોઈક કારણોસર નોકરી નથી મળતી, તેવા યુવાનોને હું કહેવા માંગું છું કે તેઓ PMKVY હેઠળ તાલીમ મેળવીને પોતાના સપનાને સાકાર કરી શકે છે. તેનાથી તેમને નોકરી પણ મળશે અને સમાજમાં સન્માન પણ મળશે.”</p>



<p>જીવનમાં કંઈક કરી બતાવવાના સપના સાથે સ્વપ્નિલે પોતાના માતા-પિતા સાથે સમાજનું નામ પણ રોશન કર્યું છે. આ જ કારણ છે કે, આજે સ્વપ્નિલ પોતાની મહેનત અને સમર્પણના બળે સહજાનંદ મૅડિકલ ટેક્નોલૉજીઝમાં કાર્યરત છે અને પ્રતિ માસ ₹21,000 કમાય છે. આનાથી સ્વપ્નિલ આત્મનિર્ભર તો બન્યો જ છે, સાથે પોતાના પરિવારને પણ આર્થિક રીતે સમૃદ્ધ કરી રહ્યો છે. સ્વપ્નિલ ઉપરાંત, તેના આખા પરિવારના ચહેરા પર સ્મિત ચમકી રહ્યું છે. સ્વપ્નિલ ભારત સરકારનો આભાર માને છે, જેમણે તેને સફળતાની સીડી ચડવામાં મદદ કરી છે.</p>
]]></content:encoded>
					
		
		
			</item>
	</channel>
</rss>
