(જી.એન.એસ) તા. 27

અમરેલી,

અમરેલી જિલ્લાના ખાંભા-તુલસીશ્યામ રેંજના ખાંભા શહેરના રેવન્યુ વિસ્તારમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતા વન વિભાગ હરકતમાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ દીપડાના મોતના સમાચાર આપતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

આ બાબતે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, ખાંભાથી મીતીયાળા જવાના કાચા રસ્તા પરથી આશરે 14 થી 15 વર્ષના આ દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખાંભા તુલસીશ્યામ રેન્જ ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

આ મામલે પ્રાતંત્ર દ્વારા થમિક તપાસમાં સામે આવ્યું છે કે, દીપડાનું મોત ઉંમર મર્યાદાને કારણે થયું હોવાની શક્યતા છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. આ ઘટનાને પગલે વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જોવા મળી રહી છે.