ભવિષ્ય માટે તૈયાર નેતાઓનું નિર્માણ: નવા BTech વિદ્યાર્થીઓ માટે IIT ગાંધીનગરે પરિવર્તનકારી ફાઉન્ડેશન પ્રોગ્રામનો પ્રારંભ કર્યો

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) એ 2025 ની બેચના નવીન પ્રવેશિત BTech વિદ્યાર્થીઓ માટે 21 જુલાઈ, 2025ના રોજ તેના મુખ્ય ફાઉન્ડેશન પ્રોગ્રામ (FP) નો પ્રારંભ કર્યો. સંસ્થાનો આ અગ્રણી ઉપક્રમ ચાર અઠવાડિયાનો વ્યાપક કાર્યક્રમ છે, જે 21 જુલાઈથી 15 ઑગસ્ટ, 2025 સુધી ચાલશે, જેનો હેતુ વિદ્યાર્થીઓની માત્ર શૈક્ષણિક યાત્રા જ નહીં પરંતુ વ્યક્તિગત વિકાસને પણ આકાર આપવાનો છે. ફાઉન્ડેશન પ્રોગ્રામ IITGNની આ ઊંડી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે કે તે માત્ર ટેકનિકલી કુશળ જ નહીં પરંતુ સામાજિક રીતે જાગૃત, નૈતિક મૂલ્યોમાં સ્થિર, શારીરિક રીતે સક્રિય અને સર્જનાત્મક રીતે પ્રેરિત એવા સર્વગુણસંપન્ન વ્યક્તિઓનું ઘડતર કરે. આ વર્ષે કાર્યક્રમનું ઉદ્ઘાટન વોલ્વો ગ્રુપ, ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કમલ બાલીના મુખ્ય અતિથિ તરીકેના હસ્તે થયું. શ્રી બાલીએ જણાવ્યું, “ફાઉન્ડેશન પ્રોગ્રામ IITGN દ્વારા શરૂ કરાયેલ એક ઉત્તમ પહેલ છે. મારા માટે, આ માત્ર આગામી ચાર વર્ષ માટેનો ફાઉન્ડેશન પ્રોગ્રામ નથી, આ એક વિકસિત ભારત માટેનો પાયો છે. આ આપણા દેશના ભવિષ્યના નિર્માણનો પાયો છે. તમે એક VUCA (Volatile, Uncertain, Complex, Ambiguous) (અસ્થિર, અનિશ્ચિત, જટિલ, અને દ્વિઅર્થિય) દુનિયામાં પ્રવેશી રહ્યા છો. તેના માટે તૈયાર રહો. હંમેશા શ્રેષ્ઠ પ્રદર્શન કરો. ભારતમાં, તમે યોગ્ય જગ્યા પર, યોગ્ય લોકો વચ્ચે છો. તમે એવા સમયમાં મોટા થઈ રહ્યા છો જ્યારે ભારત ઊંચાઈ પર જઈ રહ્યું છે. સતત શીખતા રહો.” તેમણે નેતૃત્વના સત્યતા તથા વિશ્વસનીયતાને ભાવિ નેતાઓ માટેના મુખ્ય આધારસ્તંભ ગણાવ્યા અને સહકારની ભાવનાને વધાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. મૂલ્યો અને નૈતિકતા, સર્જનાત્મકતા, ટીમ વર્ક, સામાજિક જાગૃતિ અને શારીરિક પ્રવૃત્તિઓ અને રમતગમત—આ પાંચ મુખ્ય સ્તંભો પર આધારિત આ કાર્યક્રમ, સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE) માટેની કઠોર શૈક્ષણિક તૈયારી પછી વિદ્યાર્થીઓને એક તાજગીભર્યો વિરામ આપે છે. આ ચાર અઠવાડિયામાં વિદ્યાર્થીઓ સંગીત, નૃત્ય, રમતગમત, કલા, સામુદાયિક પહોંચ અને હેન્ડ્સ-ઑન ક્રિએટિવ વર્કશોપ સહિત વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. આ અનુભવો દ્વારા IITGN પોતાના વિદ્યાર્થીઓમાં ખુલ્લુ મન, સહાનુભૂતિ, નેતૃત્વ અને શોધખોળની ભાવના વિકસાવવા માંગે છે. આ કાર્યક્રમમાં વિચારસરણીના નેતાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને નવીનતા લાવનારાઓના પ્રેરણાત્મક સંબોધનો પણ સામેલ છે, જેથી વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિત્વો સાથે સંપર્ક સાધી શકે અને તેમની પાસેથી શીખી શકે. પ્રોફેસર રજત મૂનાએ સંસ્થાના ઈતિહાસમાં સૌથી મોટા પ્રવેશમાંના એક તરીકે વિવિધ ડિગ્રી અને વિષયોમાં 900 થી વધુ નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું. નવા વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું, “તમારી રેન્ક તમને નિર્ધારિત ન કરે. હવે જે મહત્વનું છે તે છે કે આગામી થોડાં વર્ષોમાં તમે વ્યક્તિ તરીકે કેટલા વિકાસ પામો છો. ઉત્સુક રહો, ખુલ્લા રહો અને યાદ રાખો, શીખવાનું ક્યારેય બંધ થતું નથી.”

 IAS અધિકારી સંજય કૌલે ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઈઓ તરીકેનો સંભાળ્યો ચાર્જ

(જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, સિનિયર ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS) ઓફિસર સંજય કૌલે ભારતની અગ્રણી સ્માર્ટ સિટી અને સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિઝ સેન્ટર (IFSC) એવા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટીનાં મેનેજિંગ...

સત્ય પ્રેમ અને કરુણા ના મંત્રને જીવનમાં ઉતારીએ: એલચી શ્રી મૃદુલકુમારદાઓસ દ્રિતીય દિવસ કથામાં પૂજ્ય મોરારીબાપુને એમ્બેસેડર શ્રી એ આવકાર્યાદાઓસ

(તખુભાઈ સાંડસુર દ્વારા) (તસવીર નિલેશ વાવડિયા) સ્વીઝર્લેન્ડના મુખ્ય એરપોર્ટ એવા જ્યુરીકથી 160 કિલોમીટર જેટલું દૂર રમણીય પ્રાકૃતિક સંપદાઓનો ખજાનો એવા શહેર દાઓસની રામકથામાં બીજા દિવસે ભારતના સીઝરર્લેન્ડના એમ્બેસેડર શ્રી...

બગોદરામાં સામૂહિક આપઘાતની ઘટના, એક જ પરિવારના 5 સભ્યોએ જીવન ટુંકાવ્યું

(જી.એન.એસ) તા. ૨૦ બગોદરા, અમદાવાદના બગોદરામાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે. બગોદરા બસસ્ટેશનની બાજુની ઓરડીમાં આ ઘટના બની છે....

રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૭(NH47) પર બગોદરા પાસે માર્ગ મરામત અને પેચવર્કની કામગીરી કરવામાં આવી

રાજ્યમાં વિવિધ સ્થળોએ પેચવર્ક દ્વારા રસ્તાઓ સતત રીપેરીંગ કરવાની કામગીરી પ્રગતિમાં મુસાફરોની સલામતી ધ્યાને રાખતા બગોદરા ગામતળમાં પેવર મશીનથી માર્ગ મરામત કાર્ય હાથ ધરાયું (જી.એન.એસ) તા. ૨૦ રાષ્ટ્રીય ધોરીમાર્ગ...

દિવ્યાંગ ઉમેદવારોનો અગાઉથી સંપર્ક કરી તેઓની જરૂરિયાત વિષે પૂછપરછ કરી દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા આપવામાં કોઈ તકલીફ ન પડે  તેની વિશેષ કાળજી લેવાઈ

સ્પીપા દ્વારા UPSC તાલીમ વર્ગમાં પ્રવેશ માટે લેવાયેલ પરીક્ષાને મળેલ બહોળો પ્રતિભાવ ૧૦,૦૦૦ થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપેલ છે. UPSC ની પેટર્ન મુજબ પેપર-૧ અને પેપર-૨ -એમ બે પેપરની...

નાના બાળકો ના માતા પિતા માટે ફરી એકવાર ચેતવણી રુપ કિસ્સો, બાળક સમજણુ ના થાય ત્યાં સુધી સતત ધ્યાન રાખવુ જરુરી

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષના બાળકની શ્વાસનળીમાંથી  સોપારીનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો સોપારી ટુકડો જ નહીં મોતના મુખમાંથી બહાર કાઢ્યો છે  :-ડૉ. રાકેશ જોષી, પીડીયાટ્રીક સર્જરી વિભાગ ના વડા...

રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા વિશેષ ડ્રાઈવના ભાગરૂપે તમામ 33 જિલ્લાના શહેરો- હાઈવે પર આવેલા 267 પેટ્રોલ-ડિઝલ પંપ ઉપર રાજ્યવ્યાપી દરોડા

આ દરોડા દરમિયાન 16 જેટલા પેટ્રોલ-ડિઝલ પંપ પર ગેરરીતિ જણાતાં  કાયદેસરની કાર્યવાહી કરીને દંડ વસૂલાયો (જી.એન.એસ) તા. ૨૦ ગાંધીનગર, રાજ્યના તોલમાપ તંત્ર દ્વારા ગત  તા.18 અને 19 જુલાઈના રોજ...

ધોળકા શાખા નહેરની કેનાલ પર વિવિધ પુલો ભયજનક હોવાથી વાહન વ્યવહાર ડાયવર્ઝન અંગેનું અમદાવાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

(જી.એન.એસ) તા. ૨૦ અમદાવાદ, કાર્યપાલક ઈજનેર, સરદાર સરોવર, નર્મદા નિગમ લી., ધોળકા દ્વારા ઉપર્યુકત તા.૧૧/૦૭/૨૦૨૫ અને તા.૧૯/૦૭/૨૦૨૫ ના પત્રમાં જણાવ્યા મુજબ, તેઓની કચેરી હસ્તક આવેલા સરદાર સરોવર, નર્મદા નિગમ...

દુનિયાના સ્વર્ગ સમા સ્વીત્ઝર્લેન્ડમા પુ. મોરારિબાપુના વ્યાસાસને રામકથાનો 19થી પ્રારંભ 960મી “માનસ મહામંત્ર” રામકથામાં દેશ-વિદેશના શ્રોતાઓની ઉપસ્થિતિ દાઓસ

(તખુભાઈ સાંડસુર દ્વારા) પ્રકૃતિના ભરપૂર આશીર્વાદ પામનાર દુનિયાના સ્વર્ગ સમાદેશ સ્વીત્ઝર્લેન્ડમાં મોરારિબાપુના વ્યાસાસને રામકથાનો પ્રારંભ દાઓસમાં શનિવારે કોંગ્રેસ સેન્ટરમાં થયો.આ શહેરમાં પૂર્વ સ્વિઝર્લેન્ડનું એવું શહેર છે કે જ્યાં રમણીયતા,...